SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (સમજાવટ-શક્તિ)ને જ કામે લગાડવાની ધીરજ આવે. આવી પ્રક્રિયા જે ધેર્યશીલ રાષ્ટ્રમાં સતત ચાલતી રહે, તે રાષ્ટ્ર, સંસ્કૃતિ કેવી ટકાઉ અને હૃદયગ્રાહી ચીજ છે તે બતાવી અનેક સન્નિષ્ઠ રાષ્ટ્રોને રચનાત્મક પ્રવૃત્તિઓમાં પ્રેરી શકે. આપણે રાષ્ટ્રજીવનનાં જુદાં-જુદાં મૂર્તિ પાસાંને એક પછી એક હાથ ધરીને તેનું અસલ સાંસ્કૃતિક સ્વરૂપ જાળવવામાં રાજ્યતંત્ર કેવી-કેવી રીતે સહાયભૂત થઈ શકે તે તપાસતાં જઈશું. રાજા પોતે જ રાષ્ટ્રજીવનનું પાયાનું પરિબળ હોઈ તેનાથી આરંભ કરીશું. રાજર્ષિ : શીલ અને દિનચર્યા (વૃત્ત). શીલજન્ય ગુણો : અનેક અજ્ઞાની, બ્રાંત, પીડિત જનોથી ભરેલો આ સંસાર નર્યો જડ કે પરિવર્તનથી સાવ વિમુખ તો નથી જ હોતો. સંસાર ઊજળા દૃષ્ટાંત આગળ ઝૂકે છે. માનવમાત્રમાં પડેલું શ્રદ્ધાતત્ત્વ શ્રદ્ધયને નિત્ય શોધે છે. સામાન્યજન પોતે જે અવસ્થામાં હોય છે તેમાં પોતે અનિચ્છાએ ધકેલાયો હોવાનું પણ એને ઊંડે ઊંડે લાગે છે. “મહાભારત'માં અન્યત્ર કહ્યું છે : ““સપુરુષોમાં જે વિશ્વાસ બંધાય છે તે તો પોતાની જાતમાં પણ હોતો નથી.” વિશાળ પ્રજાસમૂહની આવી અનન્ય શ્રદ્ધાનું કેન્દ્ર બની શકે તેવી પ્રતિભા, કાળક્રમે, સર્વપ્રજાક્ષિક અને પાલક એવા રાજામાં મૂર્ત થઈ. પ્રજાનું ઉન્નતિકર રંજન (અનુરન) કરવાની ક્ષમતાથી જ તેને “રાજા' એવું બિરુદ મળેલું; તો વળી મનુષ્યના ઉત્તમ ગુણોના પ્રતિનિધિ તરીકે તે ‘નરેન્દ્ર (નરોમાં ઇન્દ્ર જેવો અર્થાત્ નરશ્રેષ્ઠ) કહેવાયો. ભારતીય સમાજવિધાન પ્રમાણે રાજા ક્ષત્રિય તરીકે “ગો-બ્રાહ્મણ-પ્રતિપાલક' (‘ગુણસમૃદ્ધ પોષણ આપતા ગો-વંશનો અને જ્ઞાન-શીલ-તપના ઉપાસક, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણવર્ણનો રક્ષક) ગણાયો. વિશેષે તો ક્ષત્રિયતા સાથે ભારતવર્ષમાં વિશિષ્ટરૂપે ગૂંથાયેલી ઉદાર દર્શનશક્તિને કારણે રાજા બ્રાહ્મણો અને ઋષિઓના સર્વપ્રજાહિતકર સાંસ્કૃતિક આદેશોને સાદર ઝીલીને તે બધાનો પ્રવર્તક બની રહ્યો. ક્ષત્રિયતા સાથે ગૂંથાયેલી ઉચ્ચતમ પ્રાણશક્તિ પર ઉચ્ચ કેળવણી દ્વારા ઉત્તમ પ્રજ્ઞાનો પુટ ચઢ્યો, તેની નથ ઘલાઈ. આમ અસલ રાજત્વનો પિંડ અભિમાન અને ઝનૂનથી નહિ પણ વિનીત એવી સર્વહિતકર કર્મશીલતાથી બંધાયેલો હોય છે. તેનામાં અતિરેકી ક્રિયાથી જન્મતી માઠી પ્રતિક્રિયાનું ચોખ્ખું ભાન હોઈ પોતાનું પ્રત્યેક પગલું સુચિંતિત હોય તેવી તેની નિત્યની જાગૃતિ રહે છે. કાળક્રમે, રાજાનું મુખ્ય કર્તવ્ય માત્ર શસ્ત્રપ્રયોગ દ્વારા પ્રજારક્ષણનું ન રહેતાં, ભૂમિદત્ત પ્રાકૃતિક સંપત્તિમાંથી વ્યાપકપણે માનવજીવન વધુ સુખપૂર્ણ અને અનુકૂળ બને તેવાં સાધનસંપત્તિના ઉત્પાદનમાં પ્રજાને સારી રીતે પરોવવાનું બની રહ્યું. એટલે એની એક અભિનવ ઓળખાણ બની રહી “અર્થપતિ' તરીકેની. વળી આ અર્થોત્પાદનનું લક્ષ્ય પણ સાંસ્કૃતિક વિકાસરૂપ - બલ્ક આત્મવિકાસરૂપ – રહ્યું. અહીં આપણે રાજત્વ કેટલી માનવીય ઊંચાઈને આંબી શકે તેની વિચારણા કરીએ છીએ તે ન ભુલાય. એવી ઉચ્ચતા વિશાળ દેશ-કાળ-પટમાં થયેલા અગણિત રાજાઓમાંથી ભલે થોડા જ રાજાઓમાં મૂર્ત થઈ હોય, પણ તેવા થોડા રાજાઓ પણ જુદા-જુદા દેશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy