SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૯ પ્રજાને સંતોષવાની દૃષ્ટિએ લોકસ્તરે રાજાએ લોકાયતદર્શનનું અનુસરણ કરીને પ્રજાની ભૌતિક સુખો માટેની ઇચ્છા પોષવાની વાત પણ અંકે થાય છે. (એક સુભાષિતમાં પૂરી લોકવન્સલતા સાથે કરાયેલું આ વિધાન અને નિદાન યાદ રાખીએ : “લોક પારમાર્થિક નથી”– નો: પરમથ: .) ‘ઉત્તરરામચરિત' નાટકમાં ભવભૂતિએ માર્મિક રીતે આને “પ્રજાઓનું અનુરંજન' કહ્યું છે. “અનુરંજન' એટલે કોઈ વ્યક્તિને કે કોઈ સમુદાયને, તેનું કોઈ સ્થાયી હિત ન હણાય તે રીતે, તેની નરવી ઇચ્છાઓને પૂરતા પ્રમાણમાં સંતોષીને રાજી રાખવાં તે. ન તો પ્રજાઓને આળસુ, એશઆરામી અને પરોપજીવી બનાવવાની છે, ન તો રેઢિયાળ શાસનપદ્ધતિ અપનાવી એના જીવનને અનુચિત અભાવોથી કે અગવડોથી લૂખું-સૂકું અને નર્યું બોજારૂપ થવા દેવાનું છે. એકંદરે ઉક્ત દર્શનના અધ્યયનનું આવું વ્યક્ત પરિણામ કૌટિલ્યને અભિપ્રેત જણાય છે. કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર વિવિધ મનુષ્યોના તેમ જ વિવિધ વિદ્યાઓના પારસ્પરિક અનુબંધ(સુમેળ)થી અને સમન્વયથી જ ધન્ય, સમર્થ અને ચિરંજીવી બને છે; નિત્ય વિકસતાં રહે છે. રાજપુરુષોની કેળવણીની આ ચર્ચાના ઉપસંહારમાં એક મહત્ત્વની વાત ઉલ્લેખીએ. ‘અર્થશાસ્ત્ર'માં, દંડનીતિના અન્ય ગ્રંથોમાં, તેમ જ સ્મૃતિગ્રંથોમાં અને “મહાભારત', પ્રાચીન પુરાણો ઇત્યાદિમાં રાજા માટે નિત્ય વૃદ્ધસેવનની ભલામણ ખાસ કરવામાં આવતી હોય છે. અર્થશાસ્ત્ર'ના અધ્યાય ૪.૧નું શીર્ષક જ છે “વૃદ્ધસંયોn:'. અહીં “વૃદ્ધ'નો અર્થ ઉંમરથી ઘરડાં નહિ, પણ વૃદ્ધિ પામેલા અર્થાત્ જ્ઞાન, અનુભવ કે મહત્ત્વનાં કૌશલોમાં આગળ વધેલાં – એવો સમજવાનો છે. સમાજમાં જે કોઈ પાકા જ્ઞાનીઓ કે જુદી-જુદી કોઠાસૂઝ ધરાવનારાઓ છે, તે જ રાષ્ટ્રનું ખરું સ્થાયી બળ છે. તે સૌ વિષે સામેથી પૂરી જાણકારી કાયમી રૂપે રાજ્યના દફતરમાં જાળવતા રહીને તેમની પાસે સામેથી જઈને જ્ઞાન, માર્ગદર્શન મેળવતા રહેવાની રાજવંશની નમ્રતા અને તત્પરતા એ કોઈ પણ રાષ્ટ્ર માટે ખરેખરી સુરક્ષાનું અને સદા ઠરેલ રાજનીતિ જાળવીને સર્વના સર્વાગી વિકાસનું કારણ બની રહે છે. “પૂછે પંડિત થાય' એ કહેવત મુજબ રાજા માત્ર પોતે યુવાવસ્થામાં મેળવેલા જ્ઞાન પર કે માત્ર નિમાયેલા મંત્રીઓ કે અમાત્યોના જ્ઞાન પર બધા નિર્ણયોનો આધાર ન રાખતાં, રાષ્ટ્રમાંનાં વિવિધ ગામો કે નગરોમાં સ્થિર થયેલાં, સાદું જીવન જીવતાં, ઉચ્ચ જ્ઞાન પામેલાં નરનારીઓ કે વનવાસી ઋષિઓનો સમાગમ, પોતાના રાજપદનું અભિમાન સદંતર ત્યજીને સાધે, તો રાજકાજનાં વિવિધ અંગો વિષે અભિનવ અને સંસ્કારપૂર્ણ જ્ઞાન મેળવી શકે, અને એથી એના રાજકાજમાં નવી જ નિર્ણયશક્તિ ખીલે. નમ્રતા એ જ જ્ઞાનનું મૂળ કારણ છે; કારણ કે જ્ઞાન સહુને જોડનારું પરિબળ છે; અતડા, અભિમાની કે એકલપેટાને સાચું જ્ઞાન મળતું નથી. એવું કહેવાય છે કે જ્ઞાન કરતાં જ્ઞાનનો આદર ચઢે. પશ્ચિમના અમેરિકા-યુરોપનાં રાષ્ટ્રોમાં કૉલેજો-યુનિવર્સિટીઓના અધ્યાપકોના કોઈ પણ બાબતના મતનું ઊંચું મૂલ્ય આંકવામાં આવે છે અને તેમનો અભિપ્રાય સામેથી પુછાય છે. ઉદ્યોગો વગેરે વ્યવહારજગતની મોકાની સંસ્થાઓ પણ તેમના અભિપ્રાયનો આદર કરે છે, એની કીમત કરે છે. એમને સરકારી કે અન્ય અનેક મહત્ત્વની સલાહસમિતિઓમાં ખાસ સ્થાન અપાય છે. કમનસીબે આજના ભારતમાં આવી સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy