SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ હવે સહજ ક્રમ આવે છે અર્થ અંગેના કૌટિલ્યના દર્શનનો. અગાઉ આ અંગે થોડું ઇંગિત કર્યું છે તેમ કૌટિલ્ય આ વિષયને નિરૂપતાં, વ્યવહાર અને આદર્શનો ખૂબ ઠરેલ સમન્વય કર્યો છે. અર્થ' શબ્દનો અર્થ કરવામાં કૌટિલ્ય તેનો વ્યાકરણગત કે કોશગત સામાન્ય અર્થ છોડી દીધો છે અને આખા અર્થશાસ્ત્રના ધ્યેય અંગેની એમની માનવકેન્દ્રી પરિપક્વ સમજણ મુજબ, ધબકતા માનવજીવનના સંદર્ભે એનો ઘણો વ્યવહારુ અને ભ્રાંતિનિવારક અર્થ કર્યો છે. પોતાની વાતનું હાર્દ બરાબર પ્રગટ થાય તે માટે “અર્થ’ શબ્દને સ્ટેજ-સ્ટેજ જુદા આકારે બે રીતે સમજાવ્યો છે. તે બે અર્થો ખરેખર તો એક જ વસ્તુની બે જુદા ખૂણાઓથી પાડેલી છબી જેવી ભિન્નતા ધરાવે છે. પ્રથમ સરળ અર્થ આપતાં કહે છે : “મનુષ્યોનો નિર્વાહ તે અર્થ.” હવે કૌટિલ્ય તો રાજનીતિશાસ્ત્રની રચના કરતાં આ ચર્ચા કરી રહ્યા છે, તેથી રાજ્યતંત્રની દૃષ્ટિએ સીધો પ્રસ્તુત હોય તેવો બીજો અર્થ આપે છે : “મનુષ્યોવાળી ભૂમિ તે અર્થ.” આ બે અર્થોની અ-ભિન્નતા સમજવા આટલી વાત ધ્યાનમાં લઈએ : રાજ્યતંત્રે પોતે દરેક મનુષ્યનો નિર્વાહ જાતે કરી આપવાનો નથી; નિર્વાહ તો દરેક વ્યક્તિ કે પરિવારે પોતાના પુરુષાર્થથી કરવાનો છે. પણ રાજયતંત્રનું કામ છે મનુષ્ય જાતે પોતાનો નિર્વાહ કરી શકે તેવાં સાધનો એને હાથવગાં કરી દેવાનું. હવે કૌટિલ્ય એ સાધનોનું સમાન ઉત્પત્તિસ્થાન પકડી લે છે : તે છે જમીન, મુલ્ક કે પૃથ્વી. પણ એકલી જમીન કાંઈ નિર્વાહ સાધનો એમનેમ જેવાં ને જેટલાં જોઈએ તેટલાં પૂરાં પાડતી નથી. એ માટે ભૂમિ કે તેના પરની સૃષ્ટિ કાંઈક કીમત માગે છે, નિર્વાહ ઇચ્છતા સચેતનોના અનુરૂપ વ્યાપારની અપેક્ષા રાખે છે. એ જ તો છે હમણાં યાદ કરેલી પેલી દેવો (સૃષ્ટિગત શક્તિઓ) અને મનુષ્યોના પરસ્પર સહયોગની વાત ! એ જ તો છે સૃષ્ટિ અને મનુષ્યોના દ્વતભ્રમનો ભેદક, એકત્વનો નિર્દેશક, નિત્યના ઉત્સવરૂપ મહારાસ ! અહીં એ પણ સમજવા જેવું છે કે અર્થની ઉત્પત્તિ માટે સૃષ્ટિ મનુષ્યોના વધુ પડતા કે આસુરી ઉધામાઓની અપેક્ષા નથી રાખતી; બબ્બે તેને તો મહા-અનિષ્ટરૂપ ગણે છે. દા.ત. માનવજાતે સંભાળેલી, ઇતિહાસના મોટા ભાગના દેશકાળમાં વ્યાપેલી સનાતન ખેતી મનુષ્ય જાળવેલા ઉપસ્થિતિ-વ્યાપાર, ઉર્વરતા-સંરક્ષક ભૂમિસેવા-વ્યાપાર, બીજના સંચય અને પુનરુત્પાદનનો વ્યાપાર, દેશ-કાળાનુસારી વાવણી-વ્યાપાર, વાવણીમાં પાકોના વૈવિધ્ય અને પરસ્પર સંમિશ્રણની જાળવણીનો વ્યાપાર – આવા આવા શમ-વ્યાયામના મિશ્રણરૂપ ઉદ્યમની, અપેક્ષા રાખે છે. તો આ દૃષ્ટિએ કૌટિલ્ય “અર્થની વ્યાખ્યામાં ભૂમિ માટે મનુષ્યવતી વિશેષણ વાપર્યું, પણ અનર્થ નિવારવા મનુષ્યવ્યાપારવતી એવું વિશેષણ વાપરવાનું સૂક્ષ્મ વિવેકથી ટાળ્યું ધરતીને અપેક્ષા છે મનુષ્યના ભર્યા-ભર્યા મૈત્રીપૂર્ણ સાન્નિધ્યની અને તજજન્ય સહજ અને નરવી (શમયુક્ત) ઉદ્યમની. આ અગાઉ, આ વ્યાખ્યાનમાં “રાજપુરુષયોગ્ય વિદ્યાઓ' એ ત્રીજા મુદ્દામાં દંડનીતિ-વિદ્યાના' બાકીની વિદ્યાઓ સાથેના સંબંધની ચર્ચારૂપે તેમ જ એને જ મળતી, ત્રિવર્ગમાં અર્થપુરુષાર્થના સ્થાન અંગેની ચર્ચામાં, કૌટિલ્યનો, રાજનીતિવિદ્યા તેમ જ અર્થપુરુષાર્થ એ બંને એક સિક્કાની બે બાજુઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy