SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન-ત્રીજું જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા સમિ(ઈંધણ)રૂપ નમ્ર અર્ધ્ય અર્પીને, વિધિપૂર્વક દીર્ઘકાળ ગુરુચરણ ઉપાસીને એકાગ્રતાથી ઝીલેલું શ્રુત (વિદ્યાપ્રવચન) શિષ્યમાં ઊજળું શીલ (ચેતનાની સર્વાંગી શિષ્ટતા કે આત્મવત્તા) અને સંસાર-વ્યવહારમાં જોડાતાં જ તેને ઉજાળે તેવું વૃત્ત (સર્વક્ષેત્રીય વ્યવહાર-કૌશલ) સાકાર કરે છે એ વાત આગલા વ્યાખ્યાનમાં શીતવૃત્તાં શ્રુતમ્ એ મહાવાક્ય અન્વયે કરેલી. આવા શિક્ષણના બળે જ મનુષ્ય સંસારક્ષેત્રમાં સમયોચિત નવાં-નવાં સંસ્કૃતિ-આકારો મૂર્ત કરી શકે છે. રાજનીતિ-ક્ષેત્રને પણ આ વાત પૂરેપૂરી લાગુ પડે છે. અગાઉના વ્યાખ્યાનમાં નિર્દેશેલો રાજપુરુષનો વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય સ્વરાષ્ટ્રમાંનાં, પરિવારરૂપ પાયાનાં સામાજિક ઘટકોથી માંડીને સમસ્ત રાષ્ટ્રના સ્વરૂપને અને તેની સીમા બહારના સમસ્ત રાજમંડલ સુધીનાં મૂર્ત સંગઠનોના સ્વરૂપને સાંસ્કૃતિક અને વધુ સંવાદી એવો અભિનવ ઘાટ કે આયામ (dimension) આપી શકવાની ક્ષમતા ધરાવે છે. જેમ કાવ્યસર્જન જેવા અત્યંત સજીવ ને રચનાત્મક ક્ષેત્ર અંગે કહેવાયું છે કે ‘‘જો પ્રતિભાગુણ હોય તો નવા-નવા કાવ્યાર્થોને મૂર્ત કરવામાં કોઈ સીમા કે મર્યાદા નડતી નથી.૧', તેમ રાજનીતિ જેવા દુન્યવી લાગતા ક્ષેત્રમાં પણ જેની ઊંચા દર્શનરૂપ પ્રતિભા બરાબર ખીલી હોય, તેને સમસ્ત રાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રોમાં નવાં જ માનવીય સાંસ્કૃતિક લક્ષ્યો મૂર્ત ક૨વાનું કે છેવટે તેનો આરંભ કરવાનું સૌભાગ્ય અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. આગલા વ્યાખ્યાનમાં વર્ણવેલું બહુ-આયામી કે વૈવિધ્યપૂર્ણ મૂલ્યદર્શન જે રાજપુરુષમાં સ્થિર થયું હોય અને જેની નિપુણ પ્રતિભા થકી અને ઉચ્ચ ભાગ્યશક્તિ થકી પોતાની આસપાસ ચુનંદુ અધિકારીવૃંદ, કાર્યકરવૃંદ અને સેવકવૃંદ પણ જામ્યું હોય, બલ્કે જમાવાયું હોય, તેવો રાજા અવશ્ય સ્વરાષ્ટ્રમાં અને અવસરે સમસ્ત રાજમંડલમાં નવી સાંસ્કૃતિક સંભાવનાઓ મૂર્ત કરી શકે એમ બને. ભલે રાજાની દર્શનશક્તિ અસાધારણ ન હોય, પણ છતાં તેની પ્રકૃતિ ઠીક-ઠીક સંસ્કારી અને નવા-નવા સંસ્કારો માટેની રુચિ ધરાવનારી હોય, તો પણ તેના રાષ્ટ્રનાં વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રો ટકાઉ ક્ષમતાવાળાં અને સચેતનો માટે કલ્યાણોની પરંપરા સર્જનારાં બની શકે છે. આગલા વ્યાખ્યાનમાં નિર્દેશેલાં દાર્શનિક મૂલ્યોના, વ્યવહારમાં કરેલા અમલથી રાષ્ટ્રનાં વિવિધ તંત્રો કેવી વિવિધક્ષેત્રીય સાંસ્કૃતિક ઊંચાઈ સિદ્ધ કરી શકે તેની વાત આ વ્યાખ્યાનમાં કરીશું. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે જો દર્શનશક્તિ પ્રથમ કક્ષાની અને મૌલિક એટલે કે રાજાની પ્રતિભાનું અંતર્ગત અંગ બની ગયેલી હોય, તો વ્યવહારમાં એનું પૂરું અવતરણ અવશ્ય થાય અને એનાં ચોખ્ખાં પરિણામો પણ દેખાયાં વિના ન રહે. દર્શનશક્તિ જેટલી વિનયયુક્ત અને ઘૂંટાયેલી, તેટલા પ્રમાણમાં તેમાંથી ખિલવાયેલી સંસ્કૃતિ નિત્ય લચીલી બની લાંબું ટકે. દર્શનની નિર્મળતા અને ઉજ્જવળતા જેટલી ઊંચી, તેટલે અંશે ક્રિયાશક્તિમાં સાતત્ય અને દઢતા આવે અને નિયમનોનો પાકો અમલ કરાવવામાં પણ વિનયયુક્ત અને વત્સલ એવી રાજકીય અનુનયશક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy