SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એ વાત આ નાનકડા વાક્યથી પણ ઉત્તમ રીતે કહેવાઈ છે : “અનિત્ય ધન પ્રત્યે દયા ( આત્મીયતા) શી ?” બીજી બાજુ પૂરેપૂરું ફાલેલું યુદ્ધ-અભિયાન પણ કેવું સત્યાશ્રિત, સમતાપૂર્ણ અને માનવીય હોઈ શકે તે વાત આક્રમણકારના ત્રણ પ્રકાર બતાવતાં આમ કહેવાઈ છે : “ત્રણ પ્રિકારના આક્રમણકારો હોય છે : ધર્મવિજયી, લોભવિજયી, અસુરવિજયી. તે પૈકી ધર્મવિજયી રાજા, જિતાયેલો રાજા પોતાની આમન્યાનો સ્વીકાર (ગમ્યવપત્તિ) કરે તેનાથી જ સંતોષ પામે છે. તેવા ધર્મવિજયીને વશ થવું – અન્ય [દુષ્ટ] શત્રુઓના ભયના ખ્યાલ પણ (અર્થાત તેનાથી રક્ષણ પામવા માટે પણ) ૪૮” આ પ્રકારભેદકથન દ્વારા સરવાળે તો આક્રમણકાર અને તેના થકી પરાજિત રાજા – એ બંનેના રાજનૈતિક કર્મયોગ પર જ ભાર મુકાય છે. આમાંથી પ્રથમ ઇષ્ટ પ્રકારનો આક્રમણકાર પોતાના ન્યાયપૂર્ણ પ્રભુત્વરૂપ ધર્મથી વિજયી બની રહે છે અને સામો વશીભૂત (શરણાગત) રાજા પણ પોતાના અનૌદ્ધત્ય(નમ્રતા)રૂપ ધર્મથી વિજયી જ બની રહે છે; કારણ કે બંનેએ અહંકાર-નિવારણ કરીને રાજનીતિનું કર્મયોગરૂપે ઊર્ધ્વકરણ સાધ્યું છે. રાજપુરુષોની આવી સબૂરી જ નિત્ય પ્રજાનું કલ્યાણ સાધીને ધન્ય બની રહે છે. વિશાળ મુલ્કમાં પાસે-પાસે આવેલાં રાષ્ટ્રોના રાજમંડલની ભારતીય રાજનીતિશાસ્ત્રની કલ્પના આમ તો દુન્યવી સ્વાર્થ અને પડોશી રાષ્ટ્રોના ઇરાદાની ખબરદારીના પાયા પર મંડાઈ છે, છતાં કૌટિલ્ય પોતાની પારગામી અને સમગ્રગ્રાહી દર્શનશક્તિથી માનવપ્રકૃતિની ગુપ્ત-સુખ ભાસ્વરતા અને સર્વસમાવેશકતાનું સ્થિર અને ક્રિયાભિમુખ આકલન કર્યું હોઈ, આવા રાજમંડલની કલ્પના પણ છેવટની ઉચ્ચતમ કક્ષાએ અપનયને સ્થાને ઉચ્ચતમ નાની, રાષ્ટ્રો વચ્ચે મહત્તમ રચનાત્મક-સહયોગની સ્થાપના અર્થે પુરસ્કારી છે. જ્યારે કોઈ એક ઉદાત્ત રાજા શત્રુની કે શત્રુ-જૂથની દુષ્ટ આક્રમકતાનો ભોગ બને, ત્યારે એની પોતાની ઋજુતા (uprightness) છેવટે એને આખા રાજમંડલમાં પડેલાં ન્યાય-સહાયક કુલ પરિબળોને જાગૃત કરવા અને સ્વયં તેને શરણે જવા પણ પ્રેરી શકે છે. નબળા રાજાને લગતા (ાવતીયસ) બારમા અધિકરણના ત્રીજા અધ્યાયમાં આવું “ઇડુત્તપ્રોત્સાહનમ્” નામનું નાનકડું પ્રકરણ પણ ગૂંથાયું છે. આજની ધોકાપંથી અને ધોખાપંથી (અમેરિકા-છાપ) જાગતિક રાજનીતિના દારુણ દુઃસ્વપ્ન સામે કોઈ બડભાગી જગત-ભાગ્યવિધાતાના અંતઃસત્ત્વ પર આશ્રિત કેવી જાગતિકકલ્યાણાભિમુખી રાજનીતિની શક્યતાનું મહાસ્વપ્ન વાસ્તવિક ધરાતલ પર સાકાર થવા માટે મહાકાલની મહાકૃપાની રાહ જોઈ રહ્યું છે, તેની ઝલક અહીં તેમ જ તેરમા અધિકરણના ચોથા અધ્યાયને છેડે રજૂ થયેલી “પૃથ્વીજય'ની કૌતુકજનક વાતમાં પણ આ મનીષી દ્વારા રજૂ થઈ છે. આમ છેક તળ-પ્રજાથી માંડીને રાષ્ટ્ર-પરિવારની ટોચે બિરાજતા રાજા સુધીના અને વળી ઉપલા મહાસ્વપ્નને વધાવીને કહીએ તો આખા રાજમંડલના માન્ય કોઈ ઉદાત્ત અધિરાજ સુધીના સર્વ માટે રાષ્ટ્રજીવન (કે રાષ્ટ્રસમૂહજીવન) એક નિત્યની ભરીભરી અનુભૂતિરૂપ કર્મયોગ બની શકે એવી કૌટિલ્યની સંજીવક દૃષ્ટિ આખા ગ્રંથમાં જોવા મળે છે. માત્ર નાશવંત સાધનસંપત્તિ અને નાશવંત હિંસાબળ પર મુસ્તાક એક કહેવાતા અધિરાષ્ટ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy