SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જે સંવૃતમન્ત્રસ્ય પદ વાપર્યું છે, તે કૌટિલ્યની આ યાદીમાંના છેલ્લા આત્મસંપ ્-રૂપ ગુણજૂથમાંનાં સંવૃત: એ વિશેષણનો પડઘો હોવાનું ચોક્કસ કહી શકાય. કાલિદાસનો કૌટિલ્યના ગ્રંથ પ્રત્યેનો આવો ભર્યોભર્યો આદર ન ભુલાય. ૧૪૨ આમ આભિગામિક ગુણજૂથને પૂરા ઔચિત્ય સાથે રજૂઆતમાં પ્રથમ સ્થાન આપીને, કૌટિલ્ય પોતે પ્રજ્ઞા(સર્વાંગી બુદ્ધિ)ને ગુણગણનો ખરો આધારસ્રોત ગણતા હોઈને પ્રજ્ઞાગુણોના જૂથ તરીકે, આગલા વ્યાખ્યાનમાં કેળવણી-વિચારના મુદ્દામાં ગણાવેલા વિદ્યાગ્રહણનાં સાત પગથિયાંને (શુશ્રુષાદિને) જ રજૂ કરે છે. રાજાની ત્રણ શક્તિઓમાં કૌટિલ્યે ઉત્સાહશક્તિને ખૂબ ઠરેલપણે છેલ્લું સ્થાન આપેલું હોઈ આ યાદીમાં પણ ઉત્સાહગુણોને પ્રજ્ઞાગુણોની બાદ મૂક્યા છે. ઉત્સાહ પ્રજ્ઞાથી અંકુશિત હોય તો જ એ નિર્ભેળ ગુણરૂપ નીવડે છે એવો સંકેત એમાંથી જરૂર સમજી શકાય. આ ત્રણ જૂથ (આભિગામિક ગુણો, પ્રજ્ઞાગુણો અને ઉત્સાહગુણો) દરેક રાજા માટે પાયાનાં કર્તવ્યો અર્થે આવશ્યક અને વ્યવહારદષ્ટિએ જરૂરી ગણીને પ્રથમ અપાયાં છે, અને રાજત્વનો ઉત્કર્ષ કરતા અનિવાર્ય નહિ, પણ ઇચ્છનીય ગણાય તેવા ગુણોને જાણે કે પરિશિષ્ટરૂપે, ‘આત્મસંપ ્’રૂપ ગુણજૂથ તરીકે છેલ્લે મૂક્યા છે. અલબત્ત, આ જૂથ બધાંમાં સૌથી વિસ્તૃત છે ! કૌટિલ્ય તો રહ્યા રાજાના રાજર્ષિ તરીકેના ઉત્કર્ષના સ્થિર આશક ! - હવે આમાંના પ્રત્યેક જૂથને થોડું નજીકથી તપાસીએ : આભિગામિક ગુણજૂથ પુરુષાર્થી, સ્વમાની અને સંસ્કારી એવી પ્રજાને, જે ગુણસમુદાયથી રાજા શ્રદ્ધેય અને કાર્યક્ષમ લાગે છે તે ચોક્કસ ભાવાત્મક ગુણોને હેતુલક્ષી રીતે રજૂ કરે છે. એ ગુણોને લીધે પ્રજા કે રાજ્યતંત્રના નાના-મોટા સેવકો રાજા પાસે જઈને દિલ ખોલી શકે છે, વાજબી ફરિયાદ કે મુશ્કેલી નિર્ભયપણે રજૂ કરી શકે છે; એવા હૂંફાળા એ ગુણો છે. તેથી જ એને ‘આભિગામિક’ એવું ખૂબ સાર્થક વિશેષણ આપ્યું છે. આમાં પહેલો જ ગુણ ‘માનીન’ એમ કહ્યો છે. આ વાત ખુલાસો માગે છે. પ્રાચીનભારતીય સામાજિક ધોરણમાં મનુષ્યના સારા કુળનો મહિમા સર્વમાન્ય છે. અનેક પેઢીઓથી અવિચ્છિન્નપણે જે કુળના ઊંચા આચારો એકંદરે જળવાતા રહ્યા હોય, એવા કુળમાં જન્મેલા પ્રાયઃ દરેક સંતાનના વિવિધ ગુણોમાં વધુ ઊંડાણ, દઢતા અને કાર્યક્ષમ એવી સ્થિરતા હોવાની સંભાવના રહે છે. એનાથી વ્યક્તિત્વમાં સર્વપ્રિયતા, ઔદાર્ય અને ઊંચી કાર્યદક્ષતા પણ ઊતરી આવે છે અને વ્યક્તિ, સરવાળે, સમાજનો સર્વાંગી ને સર્વવ્યાપક ઉત્કર્ષ સાધનારી એક મજબૂત કડી બની રહે છે, તેમ જ બીજાઓના પ્રતિભા-ઉત્કર્ષમાં સહાયક થઈ સમાજજીવનની અનેક અન્ય કડીઓને પણ મજબૂત કરી શકે છે. આમાં એ વાત ખાસ ધ્યાનપાત્ર ગણાય કે આ મહાકુલીનતાની ખાતરી પણ ત્યારે જ થાય અને તે ગુણરૂપ પણ ત્યારે જ ઠરે, જ્યારે તેની સાથે સહજ (આડંબરરહિત) નમ્રતા અને નવી-નવી વિનયવાંછા જોડાયેલી હોય. સાચી મહાકુલીનતા અવશ્યપણે સમર્પણવૃત્તિમાં, પ્રદાનશીલતામાં બલ્કે આત્મદાનમાં ઘસાઈને ઊજળા થવામાં રાચે છે. એ દૃષ્ટિએ આ –, Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy