SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૦૭ આ આખી ચર્ચામાં, છેલ્લે દુર્ગનો અગ્રક્રમ અંશતઃ સ્વીકાર્યા છતાં, મુખ્યપણે ઉપસાવેલી વાત છે નિસર્ગને ખોળે જીવતા, પ્રવર્તતા અને પાયાની સર્વ જીવનપોષક ચીજો, કર્તુત્વના કશા ઠઠારા વિના સર્જતા જનપદના રાજયાંગ તરીકેના અદકેરા મહત્ત્વની. આજે અભિમાનપૂર્વક વધુ ને વધુ પ્રસારાઈ રહેલી કહેવાતી નગરસભ્યતાએ માનવતા અને ધરતીના અસ્તિત્વના પાયા પર જ કેવા અંતિમ આઘાતો આરમ્યા છે એ જ્યારે ઝડપી સંદેશમાધ્યમો દ્વારા સારી પેઠે ઘેર-ઘેર સમજાઈ રહ્યું છે, ત્યારે જનપદનું અર્થાત્ ગ્રામીણ જીવનશૈલીનું પાયાનું મહત્ત્વ – એ પાછળનું બહુવિધ નૈસર્ગિક વિજ્ઞાન – સમજાયા વગર રહેવાનું નથી. માત્ર વાસ્તવિકતાને નિશ્ચયપૂર્વક જોઈ-સમજીને માનવસમાજે સાચી દિશામાં મોઢું ફેરવવાની તાતી જરૂર છે. હા, અત્યારની ગ્રામીણ પ્રજામાં પડેલા દોષો, જેવા કે દ્વિધાગ્રસ્તતા, નગરપરસ્તી, પોતાના વિષેનો હીનભાવ, જુનવાણીપણું, શ્રમગૌરવ વિનાનું મજબૂરીભર્યું શ્રમિકપણું, કુસંપ, કોમી વિષિતા, નિરક્ષરતા, સામુદાયિક ગંદકી ઇત્યાદિને, બહુસંખ્ય સજ્જનોની સાતત્યપૂર્ણ ગ્રામાભિમુખતા દ્વારા આરંભાવાપાત્ર પાકા જાગૃતિ અભિયાન વડે ક્રમશઃ નાબૂદ કરવાની અને રાજયસંસ્થાના, ગ્રામપ્રદેશ પ્રત્યેના ઓરમાયા જ નહિ, બલ્ક અત્યંત શોષણખોર વલણને પ્રબળ જાહેરમત દ્વારા પાયામાંથી બદલવાની જરૂર છે; તો જ ધરતી જીવવા લાયક રહી શકશે. લોકપૂજકતાસૂચક ગ્રંથગત પ્રમાણો : કૌટિલ્ય સમજપૂર્વક પુરસ્કારેલી આ લોકપૂજકતા આખા ગ્રંથમાં જુદા-જુદા સંદર્ભે જુદી-જુદી રીતે ઘૂંટાતી રહી છે; તેની તરફ ભરી-ભરી નજર નાખીએ : (૧) અગાઉ દંડનીતિના ધ્યેયની વાત કરતાં આ ગ્રંથમાં જણાવાયેલું કે નવી સંપત્તિનાં નિર્માણ, રક્ષણ અને પુનઃ પુનઃ વૃદ્ધિ દ્વારા છેવટે તો “તીર્થો સુધી વિપુલ સંપત્તિ જીવનવિકાસ માટે પહોંચાડવાની છે. અહીં તીર્થ શબ્દ પણ બહુવચનમાં (તીથૈષ એમ) પ્રયોજ્યો છે એ મહત્ત્વની હકીકત છે. તીર્થનો અહીં શો અર્થ લઈશું? તીર્થ શબ્દ તૂ (તરવું) ધાતુ પરથી “જેનાથી તરી જવાય તે તીર્થ' – એવી રીતે કરણ(=સાધન)વાચી (તરવાનું કે પાર જવાનું સાધન – એવા અર્થમાં) છે. સંસ્કૃતિનું બહુ રીતે વહન કરતી ભારતીય ભાષામાં આ શબ્દ અનેક સંદર્ભે ભિન્ન-ભિન્ન અર્થોમાં વપરાયો છે. અહીં આ શબ્દનો જે બહુવચનયુક્ત પ્રયોગ છે તેથી અર્થઘટન કરવામાં સરળતા થઈ છે. રાજય કે રાષ્ટ્ર જેનાથી તરી જાય તે તીર્થ. અગાઉની ચર્ચા પરથી સમજદાર વ્યક્તિ જરૂર કહી શકે કે આમપ્રજા તે તીર્થ; કારણ કે એના નિત્યના નિષ્ઠાયુક્ત, સમર્પિત પરિશ્રમથી જ સરવાળે રાષ્ટ્ર તરી જાય છે. એમાં માત્ર ગ્રામવાસી કે કસ્બાવાસી જ નહિ, પણ રાષ્ટ્રના સર્વ સામાન્ય નાગરિક સમાઈ જાય. એ નાગરિક રાજ્યના ઉચ્ચાવચ્ચ અધિકારીઓરૂપ કે સેવકો-રૂપ પણ હોઈ શકે અને પોતપોતાનાં ગરવાં નાનાં-મોટાં કાર્યક્ષેત્રોમાં મથતો સામાન્ય નાગરિક પણ હોય. અહીં સંપત્તિના સંદર્ભે જો ‘જરૂરિયાતમંદો’ અર્થ જ (“જરૂરિયાતમંદોમાં સંપત્તિનું વિતરણ'એ રીતે) કહેવો હોત તો થિન્ (જરૂરિયાતમંદ) શબ્દ પરથી થપુ શબ્દરૂપ વાપર્યું હોત. પણ એને બદલે આ મહાચિંતક તીર્થ એ અત્યંત સુંદર અર્થધ્વનિઓ પ્રસારતો ભારે ગૌરવયુક્ત શબ્દ વાપરીને એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy