SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧ ૨૩ જોગું વ્યવસ્થિત સ્થળાંતર કરાવવું એમ કહેવાયું છે. (હા, કાઠા શત્રુને હંફાવવા જ શત્રુ-દેશની ખેતીની નવી વાવણીને ઉખેડી નાંખવાની વાત કે તાજા લખેલા પાકને લૂંટી લેવાની વાત રાજનૈતિક વ્યુહરચના તરીકે આવે ખરી.) વિનોબાજીએ અભિનવ ભૂમિ-વહેંચણી-આંદોલન આરંભેલું, ત્યારે બહુ જ માર્મિક રીતે કહેતા કે ગ્રામદાન (ક ગ્રામસ્વરાજય) તે ‘ડિફેન્સ-મેઝર' (રાષ્ટ્રસુરક્ષાનો ઉપાય) છે. આ વાત ભારતની પ્રાચીન સાતત્યયુક્ત પરંપરાની પૂરી પરખથી ગંભીર ભાવે, તટસ્થ બુદ્ધિથી, સાચી વસ્તુસ્થિતિના પ્રગટનરૂપે જ કહેવાયેલી. સમજવા બુદ્ધિ ખુલ્લી હોય તો આજે તો અણુબોંબના અભરખાઓ વચ્ચે એ વાત અત્યંત પ્રસ્તુત છે. વિકેન્દ્રિત સંપત્તિનો અને તેનાથી ય વિશેષ, તેવી સંપત્તિના નિર્માણની ક્ષમતા ધરાવતી વિકેન્દ્રિત જીવનકળાનો નાશ કરવો મુશ્કેલ છે. દુર્ગરૂપ રાજ્યાંગનું મહત્ત્વ સામાન્ય સંજોગોમાં આખા રાષ્ટ્રનાં કાયદો-વ્યવસ્થાની જાળવણીનું સમગ્ર સંકલન કરવામાં, રાષ્ટ્રવ્યાપી આર્થિક પ્રવૃત્તિઓનું અને કરગ્રહણનું સંકલન-સંચાલન કરવામાં, ગુપ્તચર પ્રવૃત્તિઓનાં સંકલન-સંચાલન કરવામાં અને રાજપરિવાર ઉપરાંત મંત્રીઓઅમાત્યો સહિતના ઉચ્ચતમ અધિકારીઓને સારી રીતે વસાવી એમને સાબદાં-શુદ્ધ રાખવામાં રહેલું છે. દુર્ગનો “પુર' એવો પ્રાચીન વૈદિક પર્યાય સૂચવે છે તેમ આપત્તિકાળમાં પ્રજાને જરૂરી રક્ષણ કે આશ્રયસ્થાન આપવામાં, શત્રુના ઘેરા સામે ઝીંક ઝીલી શત્રુને મારી હઠાવવામાં તેનો ખપ રહેતો. દુર્ગ એક રીતે માનવ-શરીરમાંના મગજ જેવું કામ કરે છે – મગજ જ્ઞાનતંતુઓના સંદેશાઓ ઝીલે છે અને સંદેશ લઈ જનાર જ્ઞાનતંતુઓ દ્વારા તે તે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને સમગ્ર શરીરતંત્રને આદેશો પણ આપે છે. સાથે એ પણ ન ભુલાય કે સત્તા અને સંપત્તિના વધુ પડતા કેન્દ્રીકરણને કારણે દુર્ગ એ ચોરી, ધાડ, કાવાદાવા, રાજવિદ્રોહ જેવી બદીઓનું પણ ધામ બની રહે છે. આ પરિસ્થિતિમાં રાજાની વ્યક્તિગત ચર્યા જેટલી શુદ્ધ, તેને કુલપરંપરાથી મળેલી શાસનની દીક્ષા અને તાલીમ જેટલી સગીન અને ઉદ્યમ-નિષ્ઠ, તેમ જ મંત્રીઅમાત્યાદિની ચર્યા જેટલી નિત્ય-સુપરીક્ષિત, તેટલું રાજ્યતંત્ર વધુ કાર્યક્ષમ અને જયવંતું. કૌટિલ્ય રાજમહેલ અને તેમાંના રાણીવાસ સહિતની રાજધાની કેવું અગ્નિગૃહ (કાલિદાસે પોતાના એક ઉત્તમ નાટકમાં એક તાપસના પારદર્શી કથનમાં રજૂ કરેલા હતવપરીત ગૃહમ્ – આગથી ઘેરાયેલા ઘર રૂપ) છે તે જાણે છે. તેથી જ તેમણે અધ્યાય ૨.૨૬માં રાજાની અપ્રમત્ત, ઋષિતુલ્ય (સાંખ્યદર્શન-પ્રરૂપિત શુદ્ધ પુરુષતુલ્ય !) દિનચર્યા આકારી છે અને પછીના અધ્યાયમાં રાજમહેલમાં સંભવતા મનુષ્યકૃત દુરાચારોથી રાજાએ પોતે કેવી નિપુણતાથી બચવું તેનું પણ વાસ્તવદર્શી વિસ્તૃત નિરૂપણ કર્યું છે. રાજાની દિનચર્યાનો પ્રાતઃકાલીન કાર્યારંભ ન્યાય-ઝંખના સાથે પ્રજાવર્ગોમાંથી છેક રાજધાની સુધી આવેલી ભાતીગળ વ્યક્તિઓને, ચોક્કસ અગ્રતાક્રમ જાળવીને, અલ્પતમ વિલંબે (દ્વારા સન્ – દરવાજે વધુ રોક્યા વિના) અપાતી ધીરજભરી મુલાકાતથી થાય છે એ પણ ઘણી જ મહત્ત્વની વાત જણાય છે. કોશરૂપ રાયાંગનું ટૂંકું વર્ણન પણ માર્મિક છે. કોશ રાજાએ પોતે કે તેના પૂર્વજોએ ધર્મથી સંચિત કરેલો હોય તે ખૂબ ઊંચી વાત આરંભે જ કહી છે. આવા કોશનો અસલ હેતુ તો આવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy