SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય પામતો નથી.૪૧” એની પહેલાં તેરમા શ્લોકમાં ભક્તનું વર્ણન આવું છે : “સર્વભૂતો પ્રત્યે દ્વેષરહિત, મૈત્રીયુક્ત અને કરુણાયુક્ત ૨”. આ બે વર્ણનોમાં થઈને વિકસિત, પ્રબુદ્ધ ચેતનાના અનેક સ્થાયી ભાવો પૈકીનો આ એક સ્થાયી ભાવ સુંદર-સરળ રીતે કહેવાયો છે : લોકપૂજકતા. ઈશ્વરભક્તિનો મહિમા ઉત્તમ રીતે ઘૂંટતી ગુરુ નાનકની નાનકડી, રસાળ ઊર્મિકાવ્ય-શી રચના ‘નપુની’ના આરંભે મુકાયેલા જપમંત્રમાં આને મળતાં જ આ બે ઈશ્વરલક્ષણ અંકિત છે : નમસ નિવૈદુ (નિર્ભય અને નિર્વેર). અહીં એ ધ્યાનમાં આવવું જોઈએ કે આ વર્ણનમાં અને અગાઉના ગીતાના વર્ણનમાં જે ‘નિર્દેરતા’રૂપ લક્ષણ કહ્યું છે તે નિષેધાત્મક છતાં ખૂબ મહત્ત્વનું લક્ષણ છે; કારણ કે ‘માનવમનમાં શૂન્યાવકાશ ન હોઈ શકે” એ ન્યાયે તેમાં એક દૂષિત લક્ષણનું ન હોવું તે બીજા ઉદાત્ત લક્ષણના પ્રવેશનું સૂચક બની જાય છે. અને ખરેખર ઉપર્યુક્ત ગીતા-કથિત લક્ષણો પૈકીના પાછલામાં નિષેધાત્મક (‘અદ્રેશ') લક્ષણની પડખે જ એનું સ્થાન લેનારાં ભાવાત્મક લક્ષણો (મૈત્રી, કરુણા) સ્પષ્ટ રૂપે કહ્યાં છે. લોકપૂજકતા પણ મૈત્રી-કરુણાને સમાવતું ભાવાત્મક લક્ષણ છે. આપણા આ ઉત્થાન-સમયમાં સ્વામી વિવેકાનંદે આ ભાવ જ સૂચવે તેવો ‘જનતા-જનાર્દન’ એવો લોક પ્રત્યેની ભક્તિ કે નિષ્ઠા સૂચવતો પ્રેરક પ્રયોગ પ્રચલિત કર્યો છે. લોકપૂજા એ હકીકતે તો અદ્વૈત-દૃષ્ટિની જ એક આડ-પેદાશ છે. આ વાત ગીતાના આ પ્રસિદ્ધ વિશેષણ દ્વારા બરાબર સ્પષ્ટ થાય છે : સર્વભૂતાત્મભૂતાત્મા (‘જેનો આત્મા સર્વ ભૂતોના આત્મારૂપ બન્યો છે એવો મનુષ્ય'). તેમાંથી જ ફલિત થાય છે આ બીજું લક્ષણ : સર્વભૂતહિતે રતઃ (‘સર્વ ભૂતોના હિતમાં લીન'). બાઈબલમાં પણ unto this last (‘આ છેવાડાના જન સુધી') એવા પ્રયોગથી આ સર્વસમાવેશક લોકનિષ્ઠા જ સૂચવાઈ છે. ખરેખર, લોક-આરાધકતા એ મનુષ્યની પ્રતિભાની એક ઉચ્ચતમ કસોટી બની રહે છે. શ્રીકૃષ્ણમાં એ સુંદરતમ રીતે પ્રગટી છે. ૧૦૩ - અહીં એ વસ્તુસ્થિતિ ચીંધવી ઘટે કે લોક-પૂજકતાના આધારરૂપ યથાર્થ ધર્મ, અધ્યાત્મ કે માનવકેન્દ્રી સંસ્કૃતિ પારમાર્થિક રીતે શાશ્વત હોય તો પણ, વ્યવહારદૃષ્ટિએ વર્તમાનયુગને જોતાં કહેવું પડે કે આ વસ્તુ હજી બાલ્ય કે કદાચ કિશોર અવસ્થામાં જણાય છે, અને તેથી તેના અમલનું ક્ષેત્ર ઘણું નાનું છે – આજે દુનિયામાં વ્યાપેલી કહેવાતી લોકશાહી છતાં પણ યુગબળે સામાન્ય લોક પ્રત્યે અરુચિ, તિરસ્કાર અને દ્વેષ વ્યાપકપણે જોવા મળે છે. એનું મૂળ છે કહેવાતી શહેરી સંસ્કૃતિના આવરણમાં જામેલા અજ્ઞાનની છત્રછાયામાં વકરેલાં ભોગવાદ, ભૌતિકવાદ, સંગ્રહખોરી, હિંસ સંઘર્ષવાદ, વિકૃત અહમહમિકા (હુંપણું), ભીરુ ભાગ્યવાદ ઇત્યાદિ અપલક્ષણો. સામુદાયિક અભિમાનનો ચોકો વાળીને બેઠેલાં જૂથોમાં – જેમ કે પાશ્ચાત્ય ગ્રીક કે રોમન ‘સંસ્કૃતિ’-જૂથોમાં ‘બૂવા’ (ઉમરાવવર્ગ) અને ‘પ્રોલેટેરિયટ' (આમ-જનતા) એવા મત્સરપૂર્ણ જુદા પાકા ચોકા રૂપે – લોકદ્વેષ બેઠા ઝનૂન સાથે પોષાતો જોવા મળે છે. છતાં દરેક યુગમાં સત્ય માટેની જીવંત રુચિ કે લૌકિક ગરજ સુધ્ધાં અનુભવતાં નાનાં સમજદાર જૂથોમાં ઉત્તમ વિચારો ભાવનાઓમાં રૂપાંતરિત થઈને જુદા-જુદા દેશ-કાળમાં ઊછરતા અને જમાનાની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સંકલ્પબળે ફેલાતા જોવા મળે છે; જેમ કે વીસમી સદીથી માંડીને લોક-આરાધના પર આધારિત ‘લોકશાહી'ની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy