SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જરૂરિયાતમંદો કેવા ઘન્ય (=ધનની પાત્રતા ધરાવનારા) છે એ પણ ચીંધીને એમનું ગૌરવ કર્યું છે, એમની પૂજ્યતા (આરાધનાયોગ્યતા) સ્થાપી આપી છે. ‘પોતે જાતે સંપત્તિ પેદા કરવામાં જરૂરી સીધું યોગદાન (સહકાર) કર્યા વિના, સાચી-ખોટી રીતે મેળવેલા માત્ર રોકડ પૈસા(currency)ના બળે વસ્તુના ઉપભોક્તા બની રહેનારો વર્ગ' એવા અર્થમાં આજે આધુનિક સમાજશાસ્ત્રમાં consuming unit (માત્ર ઉપભોગમાં સમજનારો વર્ગ) એવો ટીકા-સૂચક શબ્દપ્રયોગ યોજાયો છે. કૌટિલ્યે અહીં તીર્થ શબ્દ વાપરીને આવા અકર્મણ્ય (શ્રમ ટાળનાર) ઉપભોક્તાને રાષ્ટ્ર માટે મહાઅનિષ્ટરૂપ ગણીને, રાષ્ટ્રસંપત્તિના નિર્માણમાં સતત સમાનપણે સહયોગી બનતા રહેતા પ્રજાસમુદાયને જ ઇષ્ટ ગણીને આ સમતુલાસૂચક મર્માળો તૌર્થ શબ્દ વાપર્યો છે. અલબત્ત, પોતાના કાબૂ બહારનાં કારણોથી સંપત્તિનિર્માણ ન કરી શકનાર પ્રજાજનોની આ શબ્દથી બાદબાકી નથી જ થતી. એવા સર્વને પ્રેમપૂર્ણ પરિચર્યા અને પરિપોષણને પાત્ર જ ગણવા તે સ્વસ્થ સમાજનો આવશ્યક પરિવારધર્મ છે, એ જ નિસર્ગદત્ત સામાજિક સુરક્ષાયોજના (social insurance) છે. આમ અહીં પ્રયોજાયેલો ‘તીર્થ’ શબ્દ સુંદર અર્થસંકેતો પ્રગટ કરે છે. ૧૦૮ અહીં પ્રયોજેલો ‘તીર્થ’શબ્દ વાક્યાર્થ-સંદર્ભે આડકતરી રીતે સર્વ પ્રજાઓ અને તેમાંના પ્રત્યેક શક્તિમાન્ જનને રાષ્ટ્રનિર્માણકાર્યમાં સામેલ કરવાના વ્યાપક આયોજનની અનિવાર્યતા પણ સૂચવે છે. જેનું પેટ ભરવાનું છે, તેનાં બુદ્ધિ, હાથ અને હૃદયને (head, hand, heartને) પણ અનુરૂપ ક્રિયાયોગથી પોષવાનું આયોજન રાષ્ટ્ર કરવાનું છે. અહીં જન-જનની રોજગારીની માત્ર આર્થિક કે રાજનૈતિક જ નહિ, મનોવૈજ્ઞાનિક, આરોગ્યશાસ્ત્રીય, પર્યાવરણીય અને સાંસ્કૃતિક આવશ્યકતા તરફ પણ ઇંગિત અવશ્યપણે સમજાય છે. બાઈબલ કહે છે : માણસ માત્ર રોટલાથી જીવતો નથી. આધુનિક યાંત્રિકીકરણના સંદર્ભે આ સ્થાયી સત્યની અવગણના ન થાય તે જોયે જ છૂટકો છે. તેથી ગાંધીજીએ, યંત્રો દ્વારા ઓછા માણસે થોક-ઉત્પાદન (mass-production) કરી આ માનવમૂલ્યના મૂળમાં ઘા ન થાય માટે, અનેક લોકો દ્વારા ઉત્પાદન(production by masses)નું આયોજન કરવાની અનિવાર્યતા ચીંધી હતી. (૨) અધ્યાય ૧.માંના પ્રકરણનું નામ છે અનપનિવેશ: અર્થાત્ નવા જનપદ કે રાષ્ટ્રની સ્થાપના. આપણી આ ચર્ચાના અન્વયે આ પ્રકરણ તેના શીર્ષકમાત્રથી ય ધ્યાન ખેંચે તેમ છે. એમાં વસ્તીરહિત કોઈ વિશાળ માનવ-વાસ-યોગ્ય ભૂમિખંડમાં, દીર્ઘ દેશ-કાળના પટમાં વિશાળ આમ-જનસમુદાયના સર્વાંગી અને સર્વોત્તમ જીવનવિકાસની વ્યવહારુ સંભાવના જોનારા કલ્પનાશીલ વિજિગીષુ (રાજા) દ્વારા, મુલ્કનાં ભૂપૃષ્ઠવૈશિષ્ટ્યોની તપાસપૂર્વક, નાનાં-મોટાં વસ્તીનિવાસઘટકો અર્થાત્ ગામડાં, કસ્બા, નગરો અને દુર્ગ એટલે કે કિલ્લાબંદ રાજધાનીની સ્થાપનાનું અને તેમની સીમાઓનું આયોજન કેવી રીતે કરાય તે અંગે કરાયેલી સુચિંતિત રજૂઆત અધ્યયનપાત્ર છે. એ અંગે વિશેષ વાત તો આપણે ત્રીજા વ્યાખ્યાનમાં અર્થતંત્રની ચર્ચાના અન્વયે કરીશું. અહીં તો એ પ્રકરણમાં માત્ર જનજીવનનું જે વ્યવસ્થિત આયોજન કરાયું છે, તેના તરફ સામાન્ય રૂપે ધ્યાન દોરવું ઉપયોગી થઈ રહેશે. એમાં મુખ્યત્વે સર્વ પ્રજાઓના બનેલા આખા Jain Education International For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy