SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૭ વાદીઓ મૂળમાં તો પ્રામાણિક અને નિખાલસ હોય છે. તેઓ પ્રત્યક્ષપ્રમાણ અને બહુ-બહુ તો લૌકિક અનુમાન – આ બે પ્રમાણો સિવાય બીજાં જ્ઞાનસાધનોને જાણતા કે માનતા નથી. એટલે હૈયે તે હોઠે લાવે છે. દંભી આદર્શવાદ સામે એમને સાચી ફરિયાદ પણ હોય છે. “શબ્દપ્રમાણ” તરીકે અંગીકારાતાં શાસ્ત્રોને તેઓ પ્રમાણ માનતા નથી, તેથી તેમાંની બધી વાતોને એક ઝાટકે નકારવામાં પાછું વળીને જોતા નથી. એટલે મૂળમાં તો જ્ઞાનસાધનો બાબતની મનુષ્યની મૂંઝવણ જ આવા મતોના અસ્તિત્વ માટે જવાબદાર છે. એટલે આવા મતોને કે તેમાં માનનારાઓને માત્ર વગોવીને અવગણવામાં નથી સાચી સામાજિકતા કે નથી કર્તવ્યપૂર્તિ. એમની પ્રત્યક્ષ-પરાયણતાના મૂળમાં પણ છે ભૂખ-તરસ-ટાઢ-તાપ બાબતે એમના દ્વારા અનુભવાતી લાચારી. જ્યાં સુધી મનુષ્ય આપસૂઝથી શરીર સિવાયના પોતાના સ્વરૂપને સંવેદતો ન થાય, ત્યાં સુધી ઇન્દ્રિયો સિવાયનાં બીજાં જ્ઞાનસાધનો એ પારખી નહિ શકે કે જીવન અંગેની પોતાની સમજણ બદલી નહિ શકે. આ વસ્તુસ્થિતિની નોંધ ઉપનિષમાં આમ લેવાઈ છે : “સ્વયંભૂ(બ્રહ્મા)એ ઈન્દ્રિયોને બહારની બાજુએ મંડાયેલી ઘડી, એટલે જીવ બહાર જ જુએ છે, પોતાની માંહેના આત્માને નહિ.૨૯” માનવઅસ્તિત્વ સાથે જોડાયેલી આ પ્રમાણ સંબંધી કટોકટી કે સમસ્યાને ધ્યાનમાં લઈને જ અનેક સહૃદય ભારતીય ચિંતકોએ પ્રમાણવિચાર અર્થે પોતાનાં મહત્તમ સમયશક્તિ હોમ્યાં છે. યોગવિદ્યાએ મનુષ્યનું પ્રમાણક્ષેત્ર વિસ્તારવા ખૂબ જ પાયાનું એવું ચિત્તશુદ્ધિના ઉપાયો શીખવવાનું કામ કર્યું છે. એટલે રાજાએ કરવાના દર્શનોના અભ્યાસમાં એક ધ્યાનયોગ્ય પૂર્વપક્ષ તરીકે અને લોકમાનસની વસ્તુસ્થિતિ ધ્યાનમાં લેવા માટે કૌટિલ્ય લોકાયત-દર્શનનું પૂર્વગ્રહમુક્ત અધ્યયન પણ આવશ્યક બતાવ્યું હોવાનું સમજાય છે. “અવિઘાને અવગણીને એકલી વિદ્યાનું સેવન એ વિશેષ અંધારો માર્ગ છે” એવી આ બીજા વ્યાખ્યાનમાં અગાઉ (ટિપ્પણ ક્ર. ૧૦, ૧૧ સાથે) ઉલ્લેખેલી “ઈશોપનિષદ્'ની વાત અહીં પણ લાગુ પડે છે. અન્ય આસ્તિક દર્શનમાં દેખીતી રીતે શ્રદ્ધા ધરાવનારનું મન પણ ઝટ દ્વિધા ન છોડતું હોઈ તેને પણ વ્યવહારમાં લોકાયત-દર્શન તરફ અભાન આકર્ષણ તો હોય જ છે. એથી પોતાનું ડગમગતું જ્ઞાન પાકું કરવા પણ વિરુદ્ધ દર્શનનો સમતાથી અને તેજસ્વી બુદ્ધિથી અભ્યાસ કરવો ઘટે. દંડનીતિવિદ્યાના અતિપ્રાચીન આચાર્યો પૈકી પણ અનેક લોકાયત-દર્શન તરફની વણકહી એવી પણ સક્રિય રુચિ ધરાવનારા હોવાનું અર્થશાસ્ત્રમાં ઉલ્લેખાયેલા તેમના મતો તપાસતાં જરૂર લાગે; દા.ત. બૃહસ્પતિ, શુક્ર(ઉશનસ્), ભારદ્વાજ વગેરે અને તેમના અનુયાયીઓ. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે આસ્તિક અને આદર્શરૂપ (અર્થાત્ મનુષ્યની સુપ્ત ઉચ્ચતર પ્રકૃતિ કે પ્રતિભા અન્વયે “આદર્શ એટલે કે અરીસાની ગરજ સારતાં) દર્શનો અને તેમના જ આધારે વિભિન્ન દેશ-કાળના વિશાળ પટમાં ઉદય પામેલી મૌલિક વિભૂતિઓની ઉન્નતિગામી, તેમ જ પોતપોતાના સમાજોની શુદ્ધિ સાધનારી જીવનચર્યાને આધારે વિકસેલા ધર્મો – જેમાં સદાચાર પર પ્રતિષ્ઠિત આધ્યાત્મિક વિકાસપથનો દિવ્ય વારસો, ખપી જીવો માટે ખુલ્લો મુકાય છે - એ ઉભય, સુદીર્ઘ માનવઇતિહાસની દૃષ્ટિએ હજી ઉંમરમાં નાનાં અને પ્રમાણમાં અર્વાચીન ગણાય તેવાં છે. કદાચ એમ પણ હોય કે અનેક પ્રાચીન પરંપરાઓ બતાવે છે તેમ, અત્યારે ક્રમશઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy