SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વચ્ચે પણ પોતાની મૂળ રચનાત્મક રાજનીતિ પ્રત્યેની ઘડાયેલી રુચિ જાળવી રાખે છે અને જ્યાં અને જ્યારે આવા સૈનિકી કાર્યકલાપ વચ્ચે પણ તક મળે ત્યાં તેને પુરસ્કારી જાણે છે. ૧૨૨ સાત પ્રકૃતિઓમાં સ્વામી અને મંત્રીને યાદીના આરંભે મૂકવાની આવશ્યકતા, અગાઉ ‘લોકપૂજા’ના મુદ્દામાં ચર્ચી છે. રક્ષણ, અસહાયોનું પાલન, અર્થપ્રવૃત્તિઓનું આવશ્યક સંકલન, ગ્રામનિર્માણમાં જરૂરી સહકાર, માર્ગનિર્માણ-માર્ગસુરક્ષા જેવી પાયાની સામાજિક સવલતોનું નિર્માણ, ન્યાયસ્થાપના, કંટકશોધન જેવાં સમાજસંરક્ષક કર્તવ્યો માટે રાજાનું પ્રતિભાબળ, સંયમજન્ય આત્મબળ અને અમાત્યો સહિતના મંત્રીઓનું બુદ્ધિબળ-વ્યવસ્થાપનબળ અનિવાર્ય હોઈ તે બે રાજ્યાંગોને પ્રાથમિકતા અપાઈ છે. જ્યાં સુધી પાંખા આત્મસ્થાપનવાળો કે તેવા જ સંગઠનવાળો સમાજ ઘાંઘો થઈને જ જીવતો હોય, ત્યાં સુધી આત્મસંયમ દ્વારા આત્મબળ પામેલા, ભલે નાના સંખ્યાબળવાળા પણ મહત્ત્વના મનુષ્યો જ, ‘એક દીવે લાખો પેટાય' એ ન્યાયે આખા સમાજની સ્થિર ઉન્નતિ માટે અને સામુદાયિક શક્તિ માટે રાજા/મંત્રી-પદ સ્વીકારીને ભાગ ભજવે તે જ કાલ-સાપેક્ષ ઈશ્વરેચ્છા ગણાય. જેમ-જેમ આત્મબળશાળી મનુષ્યોની સંખ્યા બરાબર વિસ્તરતી જાય, તેમ-તેમ રાજા-મંત્રીની કે બાકીનાં રાજ્યાંગોની આવશ્યકતા અવશ્ય બદલાય એ ગાંધીયુગને પારખનારા અભ્યાસીઓને સમજાયા વિના નહિ રહે. દરેક વ્યક્તિ સંયમબળે પૂર્ણ બને, પોતે જ પોતાના પર શાસન કરે, ત્યારે તો હોંસા-તૂંસીમાંથી, ઝઘડા-રગડામાંથી બહાર નીકળી ગયેલા અભૂતપૂર્વ નવા સમાજ માટે લૌકિક અને દિવ્ય બંને સ્તરના જીવનની અપૂર્વ સાધના જ નિરંતર સહયોગવૃત્તિથી કરવાની બાકી રહે. એવું સ્વપ્ન કેમ ન સંઘરીએ ? કેમ ન પોષીએ ? કેમ ધરાતલ પર ન લાવીએ ? બાકી પોતાના સમયના સિદ્ધ થયેલા અનેક લોકગુણો પારખીને અને પુનઃ પુનઃ અનુભવીને કૌટિલ્યે પોતાની ગુણજ્ઞતાથી અને સમયની પરખથી બહુ જ સ્પષ્ટપણે જનપદ અને દુર્ગ એ બે અંગો વચ્ચે જનપદને જ અગ્રતા આપી છે. આ વસમા કાળમાં એ કહેવું તો મુશ્કેલ છે કે ભલે નામની – લોકશાહીઓ છતાં રાજ્યાંગ તરીકે લોકને પ્રથમ ક્રમ ક્યારે, કેવી રીતે મળશે. તો યે ખરા માનવપ્રતિનિધિઓ એવા દિવસનું સ્વપ્ન તો સાચવી જ રાખશે. વિશ્વવ્યાપી - જનપદ એ ખરેખર તો માનવજીવન નરવી-નૈસર્ગિક રીતે જીવવાનું સહજ મહાસ્થાન છે. જનપદની લક્ષ્મી સર્વપોષક હોઈને જ ‘લક્ષ્મી' નામને પાત્ર છે. એ લક્ષ્મી ચિત્તને લલચાવીને વિકૃત કરનારી, અસાધારણ લોભથી સમાજ પ્રત્યેના દ્રોહ દ્વારા સંચિત થનારી કે સડનારી હોતી નથી. એટલે તો યુદ્ધકાળે પણ જનપદના જીવનને પ્રાયઃ વીંખવા-પીંખવામાં આવતું નથી. ત્યાં કીમતી લક્ષ્મીનું સર્જન બહુ હાથો દ્વારા બહુ બધાં મોઢાં માટે થાય છે. તેથી જનપદ ખૂંખાર લૂંટારાઓનું લક્ષ્ય ભાગ્યે જ બને છે. (સંચયની મૂર્ખામીથી જ જીવનારા ‘આ વત્તા, પડ ાતા' એ ન્યાયે અભાગિયાઓ ન કહેવાય ?) જનપદવાસીઓની ગુપ્ત ખમીરે ભરેલી છતાં ભભકા વગરની જીવનપદ્ધતિ દુષ્ટ તત્ત્વોનાં લોભ-લાલચને ભડકાવે તેવી હોતી નથી. કોઈ વિજિગીષુ જ્યારે શત્રુ ઉપર આક્રમણ કરવા ધારતો હોય, ત્યારે તેણે આડકતરી રીતે પણ ગ્રામીણ પ્રદેશની પ્રજાને જરૂર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy