SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૨૫ અન્યાયથી લૂંટે તો તે લૂંટ ગણાય અને એક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર કે રાષ્ટ્રોનું ધન અન્યાયથી લૂંટે તો તે વિજયલક્ષ્મી કહેવાય – એવા જુદા માપદંડ કૌટિલ્યને માન્ય ન જ હોય. આવો સર્વકલ્યાણ અર્થે અનામત રખાયેલો કોશ ખુદ રાજા, રાજકુળ, ઉચ્ચ સત્તાધારી રાજપુરુષો કે રાજાના હાલેશ્રીઓ દ્વારા પણ કદી ન વેડફાય એનું ધ્યાન દક્ષ-તટસ્થ રાજયતંત્રે અહર્નિશ રાખવું ઘટે. એ કોશ સાથે છીછરી છેડછાડ કરનાર કે ચલાવી લેનાર રાષ્ટ્રના ચારિત્ર્યનું અને ભાગ્યનું તળિયું આવી રહ્યું એમ જ સમજવું. રાજ્યાંગો મધ્યે કોશને છેક પાંચમા સ્થાને મૂકીને પણ કૌટિલ્ય એને માત્ર અનામત રાજ્યાંગ તરીકે ઘોષિત કરીને સરવાળે જનપદની નિત્ય-ઉસ્થિત, અડીખમ પ્રતિભાને જ સર્વોચ્ચ મહત્ત્વ આપ્યું જણાય છે. એ પણ ન ભુલાય કે હમણાં યાદ દેવડાવ્યું તેમ અસાધારણ સંજોગોમાં, કોથહીન રાજાએ માનવની પૂર્ણ પ્રતિભાથી, તટસ્થપણે ને ઝનૂની કે જુલ્મી વ્યવહાર વિના સર્વ ઉપાય કરી છૂટવાનું છે. તેથી આગળ વધી, છેવટે અન્ય રાષ્ટ્રો સાથેના વિવિધ પ્રકારના સંબંધોનો ઉપયોગ કરવાની અનેક અનુભવસિદ્ધ વિગતો સાતમા પાગ્ય અધિકરણમાં આપી છે. ને છેવટે કોશ પણ જાય ત્યારે રાજાએ સ્વપ્રતિભાનો અને કીમતી સ્વપ્રાણોનો કોશ કદી ન છોડવાનું અને તે રક્ષવા ગમે તે કરી છૂટવાનું ધૈર્ય ને સમત્વ જાળવવાની સર્વકાલીન પ્રેરણારૂપ વાત પણ કૌટિલ્ય દિલદાર બનીને સૂચવી છે. તે જ રીતે કૌટિલ્ય છઠ્ઠા દંડરૂપ રાજ્યાંગને પણ આવું અનામત રાજ્યાંગ ઠરેલપણે માન્યું છે. આજના યુગમાં અણુશસ્ત્રો વિષેનો એક ખૂબ ઠરેલ અભિપ્રાય આવો છે : ““અણુ-શસ્ત્રનો ઉત્તમ ઉપયોગ છે તેને ન વાપરવું તે !” એવો જ અભિગમ દંડ વિષે એકંદરે રાખવાનો છે. તો સામે પક્ષે કોશની જેમ દંડની પણ આવશ્યક્તા ઊભી થાય તો તેની જમાવટ માટે બુદ્ધિ-આશ્રિત બધા ઉપાય કરી છૂટવા. રાષ્ટ્રને ભયભીત કરનાર સામે પાકો ડારો તો ઊભો કરવો પડે; ન ડરી જવાય કે ન પલાયન કરી જવાય. દંડના એટલે કે સૈન્યના વિવિધ પ્રકારોની કૌટિલ્ય કરેલી ચર્ચા પણ ઘણું કહી જાય છે. અધ્યાય ૧.૨ના પૂર્વાર્ધમાં એની સવિસ્તર ચર્ચા છે. દંડ સામાદિ ચાર ઉપાયોમાં પણ છેલ્લે અજમાવવા લાયક ઉપાય છે એ વાત કૌટિલ્ય વારંવાર ઘૂંટી છે. તેઓ ધ્યાન દોરે છે કે એના ઉપયોગમાં બંને પક્ષે ક્ષય, વ્યય અને દીર્ઘ-પ્રવાસરૂપ મોટા ગેરલાભો કે મોટી બાધાઓ (પ્રત્યવાયા:) છે. યુદ્ધમાં ન સંડોવાવું પડે તે માટે યુદ્ધ અનિવાર્ય કરનાર, અધર્મિષ્ઠતાને વરેલી એકાદ રીઢી વ્યક્તિનો વધ પણ, એ દેશકાળમાં, કૌટિલ્યને ધર્મરૂપ લાગ્યો હતો. દંડ(સેના)ના પ્રકારો તપાસતાં એ ધ્યાનમાં આવે છે કે રાજ્ય પગારદાર (મૃતક) સૈન્ય તો મર્યાદિત જ રાખવાનું છે. સૌથી કીમતી છે પોતાના રાજવંશ પ્રત્યે વંશપરંપરાગત વફાદારી ધરાવતું, નિર્ચાજ ભક્તિ ધરાવતું સૈન્ય – મૌન અર્થાત્ ઊંડાં મૂળ ધરાવતું સૈન્ય. વળી એક પ્રકાર છે શ્રેજી-સૈન્ય – કોઈ વિશિષ્ટ જનજાતિએ પોતાના હેતુઓ માટે પોતાના સમુદાયમાંથી જ સંગઠિત કરેલું સ્વતંત્ર સૈન્ય. તે વિશિષ્ટરૂપે કસાયેલું, પણ પોતાના સંગઠન તરફની પ્રથમ વફાદારી ધરાવતું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy