SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ (૭) રાષ્ટ્રજીવન અને રાજનીતિની કર્મયોગરૂપતા અગાઉના ‘કર્મ-દિવ-વિભાગ-બોધ' એ ચોથા મુદામાંથી ફલિત થતા રાષ્ટ્રીય અને રાજકીય કર્મના સ્વરૂપની આગવી, બોધક ચર્ચા અહીં કરવા ધારી છે. અગાઉના ‘અર્થદર્શન તેમ જ ‘લોકપૂજા' એ મુદાઓમાં પણ અહીં હાથ ધરેલા મુદ્દા અંગે ઇંગિત થયેલાં છે. અહીં મુખ્ય મુદ્દો છે શીર્ષકમાં બતાવ્યા મુજબ કર્મ તરફના સામુદાયિક સ્વસ્થ-સમતોલ અભિગમનો – જે પ્રસ્થાપવામાં જાગૃત, પ્રતિભાશાળી રાજ્યતંત્ર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી શકે. એકંદરે ભગવદ્ગીતાએ કર્મ તરફનો જે અભિગમ પ્રબોધ્યો છે, તે જ “અર્થશાસ્ત્રમાં સતત ધબકે છે. કર્મ સાથે અનાસક્તિનો કે કર્મફળ અંગેના અનાગ્રહનો યોગ કૌટિલ્યના આદેશોમાં પણ એકંદરે ગૂંથાયેલો જોઈ શકાય છે. કૌટિલ્ય જયારે અધ્યાય ૨.૨(ગપનિવેશ:)ના છેવાડે ભારપૂર્વક કહે છે કે ગ્રામીણ પ્રદેશોમાં વિહાર માટે ન બગીચા હોય કે ન મનોરંજન માટે સભાગૃહો (‘શાલાઓ'), અને વળી કહે છે કે નટ, નર્તક, ગાયકો, વાદકો, કથકો કે ચારણો વગેરે જનપદમાં ધબકતા જીવનમાં કર્મવિદન ના કરે, ત્યારે એ માટે સ્પષ્ટપણે બે કારણો પણ આપે છે : (૧) ગામમાં કોઈ ફાલતુ આશ્રયસ્થાનને અવકાશ નથી તેથી, (૨) પુરુષો કાર્યરત હોવાથી. બીજા કારણની સ્પષ્ટતા કરતાં કહે છે કે પુરુષો ક્ષેત્ર-અભિરત હોવાથી જ રાષ્ટ્રનાં કોશ, શ્રમબળ ઉપરાંત જીવનોપયોગી પૂરક દ્રવ્યો, ધાન્ય, રસ આદિના સંચયરૂપ કોઠાર (કોપ્ટર) જેવી પ્રાણપોષક સંપત્તિ વૃદ્ધિ પામે છે. આ નાનકડો ખંડ ગીતાની આ સાદી-વિંગી વાતનું જ પ્રતિબિંબ પાડે છે : “પોતપોતાના કર્મમાં અભિરત મનુષ્ય સંસિદ્ધિ પામે છે'' (૧૮.૪૫A). વળી ગીતામાં નકારાત્મક રીતે આમ પણ કહ્યું છે : 'તું કર્મ ન કરે તે સ્થિતિમાં તારી શરીરયાત્રા (શરીરનિર્વાહ) પણ ન સધાય.”(રૂ.૮B) સ્વયંભૂ (તાત્ત્વિક) શ્રમ-મહિમા, શ્રમકળા, શ્રમની સર્વ સ્વસ્થજનો માટે અનિવાર્યતા, પ્રકૃતિભેદાનુસારી શ્રમપ્રકાર-વિભાજન – આવી પાયાની સમજણો અને તદ્અનુસારી પ્રવૃત્તિવ્યવસ્થાપન એ સ્વસ્થ, સર્વકલ્યાણકર જીવનશૈલીનો કેટલો બધો અગત્યનો ભાગ છે એ તો જયારે ગુલામી-વેઠ-આદિ પ્રથાઓની વિષમતાઓમાં ખદબદતી પ્રમાદપ્રધાન, શોષણ-પ્રધાન, પરાવલંબી, ‘દારણ' (=ચીરનારી!) શાસનપદ્ધતિઓ કે કહેવાતી સંસ્કૃતિઓનો વિશ્વ-ઇતિહાસ-સ્તરે પરિચય કરીએ, ત્યારે સમજાય છે. જેટલું મહત્ત્વ બૌદ્ધિક તેજસ્વિતાનું કે તજજૂન્ય સંકુલ મંત્રાદિસાધનસંપત્તિનું છે, તેટલું જ મહત્ત્વ સ્વાશ્રયી શ્રમસંસ્કૃતિનું એ દૃષ્ટિએ છે કે તેથી કોઈ પણ રાષ્ટ્ર સુખ-દુઃખ, જય-પરાજય, લાભ-અલાભમાં ભાંગી પડતું નથી; દા. ત. આજનું ક્યૂબા. આ દૃષ્ટિએ જ કૌટિલ્ય “અર્થ' શબ્દની, “મનુષ્યવાળી ભૂમિ' એવી ખૂબ લાક્ષણિક (લક્ષણસૂચક) વ્યાખ્યા કરી જાણે એના પડઘારૂપે જ ગ્રંથનું સૌથી મોટું, અતિવિસ્તૃત બીજું અધિકરણ વિવિધ અર્થપ્રવૃત્તિઓના અધ્યક્ષોની સંકુલ, વૈવિધ્યપૂર્ણ કામગીરીના અત્યંત કીમતી, અનુભવાશ્રિત વર્ણનને માટે રોક્યું છે. એમાં કૌટિલ્યની પોતાની પણ કેવી બહુમુખી, રસપૂર્ણ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy