SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પડેલો કોઈ લાંબો ને વસમો – કુદરતી કે મનુષ્યકૃત – આપત્તિકાળ, કે જેમાં નવી આવક સદંતર બંધ હોય, તે પાર કરવાનો છે. તે દૃષ્ટિએ તેમાં જીવનની પ્રાથમિક-જરૂરિયાતરૂપ ચીજો નહિ, પણ ઊંચા પ્રતીકમૂલ્યવાળી અને સર્વ રાષ્ટ્રોને માટે સ્વીકાર્ય – સોનું, રૂપું, વૈવિધ્યયુક્ત રત્નો અને રોકડનાણું - જ પ્રધાનપણે ખૂબ વિપુલ પ્રમાણમાં હોય તે જરૂરી છે. આ વસ્તુઓ ભલે સીધી ખવાય-પિવાય નહિ, પણ તેની મૂલ્યવત્તા આંતરરાષ્ટ્રીય-રૂપે બિનવિવાદાસ્પદ ને સર્વસ્વીકૃત હોઈ જીવનજરૂરિયાતોની છતવાળાં અન્ય રાષ્ટ્રો પાસેથી તે વસ્તુઓ મેળવવામાં તે પ્રતીકસંપત્તિ પૂર્ણપણે ચલણી બની રહે તેમ છે. યુગોથી ચાલતી આ જગત-વ્યાપી વિશ્વાસ-વ્યવસ્થા આજે પણ રાષ્ટ્રોએ નભાવેલી સોનાની અનામત (bullion કે sterling) તરીકે ચાલુ જ છે. આ વર્ણનનો મહત્ત્વનો ફલિતાર્થ પણ ધ્યાન-બહાર ન જાય. કોશની સંપત્તિ સામાન્ય કાળમાં વેડફવા-વાપરવા માટે નથી જ નથી; એ તો ખરેખર કોઈ રાષ્ટ્ર સંચિત કરેલી સર્વરાષ્ટ્રમાન્ય એવી ટકાઉ શાખ(credit)નું કે સ્થાયી આબરૂનું પ્રતીક છે – જે રાષ્ટ્રના કાયમી મંગલના પ્રતીકરૂપે ઇષ્ટદેવની મંત્રાભિષિક્ત મૂર્તિની જેમ પૂજા-આદરથી પૂરી અદબ સાથે જાળવી રાખવાની છે; એની સાથે કોઈ છેડ-છાડ સ્વપ્ન પણ નથી કરવાની. એ રાષ્ટ્રના સુદીર્ઘકાલીન શીલનું, તન્ય ઊંચી આબરૂનું મૂર્ત પ્રતીક છે – જેને રાષ્ટ્રના ભાગ્યદેવતાની આજ્ઞા મુજબ જ આપત્તિકાળ તરવા વિવેકથી વાપરવાની છે અને પાછી વહેલામાં વહેલી તકે એની એવી ઘટ પૂરી કરવામાં પ્રસાદ કરવાનો નથી; જો કે વસમા કાળની તરત પછી તો એ કાર્ય અશક્ય જેવું પણ લાગે. એ જ રીતે ઘટ પુરાયા વગરનો કોશ હોય ને વળી કોઈ આપત્તિ આવી પડે તો તે વખતે કોશ માટે દ્રવ્ય-સંચય કરવા લોકમનોવિજ્ઞાનનો આધાર તેમ જ કમાતા વર્ગો પર થોડી વધારે રાજકીય ભીંસનો પ્રયોગ – એમ વિવિધ નવી રીતો કૌટિલ્ય પ્રધાનપણે સૂચવી છે તે ખૂબ નોંધપાત્ર બાબત છે. આ માટે અગાઉ ગ્રંથપરિચય વખતે પાંચમા અધિકરણના કોશfમસંદરમ્ પ્રકરણની થોડી વાત કરેલી છે. વળી કોઈ આક્રમણ વખતે આખા કોશને સરહદ પર કે કોઈ અજાણ્યા સુરક્ષિત સ્થાને ખસેડવાની જોગવાઈ પણ કરવી પડે છે. એ માટે કોશ અત્યંત મૂલ્યવાનું દ્રવ્યોનો હોવા પર ભાર છે, જેથી તેના પરિમિત કદને લીધે સફળ અને સરળ રીતે તેનું સ્થાનાંતર થઈ શકે. આનો અર્થ એ પણ ખરો કે સામાન્ય આપત્તિકાળ તો ખાસ અનામત રાખેલા જીવનજરૂરિયાતોના વિપુલ, વૈવિધ્યપૂર્ણ કોઠારના ટેકા સાથે શક્ય તેટલો પ્રજા-ઉદ્યમ જીવતો રાખવાના રાજ્યતંત્રીય અભિક્રમો અને વ્યક્તિગત અભિક્રમો દ્વારા જ કરવાનો છે. જેમ આજનો ઠરેલ વાહનચાલક અનામત ઊર્જાનો ન્યૂનતમ ઉપયોગ કરીને તેને અનામત જ રહેવા દે છે, તેવી નીતિ રાખવાની છે. આનું જ તો નામ છે ને ઇન્દ્રિયસંયમ-સ્વરૂપ અર્થશાસ્ત્ર (અર્થ સાથેનો શાસ્ત્રશુદ્ધ, પ્રકૃતિવિજ્ઞાન-આધારિત વ્યવહાર) ! કોશ વિષેનો આવો સ્વાવલંબનપ્રધાન ઉમદા વિવેક જે રાષ્ટ્રમાં હોય, તેને ધનભૂખ્યા વિજિગીષ બનીને પોતાના પશુબળને આધારે અનેક રાષ્ટ્રોનાં કીમતી ધનને (આજના અમેરિકા જેમ!) લૂંટ્યા કરવાની નાદારી અને નાદાની ભાગ્યે જ દાખવવી પડે. વ્યક્તિ અન્યનું ધન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy