SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રીતે તેમાં થયેલું રૂપાંતર – આ બધું તપાસતા રહીએ તો ભાષાનું જ્ઞાન આપણને નવા-નવા સંસ્કારોથી સમૃદ્ધ કરે છે. પ્રધિ શબ્દમાં , ઉપસર્ગ સાથે નિધિ નામપદ છે. નિધિ શબ્દ પોતે પણ ન ઉપસર્ગ સહિતના ધા (સ્થાપવું, સ્થિરરૂપે ટકાવી રાખવું) ધાતુમાંથી “જેમાં કીમતી દ્રવ્ય સ્થાપવામાં આવે તે એવી વ્યુત્પત્તિથી કે “જેને ધરતીમાં દાટવામાં આવે તે’ એવી અન્ય વ્યુત્પત્તિથી ધન ભંડારવાના સાધન કે સ્થાનરૂપ ચરુ વગેરે માટે રૂઢ થયો. હવે પ્રધાનો પ્રાથમિક અર્થ થાય ‘દઢ સ્થાપન'. એમાંથી ‘ખોડવું, ધરબવું' (installation) એવો ભૌતિક અર્થ પણ નીપજે અને ‘સમર્પણ' એવો ચૈતન્યની વિશિષ્ટતા સૂચવતો અર્થ પણ નીપજે. સમર્પણ પણ એક રીતે નિષ્ઠાનું કે એકાગ્રતા(ધ્યાન)નું સ્થાપન જ છે. તે પરથી એવું ધ્યાનનું સમર્પણ જે વિષય માટે કરવાનું હોય તે, એટલે કે “કર્તવ્યરૂપ કર્મો' એવો અર્થ પણ નીપજયો – જે અર્થ અહીં પ્રસ્તુત ગણાય. એટલે અહીં offધનો અર્થ કર્તવ્યસમુદાય કે કાર્યક્ષેત્ર – એવો કરવો. પણ ઉપલી વ્યુત્પત્તિઓ તપાસતાં “આ કાર્યો ખૂબ એકાગ્રતાથી જ સિદ્ધ થાય છે એવી અર્થછાયા આ પ્રધિ શબ્દ સમાવે છે. યોગશાસ્ત્રમાં આ જ ધાતુ વગેરેમાંથી બનેલો પ્રણિધાન શબ્દ પણ અષ્ટાંગયોગના ક્ષેત્રે ‘ચિત્તનું કે એકાગ્રતાનું સ્થાપન” એવા મૂળ અર્થ સાથે લાગુ પડે છે. તે રીતે “ધ્યાન” (meditation) અર્થ ધરાવે છે. તો આમ આ અધ્યાયમાં રાજાએ એકાગ્રપણે કરવાનાં દૈનિક કાર્યોની વાત છે. રાજા માટે રાજકર્તવ્યોમાં બરાબર જોતરાવાનું કેમ જરૂરી છે તે લાઘવથી, પણ સચોટ રીતે, અધ્યાયના આરંભે આમ કહેવાયું છે : “જે-જે વર્તન શ્રેષ્ઠ મનુષ્ય કરે, તે-તે વર્તન ઇતરજન કરવા પ્રેરાય છે” એ ન્યાયે રાજા ઊઠતો-બેસતો-કામ કરતો રહે, તો એની પાછળ-પાછળ સ-વેતન સેવકો પણ ઉદ્યમ કરતા રહે છે, અને રાજા પ્રમાદ સેવે તો સેવકો પણ લહેરીલાલા બની રહે છે; એટલું જ નહિ, રાજાએ સફળપણે પાર પડાવેલાં કર્મોના ફળ પણ ઓળવી લે છે, તો પોતે નવાં ફળ પેદા કરવાની તો વાત જ કેવી ? વળી રાજા શત્રુઓ દ્વારા પણ મૂર્ખ બનાવાય છે. સેવકો પણ લોકો માટે કરવાનાં કામો બાબત રાજાને ઊંધે રસ્તે દોરે છે. માટે રાજાએ પોતાની જાતને અપ્રમાદમાં સ્થિર કરવી જોઈએ. દિનચર્યાનાં ઘટકો તરીકે રાત્રિ અને દિવસ બંનેને દોઢ-દોઢ કલાકના આઠ-આઠ પ્રહરમાં વહેંચવાની પદ્ધતિ અપનાવાતી હતી. એ દરેક પ્રહરનાં કર્તવ્યો – અંગત કે રાજકાજનાં – નક્કી કરીને તેનું સાતત્યપૂર્વક પૂરી જાગૃતિથી રાજાએ અનુસરણ કરવું તે અનિવાર્ય અને ઇષ્ટ ગણાયું. રાજા જ્યારે અન્ય કોઈ તાકીદના કે બહારનાં કર્તવ્યમાં ન રોકાયો હોય ત્યારે આ દિનચર્યાનું અનુસરણ અપેક્ષિત હતું. આવી દિનચર્યાનું પાકું અનુસરણ રાષ્ટ્રનાં સુદીર્ઘકાલીન વિકાસ અને નિર્માણની દૃષ્ટિએ, તેમ જ આવતી રહેતી આપત્તિઓ સામેની સજ્જતાની દષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. હમણાં જ કરેલા રાજાના ગુણોના વર્ણનમાં એક મુદ્દો હતો આપત્તિ અને સામાન્ય સ્થિતિ (પ્રતિ) બંનેનો રાજાએ પૂરો ઉપયોગ કરી જાણવાનો. તેમાંના સામાન્ય સમયનો પૂરાં ઉદ્યમ અને દીર્ધદષ્ટિથી ઉપયોગ કરવાની જ આ વેતરણ છે. રાજાનો આવો નિત્યનો અપ્રમાદ એ જ સફળ રાજત્વનો, રાષ્ટ્રના સૌભાગ્યનો ઉપાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy