SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૫ ભાવે એ પરંપરાઓ પુનઃ વિધિપૂર્વક અપનાવાવાની મથામણો શરૂ થઈ છે. પતંજલિએ પ્રાચીન પરંપરાઓમાંથી એક સમન્વિત સર્વગ્રાહી અષ્ટાંગી માળખું ઊભું કરીને તે સર્વ અંગો વિષે, ઉચ્ચ પ્રતિભાના અને યોગાનુશીલનના આધારે પોતાના યોગશાસ્ત્ર દ્વારા ઉત્તમ અને ઊંડાણવાળું માર્ગદર્શન આપ્યું છે. એ રીતે યોગશાસ્ત્ર શરીર-મનની ઉત્તમ કેળવણી દ્વારા પ્રબુદ્ધ અને ગુણગણસમૃદ્ધ એવા માનવનું નિર્માણ કરવાનો મહામાર્ગ બની રહે છે. તેની સંગીન તાલીમ સમાજનું વધુ અર્થપૂર્ણ સાંસ્કૃતિક નવનિર્માણ કરવાની પણ ઉત્તમ રુચિ જગાડે એમ છે. તેથી રાજા અને રાજપુરુષો માટે પોતાની વિદ્યાસંપન્ન પ્રતિભાને સમતોલ, આંતરિક કેળવણીયુક્ત અને આત્મબળસભર કરવા માટે યોગશાસ્ત્રની સમજણ અને તેની યથાશક્ય નિત્યની સાધના ખૂબ ઉપકારક બને. રાજાને મુખ્ય વ્યાવસાયિક તાલીમ (વિનય) તો શસ્ત્રાસ્ત્રપ્રયોગ, અસવાર-વિદ્યા ઉપરાંત દંડનીતિ અને વાર્તા વિદ્યાઓ દ્વારા મળે છે, પણ એની પ્રતિભા ‘નિયમ” (વ્રતબદ્ધ સંયમી જીવનશૈલી) પામે છે ત્રયી અને આન્વીક્ષિકી દ્વારા – આન્વીક્ષિકીમાં સવિશેષ યોગની નિયમિત સાધના દ્વારા. યોગનું ધ્યેય છે આત્મદર્શનનું – પોતે દેહ, ઈન્દ્રિય, મન, બુદ્ધિથી પર એવો આત્મા છે તેની પ્રતીતિનું. એટલે, અગાઉ કહ્યું છે તેમ, કૌટિલ્ય રાજાના ગુણોના એક જૂથને “આત્મસંપ’ એવું નામ આપે છે. એ ગુણજૂથની ખિલવટમાં યોગસાધનાનો મોટો ફાળો રહે છે. આવા આધ્યાત્મિક સંસ્કારથી રાજા પ્રજાની માત્ર બાહ્ય સુખાકારી માટે જ નહિ, તેમના ઉચ્ચતમ કલ્યાણ માટે પણ માર્ગો મોકળા કરે છે. યોગનું યોગ્ય શિક્ષણ અગ્રણી રાજપુરુષોને પણ વધુ કાબેલ અને ઠરેલ અધિકારી અવશ્ય બનાવે છે. આજકાલ I. Q. (Intellectual Quotient – બુદ્ધિમાનાંકો ઉપરાંત E. O.(Emotional Quotient - ઊર્મિમાનાંકોનો પણ મહિમા સમજાવા માંડ્યો હોઈ, ઉચ્ચ અધિકારીઓને એ માટેના ખાસ શિબિરોમાં અપાતી વિવિધ તાલીમોમાં યોગની તાલીમ પણ સમાવેશ પામે છે. ' ગીતા કહે છે તેમ વ્યવહારદૃષ્ટિએ યોગ એ કર્મનું કૌશલ છે, એ કૌશલ ગીતાકારને માત્ર બાહ્ય એટલે કે કાર્યદક્ષતારૂપ જ અભિપ્રેત નથી; વિશેષે તો ચિત્તવૃત્તિની દક્ષતારૂપ – સમસ્વરૂપ, અનાસક્તિરૂપ – અભિપ્રેત છે તે તરત પૂર્વે આપેલી યોગની બીજા વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે (યો 1: ર્મસુ ઋીશનમ્ – ૨.૧૦ અને સમવં યોગ ૩mતે ૨.૪૮ એમ સુંદર બે સમીકરણો !). એવા વિનીત રાજનું રાજય તઘલખી અતિરેકોવાળું કે જુલ્મી ન જ હોય, શૈવધર્મ ઉપરાંત બૌદ્ધધર્મને જીવનમાં અપનાવનાર કનોજના વર્ધનવંશમાં થયેલા ભારતના છેલ્લા સમ્રાટ્ હર્ષવર્ધનનું અત્યંત સમર્થ, કાબેલ, ઉદાર શાસન દષ્ટાંતરૂપે સ્મરવા યોગ્ય છે. આ બે પરસ્પરપૂરક ઉત્તમ દર્શન-પરંપરાઓની સાથે “લોકાયત'(ચાર્વાક)-દર્શનના અધ્યયનની-ભલામણ સમાવીને કૌટિલ્ય આપણને વિચારતા કરી મૂક્યા છે. “લોકાયત” એટલે લોકમાં આયત (ફેલાયેલું) દર્શન. એનું વધુ પ્રસિદ્ધ નામ છે “ચાર્વાકદર્શન'. અન્ય પરંપરાઓ દ્વારા એને (જેમ જૈન તથા બૌદ્ધ દર્શનોને) “નાસ્તિક દર્શન” તરીકે ઓળખવામાં આવે છે. વેદનિંદા અને શ્રદ્ધાના મુખ્ય વિષયોરૂપ ઈશ્વર, કર્મતત્ત્વ, પુનર્જન્મ, મુક્તિ ઇત્યાદિ અલૌકિક તત્ત્વોને ન માનવાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy