SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આટલાં એકાંકીઓમાં તો રાક્ષસજાતિ માટેનો તેમનો ભર્યો-ભર્યો આદર પ્રતીતિકારક રીતે વ્યક્ત થયો છે. ઊંચા કહેવાતા આર્યો અનેક હીન વ્યવહારોના કર્તા પણ બનતા જોવા મળે છે. મહાભારત'રૂપ જ્ઞાનમય પ્રદીપ પ્રગટાવનાર વ્યાસજીએ પણ રાક્ષસ-જાતિ અને અન્ય અનેક જાતિઓ વિષે પૂર્વગ્રહમુક્ત ધિંગું ચિંતન અનેક નિદર્શનો દ્વારા પ્રગટ કર્યું છે. કુળ બાબત પણ એમના વિચારો ક્રાંતદર્શી છે, પણ વિદ્રોહપૂર્ણ કે છીછરા નથી. કૌટિલ્યનો પક્ષ પણ જોઈએ. કૌટિલ્ય નંદવંશનો સંપૂર્ણ નાશ કરીને તેની ગાદીએ એક દાસીપુત્ર કે શૂદ્ર એવા ચંદ્રગુપ્તને સ્થાપવાનો હિંમતભર્યો કે કદાચ ઉદંડ લાગતો નિર્ણય પણ ઠરેલપણે, સમયધર્મ સમજીને કરેલો જણાય છે; કારણ કે એ નિર્ણય મુજબ રાજપદ પામનાર ચંદ્રગુપ્ત પોતાની પાછળ પણ ટકી શકે તેવો સમર્થ રાજવંશ પ્રવર્તાવ્યો હતો. વિશાખદત્તે “મુદ્રારાક્ષસમ્” નાટકના ત્રીજા અંકમાં સવિશેષપણે ચંદ્રગુપ્તની સુવિનીત રાજપ્રકૃતિ સુંદર રૂપે પ્રગટ કરી છે. તો આમ ઉચ્ચ કુળપરંપરાનો મહિમા પૂરી સમજણથી કે ઉત્કટતાથી સ્વીકારીને પણ કુલાભિમાન પોષતા કુળવાદને તો ન જ સ્વીકારીએ. એ રીતે જ આ “મહાકુલીન' વિશેષણને કદરદાનીથી ઝીલીએ ખરેખર તો આ પ્રથમ વિશેષણ પછી ત્રણ પરસ્પરપૂરક ગુણોનો, એક સમાસમાં સંયુક્ત ઉલ્લેખ કરતું બીજું વિશેષણ, જે-તે વ્યક્તિમાં મહાકુલીનતાનો અભાવ હોય તો પણ તેનામાં ઊંચો વિશ્વાસ – બલ્ક ‘વિશંભ' (પોતાપણાનો ભાવ, આત્મીયતા) – જગવતું પાસું કહે છે. તે ત્રણ પરસ્પરપૂરક બાબતો છે : ઊંચું ભાગ્ય (દેવ), એ ભાગ્યને ફળવામાં મદદરૂપ બને તેવી બુદ્ધિ અને એવું જ સત્ત્વ (પરાક્રમસામર્થ્ય). આ ત્રણ ગુણો પરસ્પર સહયોગથી લોકહૃદયમાં રાજાને વિશ્વાસપાત્ર બનાવે છે; તેનાથી મહાકુલીનતા પણ પાર્શ્વભૂમિકામાં જતી રહે છે. ભાગ્ય જેવી અમૂર્ત વસ્તુ તે વ્યક્તિને નિત્ય મળતી સફળતાથી અને તેની પ્રસન્ન પ્રકૃતિને આધારે પ્રતીત થાય છે. અગાઉ નિર્દેશ્યા પ્રમાણે શુભ દૈવ (ભાગ્ય) મનુષ્ય પૂર્વજન્મમાં ઉપાસેલા ઊંચા શુભકર્મને આભારી છે. આ પછીનાં પાંચ વિશેષણો રાજાના અન્ય સાથેના સંબંધમાં વિવિધ રીતે પ્રગટતો વિનય સૂચવે છે : “વૃદ્ધદર્શી' એટલે કે જ્ઞાનાદિમાં વૃદ્ધિ પામેલાઓનું નિયમિત સેવન કરનારો, ‘ધાર્મિક’ એટલે પરંપરાગત ધર્મમૂલ્યો સેવનાર. વળી સત્ય બોલનાર, અને “અવિસંવાદક' એટલે કહેણી ને કરણી વચ્ચે એકરૂપતાવાળો. કૃતજ્ઞ એટલે કોઈના પણ પોતાના પ્રત્યેના ઉપકારને વિનય સાથે સ્વીકારનારો. આ પછીનાં ચાર લક્ષણો એની કર્મશક્તિનો મહિમા દર્શાવે છે : પૂનત્તક્ષા એટલે વિશાળ ધ્યેય કે ઉદ્દેશ્ય રાખનાર. ‘મહોત્સાહ” ઊંચી પ્રાણશક્તિ સૂચવે છે. “અદીર્ઘસૂત્ર' એટલે કોઈ પણ નિર્ણય કરવામાં કે કાર્ય સાધવામાં વિલંબ ટાળનારો. વયસામન્ત: એટલે સરહદ પરના પડોશી રાજાઓ પોતાના વશમાં રહે તેવા સામર્થ્યવાળો. આ પછીનાં છેલ્લાં ત્રણ લક્ષણો એની આંતરિક પ્રગતિશીલતા કે ધ્યેય પ્રત્યેની અચળતા સૂચવે છે : કૃઢવૃદ્ધઃ એટલે દઢ નિશ્ચયવાળો – અડગ સંકલ્પ ધરાવતો. બીજું લક્ષણ છે તુચ્છ રુચિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy