SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૧પ ("super power } 'big brother) 2410142 laasl 46 sis di 2418] 74151 Ellöldi gola એ ખરેખર ઈશ્વરે સર્જેલી નિયતિ નથી જ – એવી દઢ પ્રતીતિ આવા અનુભવાશ્રિત ગ્રંથની અનિવાર્ય ફલશ્રુતિ કહી શકાય. (८) निर्बल के बल राम આગલી ચર્ચામાં આમ તો અહીં કહેવા ધારેલો મુદ્દો ગૌણપણે કહેવાઈ ગયો છે. છતાં પણ અનેક ભ્રમો અને ઠાલી મનોવ્યથાઓ મિટાવનાર આ આગવા વિચારનો – બલ્ક, ઘૂંટાયેલી આગવી ‘ભાવના'નો – પણ કૌટિલ્યની ગુણિયલ દર્શનસૃષ્ટિના એક મહિમામય ઘટક તરીકે નિર્દેશ કરવો ઘટે. પશ્ચિમના “નવજાગરણ' (renaissance)ના ઉઘાડ અને ઉપાડના કોઈ તબક્કે ડાર્વિને રજૂ કરેલો પ્રકૃતિ દ્વારા પસંદગીનો વિચાર પણ જગત-માનસ પર ઠીક-ઠીક કબજો જમાવી ગયેલો અને હજુ આજે પણ “આધુનિક' કહેવાતા દરેક કુશિક્ષિત માનસ પર અભાનપણે કે સભાનપણે તેનો જ કબજો છે. તે વિચાર મુજબ કુદરતમાં જે વ્યક્તિ પૂરેપૂરી ક્ષમતાયુક્ત સાબિત થાય તેનો જ ટકાવ (survival of the fittest) થાય છે. જીવન એક હોડ છે, દોડ છે – જેમાં દરેકે પોતાની સરસાઈ સિદ્ધ કરવાનું અનિવાર્ય છે. તેમાં નિષ્ફળ થાય તે છેવટે કુદરતમાં ફેંકાઈ જાય છે. દેખીતી રીતે જ, ગળાકાપ હરીફાઈનો આજે ધમધમતો જવર આ વિચારની ઑથાર નીચે જ ફાલી રહ્યો છે. અલબત્ત, આધુનિક વિચાર-પરંપરાઓનો સ્વસ્થ અભ્યાસી એ બરાબર જાણે છે કે ઉચ્ચ ચિંતનશક્તિ દ્વારા અને વિજ્ઞાન દ્વારા પણ આ વિચાર નાપાયાદાર સાબિત થઈ ચૂક્યો છે, અને એના કરતાં ઘણું બધું આશાપોષક ઊજળું વિચાર-ભાથું માનવના અંતરાકાશમાં અને અનુભૂતિમાં પડેલું છે. કૌટિલ્ય પાસે જે અનેક વિનીત, સર્વાશ્લેષી વિભાવનાઓ છે, એમાંની આ ગ્રંથને શોભાવતી એક ખૂબ ધ્યાનપાત્ર વિભાવના છે જીવમાત્રમાં પડેલી વિકાસશીલતાની, વિજયક્ષમતાની. જીવોનું સહજીવન એક પૂરા મહિમાવાળી મજેદાર સર્વોદયી મહેફિલ છે, જેના નિરવધિ આનંદમાંથી કોઈને પ્રકૃતિએ બાકાત રાખ્યું નથી. પ્રત્યેકનો ઉદય એ કુદરતની બેઠી યોજના છે. કૌટિલ્ય પોતાના દેશકાળને તપાસીને પૂરી વૈચારિક પ્રામાણિકતાથી, સૃષ્ટિની શુભ નિયતિના ભાગ રૂપે રાજાને કલ્યાણકર ‘નર-નાયક' (૧નરેન્દ્ર) તરીકે સ્વીકારે છે. રાજાના એકત્વમાં નરસમુદાયનું – બબ્બે જીવસમુદાયનું – એત્વ, એકરસત્વ સાકાર થઈ શકે એમ છે. દેખીતી રીતે મનુષ્યો કે જીવોમાં માંહોમાંહે શક્તિની ઉચ્ચાવચતા જરૂર છે, પરંતુ તે શક્તિઓ સરવાળે પરસ્પર-બાધક બનીને નહિ, પરસ્પર-સાધક બનીને જ કાયમી શક્તિ તરીકે પ્રસ્થાપિત થઈ શકે એમ છે. સૃષ્ટિમાંનું વૈવિધ્ય કોઈ “પાનક-રસ' (પીણાના સ્વાદ)નાં ઘટકોના કે કોઈ સંગીતવંદનાં ઘટકોનાં વૈવિધ્ય જેમ પરસ્પર-ઉપકારક અને પરસ્પર શોભાવર્ધક હોય છે. જૈન આગમનું એક જાણીતું વિધાન પણ આ એકત્વની જ દુહાઈ દે છે : પક્ષ માપુના (મનુષ્યજાતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy