SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૦૧ જેવા વિષયો પ્રત્યેનો અભિગમ કેવો વ્યવહારુ છતાં આદર્શસંરક્ષક, સંસ્કૃતિ-સંવર્ધક છે તે આપણે બરોબર જોયું છે. તેમાં એ વાત ઘૂંટાઈ છે કે રાજનીતિ અને અર્થનિર્માણ-પ્રવૃત્તિની સાર્થકતા, સ્વપર-કલ્યાણ સાથોસાથ જ સધાય તેવી મનુષ્યની અસલ ઉચ્ચ પ્રકૃતિ અને તદનુરૂપ તેની કાર્યકુશળતાને માટે પૂરેપૂરો અવકાશ ઊભો કરવામાં અને જાળવવામાં જ છે, અર્થાત્ તેવા ઉચ્ચ હેતુનાં સેવક અને સાધન બની રહેવામાં છે; સ્વયં સાધ્ય બનીને સ્વસ્થ માનવજીવન કે ખુદ માણસનું અને અન્ય જીવોનું નર્યુ અસ્તિત્વ પણ ભૂંડામાં ભૂંડી રીતે રૂંધાય તે રીતે, અજગરની જેમ તે સહુનો ભરડો લેવામાં નહિ જ નહિ. આજના જગની કહેવાતી કે નામની લોકશાહીમાં, આખી ધરતીનું અને તે પરની સમસ્ત જીવસૃષ્ટિનું ધનોતપનોત જ્યારે નજર સામે નીકળી રહ્યું છે, ત્યારે કૌટિલ્ય જેવાનો આવો શાણપણભર્યો અવાજ કોણ સાંભળશે ને કેવી રીતે – તે પૂરા ધ્યાનયોગ સાથે આપણા અંતરતમમાં (દેશ) બેઠેલા સર્વશક્તિમાન્ ઈશ્વરને પૂછીએ અને આ ઘડીએ ભાંગી પડ્યા વિના માનવજીવનમાં શક્ય હોય તેવી અપૂર્વ ભક્તિ કરી છૂટીએ. અગાઉ આપણે દંડનીતિના ધ્યેયનું પણ કૌટિલ્ય કરેલું ટૂંકું પણ સચોટ વર્ણન જોયેલું. એ ધ્યેય ફરી આરીએ : અપ્રાપ્ત અર્થની પ્રાપ્તિ, પ્રાપ્ત અર્થનું રક્ષણ, રક્ષિત અર્થની વૃદ્ધિ અને વૃદ્ધિ પામેલ વિપુલ ધનનું તીર્થોમાં વિતરણ. આ ટૂંકી-ટચ રજૂઆતનો તેમ જ તેમાં છેલ્લે પ્રયોજેલા “તીર્થ' શબ્દનો મહિમા પણ આપણે સમજ્યા હતા. આ વર્ણન કૌટિલ્યના અર્થ અંગેના યથાર્થ દર્શનને સુપેરે વ્યક્ત કરે છે. રાજનીતિનું ધ્યેય નથી આંધળો કે આસુરી પ્રદેશવિસ્તાર, નથી માત્ર પ્રજાનાં દેહ-માલનું “મોટા-ભા' થઈને કરાતું રક્ષણ; ખરેખરું કર્તવ્ય તો છે ભૂમિ-પ્રાપ્તિ, રક્ષણ ઇત્યાદિ થકી પણ છેવટે તો પ્રજાના અભ્યદય (લૌકિક ઉન્નતિ) અને સ્થાયી આત્મ-કલ્યાણ એ બંને શક્ય બને તેવી જીવનોપયોગી પાયાની સાધનસંપત્તિ નરવી રીતે મેળવી આપવાનું – એટલે કે પ્રજા સ્વ-પુરુષાર્થ થકી તે પ્રાપ્ત કરી શકે તે માટે આખું પાયાનું સુવિધા-જાળ (infrastructure) ઊભું કરી તેને સતત નિભાવવાનું. આમ કૌટિલ્યની કલ્પનાની રાજનીતિ તે મુખ્યત્વે નવસર્જક અર્થનીતિ છે. કૌટિલ્યનું દર્શન સરવાળે પ્રજામાં સ્વાવલંબી નિર્વાહશક્તિ જગાડનારું છે; રાજ્યતંત્રને જ પ્રજાકલ્યાણના કર્તા-હર્તા કે મા-બાપ તરીકે ઉપસાવે તેવું કહેવાતું ‘કલ્યાણરાજ્ય' બનાવનારું નહિ. રાજનીતિ એ પ્રજાના અસાધારણ ખમીરને જગાડવાનું નિમિત્ત બનીને જ સાર્થક બને છે – એ છે કૌટિલ્યનું દર્શન. આને લીધે જ “અર્થશાસ્ત્ર'નું “અધ્યક્ષપ્રચાર' નામનું, બધાં અધિકરણોમાં ખાસું મોટું અધિકરણ રાષ્ટ્રની કુદરતી સંપત્તિ(natural resources)ને અત્યંત વૈવિધ્યપૂર્ણ મનુષ્યત્નોથી સારી પેઠે કેવી રીતે વિકસાવવી-વધારવી એની જ અનુભવસિદ્ધ મથામણો નિરૂપે છે. કૌટિલ્ય તે-તે અર્થપ્રવૃત્તિના સ્વાયત્ત અધ્યક્ષો અને તેમના હસ્તકનાં સ્વાયત્ત તંત્રોની જે વ્યવહારુ યોજના સવિસ્તર બતાવી છે, તે વિગતભેદે આજની સરકારો માટે પણ માર્ગદર્શક બની શકે એમ છે. “વાર્તા' એટલે કે હુન્નરો કે ઉદ્યોગો સહિતની વાણિજ્યવિદ્યા (Commerce)નું અધ્યાપન પણ આવા અધ્યક્ષો દ્વારા થાય તેવું કૌટિલ્ય કરેલું સૂચન૯ સાચા વિદ્યાdજની દષ્ટિએ અને ભરતીલાયક અર્થાત્ સ્વવ્યવસાયમાં કે નોકરીમાં જોડાતાં જ ઉત્તમ રીતે કામ સંભાળી શકે તેવા સુસજજ સુશિક્ષિતોની જ સંખ્યાની વૃદ્ધિની દૃષ્ટિએ અત્યંત પ્રસ્તુત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy