SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૭ ન જ અનુભવે. આ શીધ્રતા એ કાંઈ કોઈ અવિચારી કર્મ (“સાહસ') નથી, પણ શુદ્ધ સંકલ્પનું ધર્મમય અનુસંધાન છે. આજના યુગમાં દેખાતી શીઘતા શું આવા ગુણરૂપ છે ખરી ? ચોથો ઉત્સાહગુણ દાક્ય – કર્મની દક્ષતા, નિપુણતા. આ ગુણ આગલા શીવ્રતા-ગુણનો પૂરક અને તેની સમતુલા સાધનારો ગુણ છે. શીઘ્રતામાં ઊડઝૂડપણું કે નર્યો શક્તિક્ષય હોઈ શકે; દક્ષતાથી તેનું નિવારણ થાય. શીધ્રતા પ્રાણગુણ છે, જયારે દક્ષતા પ્રાણ-પ્રજ્ઞાજન્ય સંકુલ ગુણ. તેમાં ચોક્કસ ગણિત, તર્કશક્તિજન્ય ચતુરાઈ અને પ્રાણશક્તિ પર રચનાત્મક નિયંત્રણ – એટલો પ્રજ્ઞાવ્યાપાર, એટલી તટસ્થતા કે વસ્તુલક્ષિતા (objectivity) હોય છે; સાથે પ્રાણજન્ય શીઘ્રતા અને બળ પણ ખરાં. ‘ાફ્ટ' શબ્દના મૂળમાં રહેલો ટ્રમ્ ધાતુ ‘ઝડપથી જવું' કે “ખતમ કરવું’ એવા એકબીજાને મળતા પાયાના અર્થો ધરાવે છે. એને આધારે તેનો ‘નિપુણ થવું' એવો અર્થ પણ વિકસ્યો. શ્રીઅરવિંદે યોગ્ય રીતે જ દ્રશ્ન ધાતુને અંગ્રેજી dash (જોરદાર રીતે જવું; ત્રાટકવું) ધાતુ સાથે સાંકળ્યો છે. ટ્રમ્ ધાતુ અને dash ધાતુ ઇન્ડો-યુરોપિયન કુળના કોઈ મૂળ ધાતુમાંથી સમાન અર્થ સાથે વિકસ્યા હશે. એ કારણે એમાં હિંમત’ કે ‘બેધડકપણું' (નિર્ભયતા) એવો અર્થ પણ ગૂંથાયેલો સમજી શકાય. વાસ્તવમાં તો ‘દાક્ય માત્ર ક્રિયાની દક્ષતા જ નહિ, નીતિ કે નિર્ણય સંબંધી દક્ષતા કે વિવેકિતા પણ સૂચવે છે. એ રીતે વિચારતાં દાક્ય તે આગલા ત્રણ ઉત્સાહગુણોમાં રહેલા પ્રાણપ્રાધાન્યમાંથી નીપજતાં જોખમ કે સદોષતાને પ્રજ્ઞાના પાશથી દૂર કરીને કળશરૂપ ઉત્તમ ઉત્સાહગુણ બની રહે છે. સમગ્રપણે જોતાં, કૌટિલ્ય આભિગામિક ગુણોને પ્રથમ સ્થાન, પ્રજ્ઞા ગુણોને બીજું સ્થાન અને ઉત્સાહગુણોને ત્રીજું સ્થાન આપીને ઘણું બધું સૂચવી દીધું છે, ઘણી વિવેકિતા દાખવી છે. રાજપ્રતિભામાં માનવોચિત સ્થિર શોભાને પ્રાધાન્ય મળે તે કૌટિલ્યને ખૂબ ગમતી વાત છે. પ્રાણબળ તે પ્રેમબળ અને પ્રજ્ઞાબળથી નિયંત્રિત થાય તેમાં જ માનવતાનો, માનવના ભાવિનો વિકાસ છે – એવો સંકેત જાણે કૌટિલ્ય આપી રહ્યા છે. તેમને ખૂંખાર ચંગીઝખાનની પ્રતિભાને રાજર્ષિ જનકની પ્રતિભામાં પલટવાનું ઇષ્ટ છે; એમાંથી જ આગળ સંસ્કૃતિવિધાયક અને સંસ્કારાશ્રિત એવી “અરાજકતા' એટલે કે માનવ પોતે જ પોતાનાં વૃત્તિ અને વૃત્ત (વર્તન) બંને પર શાસન કરે તેવું બાહ્ય રાજા વિનાનું ‘સ્વ-રાજ' સિદ્ધ થઈ શકે. (જુઓ ગ્રંથનું પરિશિષ્ટ.) અગાઉ સૂચવ્યા મુજબ આ પછીના “આત્મસંપરૂપ ગુણજૂથને આપણે પરિશિષ્ટરૂપ જૂથ એટલે કે અનિવાર્ય ગુણોરૂપ નહિ, પણ પ્રતિભાનાં ઉત્કર્ષ કે શોભા માટે ઇચ્છનીય જૂથ ગણી શકીએ. દષ્ટિસંપન્ન શાસ્ત્રકાર પારદર્શી હોઈ સ્વપ્નદ્રષ્ટા પણ હોય છે. આજે જે વસ્તુસ્થિતિ દેખીતી રીતે નથી, તે પણ દીર્ધદષ્ટિને કારણે શાસ્ત્રકારને ભાવિના ગર્ભમાં દેખાય છે. વળી એવાં કેટલાંય વૈશિસ્યો એકલદોકલ વ્યક્તિમાં નિસર્ગદત્ત વિરલ પ્રસાદીરૂપે જોવા પણ મળ્યાં હોય છે. અગાઉ કહ્યા મુજબ, કદ કે ગુણસંખ્યાની દૃષ્ટિએ આ ગુણજૂથ, લગભગ આગલાં ત્રણેયને ભેગાં કરીએ એટલું મોટું છે ! એ માનવીય ગુણો હોઈ સામાન્ય મનુષ્ય પણ એમાંથી સ્વપ્રતિભાને ઘડવા ઘણું બધું અપનાવી શકે એમ છે; અલબત્ત, આગલાં ત્રણ જૂથોમાં પણ એવી ઘણી સામગ્રી પડેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy