SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ યાદીમાં કેટલાંક પ્રતિભાને ઉચ્ચતર, સુંદરતર કે સૂક્ષ્મતર કરનારાં લક્ષણો છે, કેટલાક ચાતુર્યગુણો કે ભૂતકૌશલ વધારનારા ગુણો છે, કેટલાક સામાજિકતા વધારનાર ગુણો છે. તે પૈકી પ્રથમ આ જૂથમાંના આત્મશુદ્ધિકારક ગુણો જોઈએ : (૧) ૩૯ : એટલે ઉન્નત કે ઉદાર ચિત્તવાળો, (૨) સ્વ: એટલે સ્મલન થતાં સહેલાઈથી પોતાની જાતને અંકુશિત કરનારો, અર્થાત્ રાજત્વના નશાથી ભાન ભૂલી સાર્વત્રિક નિયમનો તોડવાથી દૂર રહેનારો અને તે ભૂલથી તોડ્યાં હોય તો ભૂલ તરત સુધારી લેનારો, (૩) વ્યસની એટલે કે વ્યસનો(હાનિકારક ટેવો કે શોખ)થી મુક્ત, (૪) શ્રીમાન એટલે પ્રસિદ્ધિ ટાળીને પૂરી નિરભિમાનતામાં, આત્માનંદમાં રાચનાર, (૫) બદ્રીનામદાસી – દીન કે પીડિત વ્યક્તિની હીન મશ્કરી નહિ કરનાર – અર્થાત્ જીવમાત્રની ઉચ્ચાવચતા ધ્યાનમાં લીધા વિના સાર્વત્રિકપણે વાત્સલ્ય રાખનાર, (૬) નર્તપૃરીક્ષM: – વક્ર-ભૂભંગયુક્ત આંખો કદી નહિ કરનાર અર્થાત્ ભવાં વિકૃત કરીને કોઈ પ્રત્યે પણ દ્વેષ, પ્રકોપ કે ધમકી જેવા મલિન ભાવો ન દર્શાવનાર, (૭) કામ-ક્રોધ-લોભ-અકડાઈ-ચંચળતા-પરપીડાપરનિંદા જેવા હીન રજોગુણી ભાવોથી દૂર રહેનાર, અને (૮) વૃદ્ધો દ્વારા વત્સલ હિતબુદ્ધિથી અપાયેલા માર્ગદર્શનને આદરથી અનુસરનાર. આ ગુણગણ ધ્યાનથી તપાસતાં ખ્યાલ આવે છે કે ઉત્તમ રાજા પોતાના ઉચ્ચતમ પદને માત્ર કર્તવ્ય-બજવણીનું સાધન માનીને અંતરથી તો સતત મુક્તિવાંછુ સરળ મનુષ્ય બની રહીને, જીવમાત્ર પ્રત્યે વિનયધર્મ જાળવીને આત્મશુદ્ધિ જ સાધતો રહે છે. આમાં એકંદરે નિરભિમાનતા, જીવમાત્ર પ્રતિ વિનય અને અપ્રમાદ જેવા આધ્યાત્મિક ગુણો ઊપસી આવે છે. આ લક્ષણો રાજામાં રાજર્ષિપણું પ્રગટાવે છે. બાકીના ગુણોમાં ઉચ્ચ પ્રતિભા દ્વારા સહૃદયોને આકર્ષે તેવા ગુણો માત્ર ત્રણ બતાવ્યા છે, પણ એ ખૂબ મહત્ત્વના કે ચાવીરૂપ પ્રતિભાગુણો છે – જે આ પ્રમાણે છે : (૧) વામી એટલે કે ભરીભરી (અર્થસભર) વાણીથી કોઈ પણ વાતને મનોહર અને પરિપૂર્ણ રીતે કહેવાની શક્તિ ધરાવનાર, (૨) પ્રગર્ભ' એટલે કે ગમે તેટલા મોટા સમુદાય સાથે કે ગમે તેવી વિશિષ્ટ વ્યક્તિઓ સાથે, સતત આત્મગૌરવ અને ધીરગંભીર વર્તનની શોભા જળવાય તેમ પ્રસંગ પાડનારો, અને (૩) શિન્ય: એટલે મનગમતી સંગીતાદિ વિવિધ કળાઓમાં પરિશ્રમ અને એકાગ્રતા દ્વારા નિપુણ બનેલો. આવા પ્રતિભાગુણો પણ રાજાને અક્કડ, અતડો ને અભિમાની ન બનાવતાં, ઊલટું, ભીતરથી વધુ મૃદુ અને સરળ બનાવે છે, તેને માત્ર સ્થૂળ કે ભૌતિક સૌંદર્યનો જ નહિ, જીવનસૌંદર્યનો અને ઊંચી સંસ્કારિતાનો પણ ઉપાસક બનાવે છે. વળી એને લીધે કર્તવ્યકર્મો વચ્ચેના અવકાશનો પણ રચનાત્મક ઉપયોગ કરવાની તેની નિત્યની વૃત્તિ રહે છે, પ્રજામાં પડેલી વિવિધ કળાઓને પોષવાનું-પુરસ્કારવાનું વલણ પણ બંધાય છે. ભારતના ઇતિહાસકાળમાં થઈ ગયેલો કનોજના વધનવંશનો રાજા હર્ષવર્ધન આવા કળાપ્રેમી, પ્રતિભાશીલ, ધર્માભિમુખ રાજાનું ઉત્તમ ઉદાહરણ છે. તેવો જ મહિમામય હતો નાનકડા વત્સદેશનો રાજા ઉદયન. આવાં અનેક ઉદાહરણો પ્રાચીન-ભારતીય સાહિત્ય દ્વારા અમર થયાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy