SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા કાળમાં વ્યાપીને ફરી-ફરી પેદા થતા રહ્યા હોઈ, જાણ્યે-અજાણ્યે અન્ય સામાન્ય રાજાઓ માટે પણ શ્રદ્ધેય બની રહ્યા, અને વિવિધ પ્રજાઓના હૃદયમાં તો સમજણભરી ઊંડી ભક્તિ જગવતા રહ્યા. પ્રાચીન ભારતીય સાહિત્ય દ્વારા એવા અનેક રાજાઓ અમર થઈને સમાજહ્રદયમાં નિત્ય બિરાજે છે. આવા ઊંચા રાજત્વથી રાજા ‘રાજર્ષિ’ (‘રાજારૂપી ઋષિ') બિરુદ પામ્યો. કૌટિલ્યે પોતાના ગ્રંથમાં, અગાઉ જોયેલું તેમ, એક નાનકડો અધ્યાય ક્ર. ૨.૭ આવા રાજર્ષિના શીલની રૂપરેખા આપવા માટે જ ફાળવ્યો છે. રાજાની એક સર્વસામાન્ય કલ્પના જ લોકહૃદયમાં એવી ભક્તિ અને શ્રદ્ધા જગવતી રહી છે કે સંસ્કૃત કે ઇતર પ્રાચીન, મધ્યકાલીન સાહિત્યમાં રાજાનું વ્યક્તિત્વ રોમાંચકારી, રસભોક્તા નાયક તરીકે જીવનરસિકોને બહેલાવતું રહ્યું છે. સામાન્ય રીતે આવો જનહૃદયસ્થિત રાજા એના મનસ્વી કે કઠોર વ્યવહાર માટે નહિ, બલ્કે ઉદાર, સર્વસંગ્રાહક પ્રકૃતિ માટે જ પંકાયેલો હોય છે. આત્મસમર્પણ જાણે એનો સ્વભાવ બની રહ્યો હોય તેવી સર્વસાધારણ કલ્પના સ્થિર થયેલી છે. તેથી જ આવા રાજાને માટે અત્યંત ભક્તિશીલ એવી આ લોકોક્તિ પ્રસરી : ‘‘લાખો મરજો, પણ લાખોનો પાલણહાર ન મરજો.' તેથી અને વળી માનવપ્રતિભાના શક્ય આયામ (વિસ્તરણ) સમજવાની દૃષ્ટિએ પણ રાજપ્રતિભાનો વિસ્તૃત પરિચય ઇષ્ટ છે. અહીં એટલી સ્પષ્ટતા કરીએ કે મનુષ્યનો ગુણ-સમુદાય એ એના દર્શન અને બાહ્યવર્તન (વૃત્ત) વચ્ચેનો, થોડેક અંશે અમૂર્ત પણ મહદ્ અંશે મૂર્ત એવો ભાગ હોઈ, અહીં સાંસ્કૃતિક પાસાની ચર્ચામાં રાજાના ગુણસમુદાયની વાત સમાવી છે. કૌટિલ્યે રાજા અંગેની પોતાના અંતરમાં સ્થિર થયેલી વિભાવના આખા ગ્રંથમાં અનેક અવસરે મન મૂકીને અંકિત કરી છે, રમતી કરી છે. રાજાના પદ માટે ‘વિજિગીષુ’ શબ્દ તો પૂરા ઔચિત્ય સાથે તેમણે પ્રેમપૂર્વક વિશેષ્ય તરીકે જ ચલણી બનાવ્યો છે. એનું વિજિગીષુપણું (વિજયાકાંક્ષીપણું) લોકપ્રતિનિધિ તરીકે છે, લોકવિજયનું પ્રતીક છે એ ન ભુલાય. (સુજ્ઞજનો આજની કહેવાતી લોકશાહીના સત્તાધારીઓની ભૂમિકા આની સાથે જરૂર સરખાવશે.) ગમે તેટલા પરાજયો વચ્ચે રાજા પ્રજાહિતનો તંત મૂકે એમ નથી તેથી તે ‘વિજિગીષુ' કહેવાયો છે. ગાંધીની પરિભાષામાં તે સત્યાગ્રહી છે, તો વિનોબા તેની પુરવણીરૂપે જે ‘સત્યગ્રાહી’ એ પૂરક-ગુણવાચી પદ ઉમેરતા તેવો પણ તે છે જ છે. ભાસકવિએ પોતાના એકાંકી સત્યનું ગ્રહણ કરનારો વર્ઝમામાં કહ્યું છે કે ‘રણભૂમિમાં નિષ્ફળતા નથી” (નાસ્તિ નિતતા રળે). તે પણ કૌટિલ્યોક્ત વાતનો જ પડઘો છે. - = Jain Education International ૧૩૯ રાજાના ગુણ-ગણ વિષેનું કૌટિલ્યનું પૂરેપૂરું તારણ અધ્યાય ક્ર.૬.ના સૂત્ર ક્ર. ૨થી ૬માં, રાજ્યની સપ્ત પ્રકૃતિઓનાં લક્ષણકથનના પ્રસંગે રાજારૂપી પ્રથમ પ્રકૃતિના વર્ગીકૃત ગુણ-ગણ-વર્ણન તરીકે જોવા મળે છે. વળી આની જ પુરવણીરૂપ વર્ણન છે રાજાની દિનચર્યાનું અધ્યાય ક્ર. ૨.શ્માંનું બોલકું વર્ણન. પહેલાં આપણે સર્વાંગી એવું રાજગુણવર્ણન વિગતે તપાસીને રાજા કેવી રીતે નરશ્રેષ્ઠ (‘નરેન્દ્ર’) છે તે બરાબર સમજીશું. અહીં એ ન ભુલાય કે આ ગુણો લોક વચ્ચે જીવનાર અને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy