SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ લોકનું નેતૃત્વ કરનાર મનુષ્યના અત્યંત કાર્યસાધક ગુણો હોઈ રાજાની નરશ્રેષ્ઠતા પ્રગટ કરે છે. એમાં નેતૃત્વથી પણ વિશેષ લોક-માંગલ્ય સાધનારા અરણ્યવાસી ઋષિની પરમ ઉચ્ચતાનો નિષેધ નથી. ઊલટું રાજા ઋષિરૂપ બની રહીને જ આ ગુણગણ ધારણ કરે છે એ તો કૌટિલ્ય અન્યત્ર સ્પષ્ટ કર્યું જ છે. આ વર્ણન સમજીને તેને આધારે રાજાની દિનચર્યા તપાસવાનું રસપ્રદ બનશે. આરંભે એક સમજવા યોગ્ય વસ્તુસ્થિતિ ઉલ્લેખીએ. ધર્મશાસ્ત્રો અને તેના દોહનરૂપ મૃતિગ્રંથોએ વર્ણધર્મો અંગે એક વાત એ મૂકી છે કે જેમ દરેક વર્ણના આગવા ધર્મો હોય છે, તેમ ચારે ય વર્ણોનાં કેટલાંક સર્વસામાન્ય લક્ષણો પણ હોય છે. એટલે આજની રીતે કહી શકાય કે સમાજનાં વિવિધ કાર્યોની સમાંતર વ્યવસ્થા જળવાય તે માટે ગુણ અને કર્મ એ ઉભયની નૈસર્ગિક રૂપે ભિન્ન એવી નિજ-નિજ સંપત્તિ મુજબ તે-તે વર્ણનાં કાર્યો ભલે ભિન્ન હોય, પણ સર્વ વર્ણોમાં માનવ તરીકેના પાયાના ગુણો તો સમાનપણે ઇચ્છનીય છે. એ ગુણો જ વર્ગો માંહે ઊંચનીચપણાની કે વિરોધિતાની સમજણનો છેદ ઉડાડી દઈને એ સર્વને એક દોરામાં પરોવી સમાજજીવનના બરોબરિયા ભાગીદાર બનાવે છે. એ દૃષ્ટિએ, કૌટિલ્ય વર્ણવેલા રાજગુણો પૈકીના ઘણા ગુણો કોઈ વર્ણ-વિશેષનો જુદારો ઉપસાવવાને બદલે સહુ મનુષ્યોએ પોતપોતાની અનુકૂળતા મુજબ અપનાવવા લાયક માનવીય ગુણોની રસપ્રદ યાદી બની રહે છે. આ યાદી અન્વયે એવું જરૂરી સૂચવી શકાય કે કોઈ પણ ઉચ્ચ સંસ્થાના ઉચ્ચાવી અધિકારીઓની વરણી માટે અને વળી દરેકના સેવાકાળના વિવિધ તબક્કે તેમની વિવિધલક્ષી કાર્યક્ષમતાની અને વ્યક્તિત્વની આંતરિક સમતુલાની જાળવણી કે ખિલવટ માટે આ આખી યાદીને વરણીનો કે તાલીમી કાર્યક્રમનો પાયો બનાવી શકાય. આ ગુણ-યાદી ચાર જૂથોમાં વિભાજિત છે : (૧) આભિગામિક ગુણો, (૨) પ્રજ્ઞાગુણો, (૩) ઉત્સાહગુણો અને (૪) આત્મસંપરૂપ ગુણો. માત્ર સ્થળ વિશેષણપદોની ગણતરી કરીએ તો તેમાં જૂથવાર અનુક્રમે ૧૪,૭,૪ અને ૨૧ (કુલ ૪૬) ગુણદર્શી પદો છે – હકીકતમાં ઘણાં વિશેષણોમાં એકાધિક ગુણો સમાયા છે. પણ આખી યાદી આટલી પ્રાથમિક સ્થળ તપાસથી જ ઘણી વાસ્તવનિષ્ઠ જણાય છે. વિભાજન માટેનાં આ ચાર જૂથો અંગે પણ થોડું અવલોકન કરીએ. એમ લાગે છે કે માનવમાત્રના ગુણો ટૂંકાણમાં જેટલાં જૂથોમાં વહેંચી શકાય તેટલાં આ જૂથો છે. એનાથી સમતોલ પ્રતિભાવાળો કાર્યક્ષમ માનવ મૂર્ત થાય છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે સંકુલ પોતાનો પરિપૂર્ણ કેળવણી-ક્રમ ગોઠવવામાં આ યાદીને પૂરેપૂરી ખપમાં લઈ શકે. પ્રથમ જૂથરૂપ “આભિગામિક ગુણો જોઈએ. “અભિગમ' એટલે કોઈની પાસે જવું કે કોઈનું સાન્નિધ્ય (સમીપપણું) સેવવું. વ્યક્તિના જે ગુણો અન્યોને તેની પાસે જવા પ્રેરે, તેનું સેવન કરવા પ્રેરે તે ગુણો અભિગામિક ગુણો. પ્રજાજીવન કે માનવસમૂહ સાથે લેવા-દેવા રાખનાર અધિકારી માટે તો આવા ગુણો ખૂબ જરૂરી છે. જેનાથી મનુષ્ય સહજપણે લોકપ્રિય બની રહે તેવા આ ગુણો છે. યાદ કરીએ પેલું અગાઉ નિર્દેશલ ગીતા-પ્રોક્ત ભક્તલક્ષણ : “જેનાથી લોક ઉદ્વેગ ન પામે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy