SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૫ ન હોય તેવા સાથે જ ઊઠતા-બેસતો. વિનામ: એટલે નવાં-નવાં જ્ઞાન, કૌશલ કે ગુણની ઊંડી સ્પૃહા (ઝંખના) રાખનારો. આવો રાજા પ્રજાહૃદયમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ બંનેને પાત્ર બની રહે, ચલણી સિક્કો બની રહે. કેટલાક વિચારકો એ વાત તરફ ધ્યાન દોરે છે કે અધ્યાય ૨. ના આરંભે ગણાવેલાં જરૂરી મંત્રી-લક્ષણોમાં પહેલું જ લક્ષણ નાનપદ (પોતાના જ રાષ્ટ્રના તળપ્રદેશમાં, જનપદમાં જન્મેલો) છે. જેનો રાજલક્ષણોની યાદીમાં સમાવેશ નથી. આનો અર્થ એ કે મંત્રી સ્વરાષ્ટ્રનો જ મુળ વતની હોવો જોઈએ; જ્યારે રાજા માટે એ આવશ્યક નથી – આવું તારણ કેટલાક કાઢે છે. એમના મતે રાજા પરરાષ્ટ્રની ભૂમિનો મુળ વતની પણ હોઈ શકે. માત્ર અન્ય રાજલક્ષણો બરાબર ધરાવતો હોવો જોઈએ. આવું તારણ યોગ્ય છે કે કેમ તે વિચારણીય છે. રાજા, સામાન્ય રીતે તો, સ્વભૂમિનો જ મૂળ વતની (native) હોય તે ઇષ્ટ લાગે છે, જેથી તે પ્રજાને સ્વીકાર્ય બનવામાં કોઈ બાધા ન આવે. વળી રાષ્ટ્ર પ્રત્યેની તેની વફાદારીનો પ્રશ્ન પણ જન્મ. આજે લોકતંત્રમાં પણ રાજ્યતંત્રના સર્વોચ્ચ-પદધારી માટે આવી ચર્ચા ચાલે જ છે ને ! આમ છતાં કૌટિલ્ય રાજગુણોના અન્વયે આ લક્ષણ નથી ઉલ્લેખ્યું, તેથી કૌટિલ્યને મતે રાજા યોગ્યતાની દષ્ટિએ સાર્વભૌમ ગણાવા પાત્ર હોય – ખાસ કરીને એના બિન-અંગત ઉચ્ચ માનવગુણો અને એની બિન-અંગત લોકવત્સલતા જોતાં. આમ છતાં ઉપર નોંધેલું વિચામઃ (સરહદી રાજાઓને વશમાં રાખી શકે તેવો) લક્ષણ આડકતરી રીતે એવું સૂચવે છે કે સામાન્યતઃ રાજા સ્વરાષ્ટ્રનો તળ નિવાસી હોય તો જ પડોશી સરહદી સામન્તો કે રાજાઓ વશમાં રહે તે શક્ય બને; નહિતર એવા રાજાઓ એમ વિચારે કે આ રાજા પોતે જ પારકી ભૂમિને પચાવીને તેનો રાજા બનેલો છે તો અમે એવાને વશ શાને રહીએ. ગમે તેમ પણ આ ચર્ચા તો ઉઘાડી જ રાખવી પડે તેવી છે. બીજું ગુણજૂથ છે પ્રજ્ઞાગુણોનું. તેમાં તો કૌટિલ્ય અધ્યાય 8.4માં નિર્દેશેલાં અને આગલા વ્યાખ્યાનમાં “કેળવણી-વિચાર'માં ચલાં વિદ્યાગ્રહણનાં જે સાત પગથિયાં (શુશ્રુષાદિ) છે, તે જ ફરી ઉલ્લેખ્યાં છે તે ધ્યાનપાત્ર બાબત છે. આમ જોઈએ તો પ્રજ્ઞાનો એટલે કે સમગ્રદર્શી બુદ્ધિનો એક જ ગુણ ઇષ્ટ છે – તેજસ્વિતા કે પરિપક્વતા (તેનસ્વિ નાવધીતમસ્તુ – “અમારા બંનેનું અધ્યયન તેજસ્વી થાઓ” એ પ્રાર્થના મુજબ). આવી જ્ઞાનની તેજસ્વિતા જ્ઞાનપ્રાપ્તિનાં આ સાત પગથિયાંરૂપી મહિમાયુક્ત વિધિથી અવશ્ય ઉત્પન્ન થાય – એવી કૌટિલ્યને દઢ પ્રતીતિ લાગે છે. એ અંગેની ચર્ચા અગાઉ વિગતે થઈ ગઈ હોઈ અહીં એનું પુનરાવર્તન જરૂરી નથી. એમ કહી શકાય કે એ પગથિયાં જ્ઞાનને ‘વિજ્ઞાન (બરાબર ખપમાં લગાડી શકાય તેવું ચોક્કસ અને શંકામુક્ત – અનુભૂતિરૂપ – જ્ઞાન) બનાવી જીવનશક્તિને મોકળી કરે છે. પછી આવે છે ઉત્સાહગુણોનું નાનું પણ આવશ્યક જૂથ. એમાં ચાર લક્ષણ આપ્યાં છે, પણ તે દરેક ચોક્કસ, ભાવાત્મક અને મહત્ત્વની ચેતનાગત વિશેષતા ચીંધે છે. ઉત્સાહ મૂળમાં પ્રાણબળ છે, સ્વયંભૂ ક્રિયાબળ છે; રજોગુણના ખૂબ ઉપકારક રચનાત્મક આવિર્ભાવરૂપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy