SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૩ ગુણનો ખરો સંબંધ કુળના માત્ર સ્થૂળ કે આડંબરી ઇતિહાસ સાથે નહિ, પણ એના પરિણામે સિદ્ધ થતી ઊંચી સામાજિકતા સાથે છે. એ રીતે જોતાં આ એક ઇચ્છનીય ગુણ છે, પણ સ્થૂળ રૂપે અનિવાર્ય નથી. કોઈ વ્યક્તિનું કુળ અજાણ્યું હોય કે ઊંચી પૂર્વપરંપરા વિનાનું હોય, પરંતુ ગમે તે કારણે તે વ્યક્તિ ઊંચી, દઢ અને અનેક પ્રસંગોએ કસાઈને પ્રગટ થયેલી પ્રતિભા ધરાવતી હોય, તો એને ઊંચા પદ માટે લાયક કે અજમાવવા યોગ્ય તો ગણવી જ રહી. સદીઓના પસાર થવા સાથે કુળની ઉચ્ચતા બાબત, પ્રાચીન કાળથી ચાલ્યા આવતા સમાજમાં અનેક ભ્રમો, મિથ્યાભિમાન કે દંભ પ્રવેશતાં જોવા મળ્યાં છે. એટલે કુળને મુદ્દે સમજણ વગરની ચુસ્તતા ઘણી નકામી રુકાવટો ઊભી કરી બિનજરૂરી સામાજિક બદિલી જન્માવે છે. અહીં કુળના મુદ્દે મહાકવિ-મનીષી ભાસની ભૂમિકા પણ જાણવા-સમજવા યોગ્ય છે. તેમના વિમારમ્ નાટકમાં એક સ્થળે આવું વિધાન છે : “કુળની બાબતમાં ઊણપવાળી વ્યક્તિમાં આચારશુદ્ધિ સધાતી નથી” (“ન તુ વિનાનાં વર્તત વૃત્તશુદ્ધિઃ '' વિરમ્ ૨.૫b) આ વિધાન ભલભલા ઉદાર વિચારકોને મૂંઝવે તેવું જરૂર છે. પણ મનીષી ભાસમાં વૈચારિક ઉદારતાનું સાતત્ય જોતાં આ વિધાનને ઠરેલપણે, તટસ્થપણે મૂલવવું જરૂરી છે. અનેક ઊંચાં શીલ અને આચાર ધરાવતી વ્યક્તિઓ બાબતે એવું બને કે સ્થળ જાણકારી મુજબ તેનું કુળ નીચું હોય; પરંતુ તેના જન્મ બાબત કોઈ ને કોઈ ખરી હકીકત જુદાં-જુદાં કારણે દબાઈ ગયેલી હોય. સમાજમાં રૂઢ બનેલું મિથ્થા વર્ણાભિમાન કે જાતિ-અભિમાન પણ ઘણી વાર અન્યની આવી સાચી હકીકતોને જાણ્યેઅજાણ્યે દબાવી દેતું જોવા મળે છે. ટૂંકમાં કહેવું હોય તો કુળની મહત્તા બાબતનું ભાસનું કે કૌટિલ્યનું સમાન દિશાનું જણાતું ચિંતન એ નૃવંશશાસ્ત્રીય ઊંડી વૈજ્ઞાનિક સમજણનું ફળ છે; પણ એને સમાજમાં રૂઢ બનેલા ઊંચ-નીચના પૂર્વગ્રહો સાથે કે મિથ્યાભિમાન સાથે કોઈ સંબંધ નથી. કુળની ઉચ્ચતા અનેક પૂર્વ પેઢીઓની ઉચ્ચતામાંથી જ જન્મે એવું પણ માનવું જરૂરી કે ન્યાયયુક્ત લાગતું નથી. કુળના કોઈ વ્યક્તિવિશેષના અસાધારણ પુરુષાર્થના કારણે અગાઉની પેઢી કરતાં નવી પેઢીનું ઉચ્ચપણું સંભવે છે. વ્યક્તિના ગુણ પરિવારની ઊંચી આંતરિક પરંપરાથી કસાઈને સરળતાથી સુદઢ બની શકે છે. પરંતુ બીજી બાજુએ ભારતીય જીવનદર્શન મનુષ્યોના અનેક જન્મોમાં, તેમ જ અનેક જન્મો બાદ સધાતા, પૂર્વના એક કે અધિક જન્મોના સંસ્કારના પરિપાકમાં પણ માને છે. એ મુજબ ગમે તેવા કુળમાં પણ તેમાંના વ્યક્તિવિશેષની ઉચ્ચગુણતા તેના પૂર્વ જન્મોના કારણે અને એ જન્મોમાં સાંપડેલા કુલસંપર્કોના કારણે પણ સંભવી શકે. બહુમુખી આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અંતર્દષ્ટિ વિના માત્ર છીછરા પૂર્વગ્રહોના ધક્કાથી કોઈ વ્યક્તિની ઊંચનીચતાના ન્યાયાધીશ થવાનું કુદરતને માન્ય નથી. એવા પૂર્વગ્રહોથી જ વ્યક્તિઓને મૂલવતો સમાજ પડતીમાં ઊંડો ને ઊંડો ખૂંપતો જાય છે. ભાસકવિ અને કૌટિલ્યની કુળગત ઉપર્યુક્ત સમાન સમજણ પણ ઉદાર જ છે તે વાત, બંનેના અન્વયે કેટલીક અન્ય વિગતો તપાસતાં પણ સમજાશે. ભાસની બાબતમાં તેમની રાક્ષસજાતિવિષયક ઉદાર સમજણ જુઓ. તેમનાં મધ્યમવ્યાયો 1:, કૂતપટોવમ્ અને દૂતવાક્યમ્ – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy