SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સૈન્ય છે; તેથી ત્રીજા ક્રમે ગ્રાહ્ય છે. પછીના ક્રમે છે મિત્ર-સૈન્ય – રાજ્યના સાતમા અંગ એવા કોઈ મિત્રરાજાનું સૈન્ય. જોવાની વ્યવહારુ વાત એ છે કે રાજકીય મિત્રને આંધળા ભરોસાને પાત્ર ન ગણીને એના સૈન્યને આમ છેક ચોથા ક્રમે મૂક્યું છે. ત્યાર પછી આવે મિત્ર-સૈન્ય – હા, શત્રુસૈન્ય ! પણ તે છે વિજિગીષને શરણે આવેલા શત્રુરાજાનું સૈન્ય, કે જે તેની વિજિગીષ પ્રત્યેની તાબેદારીના ભાગરૂપે વિજિગીષને પ્રાપ્ત થયું હોય છે. તે દગો તો દઈ શકે; પણ છતાં વિવેકે ઉપયોગ કરી જાણો તો મોકાનાં સમયે કામ લાગી જાય ખરું. (દગાખોરી પણ ગમે ત્યારે કરવી સહેલી નથી હોતી !) યુદ્ધ જેવી વસમી બાબતમાં, કાઠી છાતીએ, વસમા, જોખમી નિર્ણયો પણ કરી છૂટવાનું છે; વિપ્નભયે કોચલું વાળીને બેસી રહેવાનું નથી. સૌથી વધુ અવિશ્વસનીય છતાં પ્રસંગે સાવધ રહી ખપમાં લેવા જેવું સૈન્ય તે મટવી-વેત્ત – જંગલનાં વિશિષ્ટ જૂથોનું સૈન્ય. એ વિફરે તો ઝાલ્યું પણ ન રહે. કૌટિલ્યના આ સૈન્ય બાબતના આવા મધ્યમ કે સાવધાનીભર્યા વલણ પરથી આજના તબક્કે કહેવાનું મન થાય છે કે જંગલો અને તેમાંની પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિસૃષ્ટિ અને આંતરિક વફાદારીથી ને વણલખ્યા નિયમનતંત્રથી સુઘટિત સમાજજીવન રચીને જીવતી ધિંગી વન્યજાતિઓ – આ બધાં તરફ એ વખતનો કહેવાતો સભ્ય માનવ કુતૂહલથી યે નહિ, પણ અંધારભર્યા અવિશ્વાસથી જ જોતો. એના અનેક સંકેતો પણ પ્રાચીન સાહિત્યમાંથી મળે છે. તે અવિશ્વાસનાં કેટલાંય કારણો કદાચ વજૂદવાળાં પણ હશે. છતાં ખુદ વ્યાસજી જેવા પ્રબુદ્ધ આત્મા દ્વારા “મહાભારત' જેવા “જ્ઞાનમય પ્રદીપ'ના અજવાળે પણ જ્યારે કૃષ્ણાર્જુન જોડી થ કી થતા ઘોર ખાંડવવનદહનનું ચિત્ર અપાયેલું જોઈએ ત્યારે હૈયું થંભી જાય, બુદ્ધિ બહેર મારી જાય. આજના માપદંડે આ બધું કેમ કરી મૂલવશું ? ભાગ્યવશાત્ ભારતમાં તો આ વન્ય જાતિઓની પડખે અડીખમ ધર્યથી ઊભા રહેનારાં દૂધમલ યુવક-યુવતીઓનાં વાવડ સાંભળીએ છીએ. અવિશ્વાસનું ઔષધ હોતું નથી, વિશ્વાસનું કારણ હોતું નથી ! આવાં વિવિધ સૈન્યો પૈકી, સંજોગો જોઈને, તે-તે પ્રકારના સૈન્યના લાભાલાભની કરેલ ગણતરી સાથે તેનો સાવધ ઉપયોગ કરવાનો આ અભિગમ છે. ‘ઈશાવાસ્ય’ની શીખ મુજબ વિદ્યાને પણ અપનાવી જાણવાની છે. સૈન્યસંબંધી ભૌતિક અને મનોવૈજ્ઞાનિક (માનવીય) બાધાઓનું જે વર્ણન અધ્યાય ૮.૧માં છે તેની વાત પ્રથમ વ્યાખ્યાનમાં ઉલ્લેખી છે. યુદ્ધ વિષે પુનર્વિચાર કરવામાં આ યાદી આજના તબક્કે વધુ વિસ્તૃત કરીને ખપમાં લેવા જેવી છે. પૂર્વનિર્દિષ્ટ છ રાજયાંગો રાષ્ટ્રની સીમાની અંદરનાં છે, ને એકંદરે પોતાનાં છે; જયારે મિત્ર'-સંજ્ઞાવાળું સાતમું રાજ્યાંગ મુખ્યત્વે સીમાની બહારનું છે – પડોશી મિત્ર-રાજા રાજ્યરૂપી અંગ. એ તો માનવજાતનો કાયમી સામાન્ય અનુભવ છે કે રાજકીય મંત્રી પ્રાયઃ સ્વાર્થ કેન્દ્રી હોઈ સગવડિયા અને અનિત્ય હોય છે – વિરલ અપવાદોને બાદ કરતાં. એટલે રાજયાંગોની યાદીમાં એને અગ્રતાક્રમમાં છેલ્લે સ્થાન અપાયું છે. છતાં ગાજરની પીપૂડીની જેમ, અનુકૂળતા જોઈ આપત્તિકાળમાં કે શાંતિકાળમાં તેના કલ્પનાશીલ અનેક ઉપયોગો જરૂર થઈ શકે; પણ અંદરનાં છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy