SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૧ જે લોકથી ઉગ ન પામે”. એ ન ભુલાય કે મનુષ્યના ગમે તે ઉચ્ચતમ ગુણની પરિપક્વતાની ખરી કસોટી આ આભિગામિકતા જ છે. અભિગામિક એવો અત્યંત મહિમાયુક્ત શબ્દ વાપરીને કૌટિલ્ય ખરેખર તો ગુણમાત્રનું હાર્દ સૂચવી દીધું છે – જેનાથી મનુષ્યોનું જોડાણ થાય અને તે દ્વારા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક એમ વિવિધલક્ષી નિર્માણ સંગીનપણે પ્રવર્તે તે ખરા ગુણો. ‘ગુણ'નો મૂળ અર્થ થાય છે સૂત્ર કે દોરી. જેમ સૂત્રો આડા-ઊભા ગૂંથાઈ પટ બને છે, યા જેમ એક દોરીમાં અનેક મોતી કે મણકા પરોવાય છે, તેમ ગુણ પણ નવનિર્માણમાત્રનો આધાર છે યા તેની ઉપાદાનસામગ્રી છે. ગુણની આ ખરી સાર્થકતા, એની આ જોડનારી શક્તિ ચૂકી જવાય તો ગુણમાત્ર ગુણીજનનાં અહંકારનું વાહન બનીને તેને લોકથી અતડા રાખે યા લોકને દબાવે કે માત્ર ડરાવે; તેથી કોઈ સુંદર સામાજિક હેતુ સિદ્ધ થતો નથી. એવો ગુણ શોભાના ગાંઠિયો જ બની રહે છે. પ્રજાનું રંજન કરે તે રાજા' એ વ્યાખ્યા મુજબ તો રાજા માટે આભિગામિક ગુણો સૌથી પાયાના ગણાય. તે દૃષ્ટિએ એની પ્રથમ રજૂઆત કરી કૌટિલ્ય ઘણું ઔચિત્ય જાળવ્યું છે. રાજાનું સૌથી વધુ પાયાનું કાર્ય તો લોકનાં ઉત્તમ ગુણો અને સામર્થો પ્રગટ થાય તેવી રીતે તેમના નિત્યના સહયોગી અને પ્રેરણાદાતા બની રહેવાનું છે. કોઈ પણ દેશકાળમાં રાજા જેવા ઉત્તમ લોકનિષ્ઠ જન માટે આ પાસું મહત્ત્વનું બની રહે છે. વિનોબા આ જમાના માટે જે કહે છે કે “હવે નેતાના દિવસો ગયા, ‘ગણસેવક' (સમુદાયની સેવા કરનાર)ના દિવસો આવ્યા છે” તે વાત પણ આવા લોકાભિમુખ ગુણોનો જ મહિમા કરે છે. એ ન ભુલાય કે આવી સુંદરતા પામેલા શીતળ ગુણો “ઊંચા” કહેવાતા મનુષ્યોના જીવનમાં પણ જલ્દી દેખાતા નથી; કારણ કે ગુણોની ઉચ્ચતા સાથે અભિમાનનો ત્યાગ પણ કરવો પડે છે, પોતાનું ગુણસમૃદ્ધ વ્યક્તિત્વ લોકને કે સૃષ્ટિને સમર્પિત કરવું પડે છે. સામાન્ય રીતે તો રાજાનું ડરામણાપણું જ લોકમાં પ્રચલિત હોય છે. “શત્રુથી પ્રજાનું રક્ષણ કરવા તો રાજાનું રૌદ્ર સ્વરૂપ જ ખપનું છે' એમ પણ સમજવા-સમજાવવામાં આવતું હોય છે. એમાં ય વળી રાજા અને એમનાં વ્હાલાંઓ જો વિલાસી હોય તો તેમને પોતાના સ્વચ્છંદો પોષવા આવું રૌદ્રપણું અને અતડાપણું જ સગવડભર્યું લાગે છે; ને રાંક પ્રજા તો એ સ્વીકારી જ લે છે. રાજા અને રૈયત વચ્ચેની આવી કહેવાતી વાસ્તવિકતાને પડકારીને, નિષેધીને કૌટિલ્ય આ ગુણયાદી આપી છે. કૌટિલ્ય સામે નંદોની પ્રકૃતિનો સ્વાનુભવ પણ આ યાદી રજૂ કરતી વખતે મનમાં હોય. કાલિદાસે કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર' આદરથી અને એકાગ્રતાથી જોયું હોવાના અનેક આધારભૂત પુરાવા તેમની એકાધિક કૃતિઓમાંથી મળે છે તે પૈકી આ અભિગામિક ગુણવાળી વાતનો પડઘો રઘુવંશ'માં આમ પડ્યો છે : “ભયોત્પાદક અને પ્રતિકારક એમ દ્વિવિધ ગુણોને કારણે તે સેવકો માટે [એક બાજુ] ક્ષોભ વગર પાસે ન જઈ શકાય તેવો, [તો વળી બીજી બાજુએ] મનમોકળાશથી કે ક્ષોભ વગર પાસે જઈ શકાય તેવો (‘અભિગમ્ય') પણ બની રહેતો.૪” કવિએ વાપરેલો ૩ : શબ્દ ‘અર્થશાસ્ત્રના જ “આભિગામિક' પદનો પડઘો હોવાનું સમજાય છે. વળી “રઘુવંશ'માં ના દિલીપના રાજગુણો વર્ણવતા આ પ્રથમ સર્ગના શ્લોક ક. ૨૦માં દિલીપરાજા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy