SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૧૩ બુદ્ધિનિષ્ઠ ઉદ્યમપરકતા છે એનું સાનંદાશ્ચર્યકારી પ્રતિબિંબ પડે છે. એ કર્મઠતા કર્મયોગ બની રહે તે માટે જ કૌટિલ્ય આન્વીક્ષિક-વિદ્યાની રાજપુરુષો માટેની આવશ્યકતાની, ઇન્દ્રિયજયની, રાજપુરુષો માટે વૃદ્ધસંયોગની અનિવાર્યતાની, રાજાના રાજર્ષિવૃત્તની વગેરે કીમતી વાતો પ્રથમ ‘વિનયધવારિશ'-અધિકરણમાં લાવવથી પણ સમર્થ રીતે ઘૂંટી આપી છે. એના જ વહીવટી પડઘારૂપે અધ્યક્ષપ્રચાર અધિકરણમાં, રાષ્ટ્ર કરેલું કર્મ નિષ્ફળ ન બને અને ઉત્પન્ન દ્રવ્યોનું પરિરક્ષણ (પૂર્ણ રક્ષણ) થાય તે માટે સન્નિધાતા, સમાહર્તા, ગાણનિક (ગણનાઅધિકારી – આજના A.G.) જેવા ચુનંદા, નિષ્ઠાવાનું મહા-અધિકારીઓ અને તેમનાં સંકુલ કાર્યાલયોનું આયોજન પ્રબોધ્યું છે. વળી એક બાજુ રાષ્ટ્રમાંનો વફાદાર (સત્ય) અને બેવફા (કૃત્ય) તત્ત્વોનું રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ (તપાસ) કરનારું તંત્ર, તો બીજી બાજુ રાજયનાં અર્થોત્પાદક ઘટકોમાં વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓથી ઉત્પાદકોને હાથે ઉત્પન્ન દ્રવ્યોની ખાયકી ન થાય એ માટે સમાહર્તાની અધ્યક્ષતામાં પાકો પ્રબંધ (vigilance) – એ બંને આકાર્યા. માનવપ્રકૃતિ અંગેની કૌટિલ્યની સમજણ કેટલી ઝીણવટભરી અને વ્યાપક છે, તે તો એ વાત પરથી સમજાય છે કે અધ્યાય ૨.૮ના વીસમા સૂત્રથી આરંભીને ખાયકીના અનુભૂત ચાલીસ પ્રકાર વર્ણવીને તેને નિવારવાના ઉપાયો પણ બતાવ્યા છે. કર્મયોગમાં કર્મફળની આસક્તિ વ્યક્તિગત દષ્ટિએ વર્યું હોવા છતાં, આમ-પ્રજાસમુદાયમાં, એની મનોવૃત્તિને અનુરૂપ કર્મયોગ પ્રતિષ્ઠિત કરવા માટે, રાજયસંસ્થાએ વત્સલભાવે વ્યક્તિગત કે સંસ્થાગત પ્રામાણિક કર્મનું ફળ નાશ ન જ પામે એટલી ચિંતા અવશ્ય કરવી રહી. એ દષ્ટિએ ઉપર ચીંધેલી ચુસ્ત વ્યવસ્થાઓ ન્યાયી અને પ્રજાચારિત્રને દઢપણે પોષનારી જ લાગે છે. તેથી પ્રજામાં “ઉદ્યમ વિપતને ખાય' એવી ખાતરી અને એવો આત્મવિશ્વાસ પેદા થાય છે, જે રાષ્ટ્રને વિપત્તિકાળમાં પણ રહે છે. માત્ર પ્રજાના દેહને પોષવાને બદલે, તેમની નીતિભક્તિ (morale) પોષવી તેમાં વ્યવહારુપણું અને આદર્શનિષ્ઠા બંને સાથે જળવાય છે. આ છે લોકાભિમુખ રાજ્ય-વહીવટ. કર્મયોગનિષ્ઠા રાજામાં પોતાનામાં સૌથી ઉત્કટ રીતે પ્રતિષ્ઠિત થાય તેવી વાતો પણ કૌટિલ્ય અનેક સ્થળે સંદર્ભ-ભેદે વિવિધ રીતે ઉપસાવી છે. રાજા પોતે કે અન્ય છ રાજ્યાંગો પૈકીનાં એક કે અધિક રાજયાંગો જયારે વ્યસનાવસ્થા(આપત્તિ-અવસ્થા)થી ઘેરાયેલાં હોય ત્યારે રાજાની કર્મયોગજન્ય અનાસક્તિ, ધૃતિ કે શમવૃત્તિ જ કસોટી સહન કરીને રાજ્યની આપત્તિનાં વળતાં પાણી કરી સારો કાળ પાછો આણે છે. વ્યસનો અંગેનું આઠમું અધિકરણ, દુર્બળ રાજા અંગેનું (નાવતીયસમ્) બારમું અધિકરણ કે સાતમા પશુખ્ય અધિકરણમાં વર્ણવેલી (૧) હીનસંધિઓ, (૨) સંશ્રય કે (૩) વૈધીભાવની રાજનીતિઓ – આ બધું રાજાની નિરહંકાર ધર્મયાત્રા અને કર્મયોગી મનોવૃત્તિ ઘડનારાં જ નિરૂપણો છે. પ્રાચીન ભારતીય સાહિત્ય રાજાઓની આવી કૌતુકપોષક, રસપૂર્ણ ધર્મયાત્રાઓના અપાર દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરે છે. વખત આવ્યે રાજા રાજધાની સહિતનું બધું ગુમાવવા છતાં, માત્ર અંતઃસત્ત્વથી ટકી શકે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy