SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ૮૮ નબળા યુગો તરફ માનવજાત આગળ વધતી હોઈ આ દર્શન અને ધર્મો એનો મૂળ ઉચ્ચ મહિમા ગુમાવીને પણ, માનવજાતને અને એની નરવી સમાજવ્યવસ્થાને યથાશક્ય ટકાવવા મોજૂદ છે. સમય ગમે તેટલો વિષમ હોય, ધર્મ પાળવો ભલે ખૂબ મુશ્કેલ હોય, તો પણ ધૈર્યને પૂરો અવકાશ છે એમ સમજીને સમજદારોએ કર્તવ્યબુદ્ધિથી ધર્મની પડખે ઊભા રહેવું જોઈએ અને ધર્મતત્ત્વોની સમજણ ખિલવતા જઈને તે મુજબ યથાશક્ય ધર્મ જીવનમાં ઉતારવાનું નિઃશંક ચાલુ રાખવું જોઈએ. (ભ.ગીતા કહે છે : “આ ધર્મનો અલ્પ અંશ પણ મહા-ભયમાંથી બચાવે છે” – સ્વલ્પમધ્યસ્થ ધર્મસ્થ ત્રાયતે મતો મયાત્ | ૨.૪૦B.) વળી સમભાવથી જીવનની વિષમતાઓ શમાવવાના ઉપાય તરીકે આવાં અધ્યાત્મલક્ષી ધર્મો-દર્શનોનો લોકમાં પ્રસાર પણ કરવો ઘટે. કૌટિલ્ય પણ આ બાબત પૂરતા જાગૃત અને શ્રદ્ધાવાનું છે. એથી એમણે રાજપુરુષો માટે ખપની વિદ્યાઓની યાદીમાં પૂરી સમજણ સાથે અને યોગ્ય હેતુનિર્દેશ સાથે આન્વીક્ષિકી-વિદ્યાનો પહેલી જ વાર સમાવેશ જાહેર કર્યો. વળી અધ્યયનયોગ્ય ચોક્કસ દર્શનોનાં નામ પણ પૂરેપૂરી સાવધતા જાળવીને દીધાં. એ સિવાયનાં દર્શનોના અધ્યયનનો નિષેધ તો એમને અભિપ્રેત ન જ હોય. વળી જે ત્રણ દર્શનો ઉલ્લેખ્યાં તેમનો ક્રમ પણ પૂરા ઔચિત્યનો વિચાર કરીને જ આલેખ્યો છે. જ્ઞાનશુદ્ધિ માટે પ્રથમ સાંખ્યશાસ્ત્ર ઉલ્લેખ્યું. જ્ઞાન વગરનો આચાર કર્મકાંડમાત્ર બની રહે અને કાળક્રમે ઝનૂનમાં ય પરિણમે અને સમજણના અભાવે, પોતાના ઉપરનો સ્થૂળ અંકુશ જેવો દૂર થાય યા પોતાના ઉપર ચઢેલો વળ જેમ દૂર થતો જાય તેમ તે આચાર સદંતર છૂટી જઈ પણ શકે. આમ જીવનનું ધ્યેય બૌદ્ધિક સ્તરે સમજી લીધા બાદ બીજા ક્રમે એ જ્ઞાન દીવા જેવું સાફ બની પોતાનામાં ઓતપ્રોત અને આત્મસાત્ થઈ જાય તે માટે, જરૂરી ચિત્તશુદ્ધિના પીઠબળ દ્વારા પરમશક્તિના અસ્તિત્વને સાક્ષાત્ સંવેદતા જઈને એના સાન્નિધ્યનું સેવન કરવા યોગદર્શનનું, પ્રયોગકૌશલસાધક સેવન કરવાનું સૂચવવામાં આવ્યું છે. આવું ઈશ્વરપ્રણિધાન' (ઈશ્વરસ્વરૂપમાં નિજ સ્વરૂપનું સમર્પણ) ક્રમશઃ લૌકિક પુરુષના સર્વ દોષો અને તેની સર્વ મર્યાદાઓની નિવૃત્તિમાં પરિણમતાં, પુરુષમાં જ ઈશ્વરત્વનો, આત્મામાં જ પરમાત્મરૂપતાનો ઉદય થાય છે. એ તો અવશ્ય માનવું પડે કે આમ થતાં યુવરાજની કે જે-તે રાજપુરુષની પ્રતિભાનો ઉજ્વળ-નિર્મળ પિંડ બંધાય, એનામાં અખંડ સમતા અને તેજસ્વિતા બંને સ્થપાય. આજે પણ અતિયાંત્રિક જીવનનાં માઠાં પરિણામોનો, તનાવોનો અનુભવ અસહ્ય બનતો જાય છે તેમ, ભારત ઉપરાંત જગતના અનેક દેશોમાં પણ યોગ તરફ આકર્ષણ વધવા માંડ્યું છે – ભલે હજી એમાં અનેક ભ્રમો, આવેશો અને છીછરાપણું પણ હોય. પરંતુ એ દ્વારા, એકંદરે, માનવની સાચા-સમતોલ જીવન માટેની ઉત્કટ રુચિ અને ભૂખ એ બંને બરાબર પરખાય છે. આવી રીતે અનુક્રમે જ્ઞાનપ્રધાન અને સાધનાપ્રધાન બે દર્શનોમાં થયેલા હૃદયપ્રવેશથી અંત:સમૃદ્ધ થયેલ અભ્યાસીને ત્રીજા ક્રમે, ઉપર કહ્યું તેમ, પ્રતિપક્ષના સમતાપૂર્ણ પરિચયથી સરવાળે પોતાની આગલાં બે દર્શનોની સમજણને શંકામુક્ત અને સુદઢ કરવા અર્થે જ, લોકાયત-દર્શનના અધ્યયનની ભલામણ કરાઈ છે. એનો નિર્દેશક્રમ પણ કૌટિલ્યનો આ જ અભિપ્રાય સૂચવે છે. વળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy