SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૧૧ ધિંગું-સ્વાધીન જીવન જીવીને સાથે-સાથે જ રાષ્ટ્રને પણ જબરી દિલદારીથી સમૃદ્ધ કરે છે. તેથી જ સામે પક્ષે રાષ્ટ્ર એટલે કે તેના રાજ્યતંત્ર અને પ્રબુદ્ધ સમાજે એની સમજભરી અદબ જાળવવાનું પણ જરૂરી બને છે. સામાન્ય રીતે આવાં પ્રજાજૂથો વચ્ચે જીવનશૈલીની ખાસ્સી ભિન્નતા હોય છે, પણ તેમાં એકંદરે પારસ્પરિક અનાદર, વિરોધ કે દ્વેષ નથી હોતો. એટલે કોઈ પણ ઠરેલ રાષ્ટ્ર અને રાજયતંત્ર દ્વારા આવા દરેક પ્રજાજૂથનું સ્વાયત્તપણું મહદઅંશે રક્ષાય છે; કારણ કે એના દ્વારા જ દરેક જૂથે પોતાનું ઉત્તમ પ્રદાન સહજપણે રાષ્ટ્રને પણ આપી શકે છે. અલબત્ત, આમાં રાષ્ટ્રહિત સાથે સતત અવિરોધ જળવાતો રહે તે માટે જરૂરી બાંધછોડ, સમય-પરિવર્તન પ્રમાણે તે-તે પ્રજાજૂથ અને શાસન બંને પક્ષે ચાલતી રહે છે. તે-તે પ્રજાજૂથની આવી આગવી જીવનશૈલી, સામાજિક ભૂમિકા, મનોભૂમિકારૂપ તાસીર – એ બધાં પ્રત્યેનો આદર કૌટિલ્યને મન કેવો મહત્ત્વનો છે, તે સામાજિક કાયદાઓને લગતું જે ત્રીજું ધર્મસ્થીયમ્ અધિકરણ છે તેના પ્રથમ અધ્યાયમાં, કાનૂન લાગુ પાડવાની અને ન્યાય તોળવાની સમગ્ર પ્રક્રિયાની ચર્ચાના અન્વયે પ્રગટ થાય છે. તેમાં કોઈ પણ કાનૂની વિવાદનો ફેંસલો આણવા માટે લાગુ પાડવા યોગ્ય કાનૂન કે તેની કલમની પસંદગી કયા દૃષ્ટિકોણથી થાય છે, એને લગતી ચર્ચા પણ મળે છે. તેમાંનો એક મહત્ત્વનો શ્લોક આમ કહે છે : “ધર્મ, વ્યવહાર, ચરિત્ર અને રાજશાસન – એમ વિવાદાધીન બાબત ચાર શક્ય વિકલ્પિક] પાયા (આધાર) પર ઊભી રહે છે, અને એ ચાર પૈકી પાછલો દરેક આધાર પૂર્વના આધારનો બાધક ગણાય છે. ૫' આ ચાર પૈકીની ત્રીજી બાબત - “ચરિત્ર' તે પ્રાયઃ જે-તે પ્રજાજૂથનો પોતાનો પરંપરાગત સદાચાર કે સામાજિક કાનૂન છે – જેને “મહાભારતમાં એક સ્થળે “લૌકિક સમયાચાર' કહેવામાં આવ્યો છે, કે જેનો ઊંડો અભ્યાસ અર્જુનને હોવાનું કહેવાયું છે. તે-તે પ્રજાજૂથનું ઔપચારિક-અનૌપચારિક શિક્ષણ, તેની જાતિગત લાક્ષણિકતાઓ, મનોરચનાસૂચક તાસીર – આવાં પરિબળો દ્વારા તે-તે પ્રજાનું જે નૈતિક કાઠું બંધાયું હોય, તેનો (અર્થાત્ ઉપર્યુક્ત વરિત્રનો) ખ્યાલ કરીને ન્યાય તોળવામાં પૂરું ઔચિત્ય છે એવો ભાવ આ ચર્ચામાં અભિપ્રેત જણાય છે. (૫) જિતાયેલા રાષ્ટ્રનું હૃદય જીતવાની વાત . ક્ર. ૨૩.૬માં છે, તેમાં પણ લોકનો મહિમા થયેલો છે તે છેલ્લા વ્યાખ્યાનમાં જોઈશું. ઉપર ચર્ચલા લોકપૂજાસૂચક જુદા-જુદા મુદ્દા એ બતાવે છે કે કૌટિલ્ય જે પરંપરાપ્રાપ્ત રાજનીતિનું દોહન કર્યું છે, તેમાં પ્રજાજૂથો એ માત્ર પશ્ચિમમાં જેને “ગિનીપિઝ” એટલે કે અખતરા માટે માત્ર વાપરવી-વરવા લાયક ભૂંડ કે પશુઓ નાપાં નથી, પણ રાષ્ટ્રના સન્માનપત્ર ભાગીદારો મનાયા છે. રાજા અને રાજયતંત્રને તેમની ખિલવટ જાળવવા સાથે જ સમાંતરપણે થતી રાષ્ટ્રની ખિલવટ ઇષ્ટ છે. ભર્તૃહરિ પણ “નીતિશતક'ના અગાઉ ઉલ્લેખેલા સુભાષિતમાં કહે છે : હે રાજનું, જો તું પૃથ્વીરૂપી ગાયને દોહવા ઇચ્છતો હોય, તો આ પ્રકારૂપી વાછરડાને પોષ.” યુગોને ચીરતો, અવિવેકને પડકારતો આ કીમતી સંદેશ કાયમ કદરદાનની રાહ જોતો ઊભો છે, ઊભો રહેશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy