SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨0 કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અગાઉ જોયેલા કૌટિલ્યોક્ત અગ્રતાક્રમ (મહત્ત્વ-ક્રમ) પ્રમાણે તે સાત પ્રકૃતિઓ આ છે : સ્વામી (રાજા કે વિજિગીષ), અમાત્ય (મંત્રી), જનપદ (રાષ્ટ્ર), દુર્ગ, કોશ, દંડ (સૈન્ય) અને મિત્ર (રાજકીય દષ્ટિએ સહાયક અન્ય રાજા ને તેનું રાજયતંત્ર). આમાં જનપદ જ રાષ્ટ્રનું મૂળભૂત શરીર હોઈ તેને માટે વિકલ્પ થતો “રાષ્ટ્ર એવો સમગ્રવાચી શબ્દનો ઉપયોગ એનો મહિમા સૂચવે છે. અર્થ'ની આપણે જોયેલી કૌટિલ્યોક્ત વ્યાખ્યામાં પણ “મનુષ્યોવાળી ભૂમિ' એમ જે કહ્યું છે, તે દ્વારા પણ આ જનપદની રાષ્ટ્ર તરીકે, પાયાના અંગ તરીકે મહત્તા સૂચવાય છે. જયાં નિસર્ગને ખોળે મનુષ્ય પરિશ્રમ કરતો, ભાવ-ભક્તિ અનુભવતો, સમાજ અને સૃષ્ટિ સાથે તાલ મિલાવતો જીવે છે, તે તળ ગામ-કસ્બા-નેસડાથી છવાયેલો પ્રદેશ તે ‘જનપદ' – જયાં જન પદ (પગલાં) માંડે છે. જયારથી માણસ ખેતી, આવાસ-રચના, રસોઈકળા, માટીકામ શીખ્યો ત્યારથી સ્થિરવાસવાળો રચનાત્મક, શાંતિપ્રધાન કૃષિયુગ આરંભાયો. અનેક ગામોનો બનેલો વાસયોગ્ય મુલ્ક શરૂઆતમાં ‘વિશ” (માનવ-પ્રવેશયોગ્ય વિસ્તાર) કહેવાયો; કાળાંતરે તે ‘જનપદ’ કે ‘રાષ્ટ્ર' પણ કહેવાવા લાગ્યો. મોટા ભાગના માણસો કૃષિ, પશુપાલન, ગૃહોદ્યોગ, વેપાર-વણજ, માલની ખમીરવંતી આયાત-નિર્યાત જેવાં સંકુલ કાર્યોમાં રસ-રુચિથી સ્થિર થવા લાગ્યાં. છતાં આવા કાર્યપટુ, સયોગી સમાજનું અંગ બની રહેવાને બદલે લોકને રંજાડીને જીવવાનો ધખારો ધરાવતાં અસામાજિક તત્ત્વો સમાજના ટકાવ સામેનો એક વસમો પડકાર બની રહ્યાં. એવાં તત્ત્વો બળિયાના બે ભાગ” કે “મોટું માછલું નાનાને ગળે' (‘માસ્યન્યાય') એવા ન્યાયમાં જ સમજતા હતા. જયારે બાકીનો શાંતિચાહક વર્ગ બહુમતીમાં આવ્યો અને આવા સમાજભંજકોને વશ કરવા માટેની આવશ્યકતા અને શક્યતા એ બંનેની પૂરી પ્રતીતિ તેને થઈ, તે તબક્કે એની નજર બાહુબળિયા પણ સમાજરક્ષક વૃત્તિ ધરાવતા ક્ષત્રિયવર્ગ અને તેમાંના ઉચ્ચતમ વંશના નરશ્રેષ્ઠ પર સ્થિર થઈ. માસ્યન્યાય રોકવામાં તેને નેતૃત્વ લેવા વિનવીને પોતે ય તેનો આજ્ઞાંકિત સહયોગી બની રહેવા તત્પર બન્યો. એમ શાસનપદ્ધતિનો પાયો નંખાયો. શાસનક્રિયા પણ કેવળ પ્રાણાધારિત નહિ, પણ “પ્રજ્ઞા-શૌચ”-પ્રધાન બનીને ગરવી અને કાર્યસમર્થ બની શકે એવી પ્રતીતિના તબક્કે મંત્રી-મડળ' રૂપ અંગ ઉમેરાયું. શાસન અસામાજિક તત્ત્વોની દખલ વિના બરાબર સુરક્ષિત અને એકાગ્ર રીતે ચાલે તે માટે જનપદથી જુદી આવાસ-રચનાવાળા દુર્ગ(કિલ્લેબંદ નગર)ની રચનાનો તબક્કો આવ્યો. કિલ્લો અને એની અંદરના નગરનું આયોજન - એ બંને ઘણાં સંકુલ, વિપુલવ્યયસાધ્ય બની રહ્યાં. એની જોગવાઈ માટે ક્રમશઃ ધાતુ-નાણું અને રત્નાદિ સાર્વભૌમ મૂલ્ય ધરાવતાં દ્રવ્યોના સંચયરૂપ “કોશ' (ખજાનો) નામનું અલગ રાજ્યાંગ વિકસ્યું. વળી સંકુલ આંતરસંબંધોવાળા, ગીચ નગરોની વૃદ્ધિવાળા અર્થપરાયણ રાષ્ટ્રમાં આંતરવિગ્રહ કે શાસન સામેના વિદ્રોહ વધતાં અને એવા જ સંકુલ પડોશી રાષ્ટ્રોના પણ ઉચ્ચાવચ ઉપદ્રવો વધતાં, કેવળ જનપદવાસીઓના સામાન્ય બાહુબળ અને ખમીરથી આ તત્ત્વોને વશ કરીને નિષ્ફળ બનાવવાનું અશક્ય બનતાં, આખા રાષ્ટ્રમાંના, મિત્ર-રાજ્યોના, જંગલવાસી પ્રજાજૂથોના કે પોતાને શરણે આવેલાં શત્રુ-રાજયોના બાહુબળિયા, શસ્ત્રાસ્ત્રકુશળ જનોનો સ્થાયી સંગ્રહ કરી “દંડ' (સેના) રૂપ અંગ પણ કાયમ કરાયું. સાથે જ મનુષ્યની શાંતિપ્રધાન સંસ્કૃતિરુચિની ખિલવટ રૂપે પડોશી રાષ્ટ્રો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy