SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧ ૨૧ પૈકીનાં ધાર્મિક ભદ્ર પ્રકૃતિનાં સહયોગી રાષ્ટ્રો (રાજ્યતંત્રો) સાથે પારસ્પરિક આદર, સંયમ અને વફાદારીના બળે ટકાઊ મૈત્રી કેળવવાનું પણ શક્ય બનતાં રાજયશાસન-વ્યાપારમાં પ્રસંગે-પ્રસંગે તેનો પણ સહયોગ લેવાતાં મિત્ર(મિત્રરાજય)રૂપ અભિનવ રાજ્યાંગ પણ સ્થાયી બન્યું. આમાં કયા અંગનો કેવો ને કેટલો ઉપયોગ કરવો એ શાસકોના સંસ્કાર પ્રમાણે અને પ્રજાજીવનના ભૌતિક-સાંસ્કૃતિક સ્તર મુજબ નક્કી થતું હોય છે. લાંબે ગાળે વિવિધ રાષ્ટ્રો ચાલુ જમાનાને નાણીને, પોતાના અને પડોશી રાષ્ટ્રોના વ્યવહારોને, અનુભવોને તપાસીને કંઈક એકધારી રીતે આ અંગોનો મહત્તાક્રમ તારવતાં ને ગોઠવતાં પણ જોવા મળે છે. અલબત્ત, એનો નિર્ણય દેશકાળ મુજબ બદલાઈ શકે; બદલવો પડે. એ રીતે કૌટિલ્ય પણ કેટલાંક સ્થાયી, ઠરેલ, વસ્તુલક્ષી ધોરણોના આધારે અગાઉ બતાવ્યા મુજબનો મહત્તાક્રમ આ રાજયાંગો વચ્ચે ઠેરવ્યો છે. એની કેટલીક ચર્ચા ‘લોકપૂજા'ના મુદ્દા સાથે અગાઉ ગૂંથી લીધી છે. કૌટિલ્ય-પ્રતિપાદિત આ મહત્તાક્રમ એ સૂચવે છે કે તેમણે કહ્યુંલું રાષ્ટ્ર પ્રજાના સ્વયંભૂ જીવનને નૈસર્ગિક ક્રમે પાંગરવા દેવા માટે છે. સાંસારિક સુખ-શાંતિ અને પરમ કલ્યાણ એ બંને સધાય તેવી જીવનની પાયાની નવી સર્વ જરૂરી ચીજો કે સેવાઓ સાર્વત્રિક રૂપે, સર્વ પ્રજાવર્ગોને સ્વનિર્ભરપણે (સ્વાવલંબનથી) મળી રહે તેવા સર્વોદયકારક સર્વાગી અર્થોત્પાદનની ઘનિષ્ઠ પ્રવૃત્તિનું પ્રાધાન્ય ધરાવતું રાષ્ટ્ર કૌટિલ્યને ઇષ્ટ જણાય છે. તે માટે રાષ્ટ્રના ઉચ્ચાવી સર્વ ભૂ-ભાગોની અપ્રમત્તપણે મહત્તમ ખિલવટ થતી રહે તેવું જાગૃત-સક્રિય રાજ્યતંત્ર કૌટિલ્ય આકાર્યું છે. સપ્તપ્રકૃતિનાં લક્ષણ-વર્ણનમાં જનપદનાં જે લક્ષણો કહ્યાં છે તે પૈકીનું એક લક્ષણ બતાવતું આ વિશેષણ ખાસ ધ્યાન ખેંચે એવું છે : સાર-વિત્ર-વૈદું-પN: એટલે કે જનપદ શ્રેષ્ઠ, વૈવિધ્યસભર, પુષ્કળ માલ તેનાં સર્વ બજારોમાં સુલભ રહે તેવું હોવું જોઈએ. આ લક્ષણ મનુષ્યયત્નસાધ્ય હોઈ વિકેન્દ્રિત એવા મહત્તમ સર્વ-પ્રાકૃત પુરુષાર્થ દ્વારા જ તે સિદ્ધ કરવા અને નિત્ય નિભાવવા માટે તો કૌટિલ્ય ગ્રંથનું સૌથી વિસ્તૃત બીજું અધ્યક્ષપ્રવીર અધિકરણ આલેખ્યું છે. આના ટેકામાં જ ગ્રંથના તરત પછીનાં બે અધિકરણો અનુક્રમે સામાજિક-આર્થિક ન્યાયની સ્થાપના અર્થે અને સમાજનાં વ્યાપક સુખશાંતિ અને પુરુષાર્થને રૂંધનારાં ખૂંખાર અસામાજિક તત્ત્વોના સફળ નિયમન અર્થે આકાર્યા છે. વળી આ ત્રણ અધિકરણોની મજબૂત પૂર્વભૂમિકારૂપે રાજ્યતંત્રના, રાજા સહિતના મુખ્ય નિર્વાહકોના ‘વિનય (તાલીમ + આત્મસંયમ) માટે ગ્રંથનું પ્રથમ અધિકરણ છે. આમ પ્રથમ ચાર અધિકરણો અને એના પરિશિષ્ટરૂપ અધિકરણ પાંચમા દ્વારા કૌટિલ્ય પોતાને ઇષ્ટ એવા આત્મનિષ્ઠ, સ્વાવલંબી, સર્વકલ્યાણાભિમુખ રાષ્ટ્રનો વિસ્તૃત આલેખ આપી દીધો છે. બાકી જેને અંગે કૌટિલ્યની પોતાની પસંદગી સાકાર થવા બાબત દેશ-કાળ અનુકૂળ નથી, તેવી પડોશી રાષ્ટ્રોની વિષમ રાજદ્વારી ચેષ્ટાઓ સામે ઝીંક ઝીલવા તો છટ્ટાથી તેરમા સુધીનાં અધિકરણો પૂરી તટસ્થતા અને પૂરા સામર્થ્ય સાથેની વ્યવહારુતા જાળવીને આકારાયાં છે. ગ્રંથકાર આક્રમક નહિ, પણ આત્મ-ગૌરવ-સંરક્ષક પરદેશનીતિમાં જ માને છે. તે માટે કર્તવ્યબુદ્ધિથી ક્ષત્રિયોચિત સર્વ પ્રખર રણભૂમિવ્યાપારો કે આવશ્યક કૂટનીતિવ્યાપારો માટે સફળ રીતે પૂરતાં જ્ઞાન અને કૌશલ્યો વાપરી શકે છે. આ બધાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy