SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય મુસાફરી કરનારને માત્ર તૂતક (ડેક) પર આંટા મારી શકાય તેટલી જ મોકળાશ કે હલચલની તેટલી જ સ્વતંત્રતા હોય છે, તેમ જીવનમાં પણ મનુષ્યના હાથમાં તેવી જ મર્યાદિત મોકળાશ, સ્વતંત્રતા કે તક હોય છે. તેટલી મર્યાદિત સ્વતંત્રતાનો ઉપયોગ પણ જરા ય પ્રમાદ કે નિરાશા રાખ્યા વગર કરી છૂટવું અને એવી દૂરંદેશી કે ઠરેલ રીતે કરી છૂટવું કે જેથી પસ્તાવા વારો ન આવે અને પોતાની સાંસારિક ઉન્નતિ અને ઉચ્ચતર કલ્યાણ એ ઉભયની આરાધના થઈ શકે. એ જ છે ધર્માચરણ. કૌટિલ્ય રાજનીતિક્ષેત્રે, રાજપુરુષોને પણ એવી જ સાવધતાથી પોતાનું રાજનૈતિક કર્મ આચરવાની સોનેરી સલાહ આપે છે. અગાઉ જે વ્યાયામ અને શમ ગણાવ્યા છે, તેમને અનુક્રમે આ માનુષકર્મ અને દૈવકર્મ સાથે જોડવાનું યોગ્ય લેખાશે (ભલે કૌટિલ્યે સ્પષ્ટ ન કર્યું હોય); અર્થાત્ ચિંત્ય માનુષકર્મ પ્રત્યે વ્યાયામનો અમલ અને અચિંત્ય દૈવકર્મ પ્રત્યે શમનો અમલ. વળી હમણાં ચર્ચેલું તેમ ખુદ માનુષ કર્મ પોતે પણ એકલા વ્યાયામરૂપ નહિ, પણ વ્યાયામ અને શમ બંનેના વિવેકી ઉપયોગવાળું બની રહેશે. આ ગણતરીએ જોતાં એકંદરે જીવન શમપ્રધાન ઠરે છે; વ્યાયામપ્રધાન નહિ. આનો એ અર્થ પણ થયો કે શુદ્ધ કર્તવ્યરૂપ વ્યાયામ ઉત્તમ રીતે, પ્રખર રીતે અને પ્રમાદ-આળસ બંનેના ત્યાગપૂર્વક પૂરા કે ઉત્સાહ સાથે છતાં નિરહંકારિતા પૂરી જાળવીને આચરવાનો રહે છે. - - ૯૭ કૌટિલ્યે રજૂ કરેલા આ મૂલ્યવાન્ વિશ્લેષણને એક સૃષ્ટિ-વ્યાપી સંવાદિતાના વિશ્લેષણ કે કથન તરીકે પણ સમજી શકાય : આખું વિશ્વ વ્યષ્ટિ (વ્યક્તિ) અને સમષ્ટિ(સજીવો સહિતની સૃષ્ટિ)ના પારસ્પરિક તાલથી પ્રવર્તે છે જાણે કે સામ-સામી દડાફેંકની રમત ચાલે છે ! અજ્ઞાનજન્ય સંઘર્ષદર્શનને સ્થાને આ વ્યાપક સંવાદિતાને બરાબર ઓળખી લેવાય, તો મનુષ્યના ભવરોગરૂપ અહંકારનું, તેમાંથી પેદા થતી જીવનવિઘાતક સંઘર્ષશીલતાનું આપોઆપ નિરસન સધાય. બાઈબલ સાથે પૂરી સમજણપૂર્વક સંમત થઈને શાણો દરેક મનુષ્ય પૂરા આત્મસંતોષ સાથે પરમશક્તિ કે ઈશ્વર પ્રત્યે આમ કહી શકે : ‘‘તારા સંકલ્પ મુજબ થજો, મારા સંકલ્પ મુજબ નહિ” (Let thy will be done, not mine). Jain Education International મનુષ્યસંસ્કૃતિના ઉત્તમ પરિપાકરૂપ ઘીર (ધી એટલે કે બુદ્ધિને -ર્ડરતિ એટલે કે પ્રેરનારો; તટસ્થ અને અધ્યયનશીલ) શબ્દ છેક ‘ઋગ્વેદ’માં પણ અનેક ઋષિઓ દ્વારા, તેનો ખૂબ મહિમા કરાઈને પ્રયોજાતો રહ્યો છે. મહાકવિ કાલિદાસે પણ એ મહિમાને સ્થાયી બનાવે એવી ‘ધીર’ની ઉત્તમ વ્યાખ્યા પ્રાસંગિક રૂપે તેમના કુમારસમ્ભવમ્ મહાકાવ્યમાં આમ આપી છે : ‘‘વિકારનું કારણ હોય, છતાં જેમની ચિત્તધારા વિકાર ન પામે તે જ ધીર૪.' રાજા કે રાજપુરુષ માટે આવું ધીરત્વ જ સર્વસમાવેશક મહાગુણ તરીકે ખપનું છે તે વ્યાયામ અને શમના સંદર્ભે થયેલી ઉપર્યુક્ત સમગ્ર ચર્ચાનો સાર છે. સંસ્કૃત કાવ્યો-નાટ્યકૃતિઓના નાયકપ્રકારોમાં પણ ધીરત્વ સર્વસામાન્ય લક્ષણ હોય છે. સંભવતઃ શમ-વ્યાયામની આ ચર્ચાનો જ પડઘો રાજનીતિના ઉપાયોની ખૂબ જાણીતી યાદી સામ, દાન, દંડ, ભેદ માં પાંચમા ઉપાય તરીકે કામંદક જેવા રાજનીતિશાસ્ત્રકારો દ્વારા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy