SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એક અત્યંત રસપ્રદ વાત એ છે કે ગીતાકારે જગતના માત્ર તાત્ત્વિક વિશ્લેષણ માટે જ નહિ, પણ લોકના આહાર, દાન, તપ ઇત્યાદિ વ્યવહારોમાં જોવા મળતા વર્તનભેદને સમજવા માટે પણ ગ્રંથના છેલ્લા બે (સત્તરમી-અઢારમા) અધ્યાયોમાં સાંખ્યશાસ્ત્રનો છૂટથી ઉપયોગ કર્યો છે. તે રીતે ભારતીય આયુર્વેદચિંતકોએ પણ સાંખ્યશાસ્ત્રના ઊંડા જ્ઞાનનો આરોગ્યશાસ્ત્રની ખિલવટમાં વિપુલ ઉપયોગ કર્યો છે. ભારતીય પરંપરામાં સાચું તત્ત્વજ્ઞાન પામવા માટે માત્ર ગમે તે એક દર્શનનો અભ્યાસ પૂરતો મનાયો નથી – જેમ પેલા દસ અંધો પૈકી કોઈ પણ એક દ્વારા થયેલું હાથીના સ્વરૂપનું જ્ઞાન કે વર્ણન હાથીના યથાર્થ સ્વરૂપને સમજવા માટે પૂરતું નથી. ‘શિવમહિમ્નઃસ્તોત્રકાર કહે છે તેમ, એક-એક દર્શન મનુષ્યની કોઈ ને કોઈ આગવી રુચિથી જે-તે આકાર પામ્યું હોય છે – કોઈનો વિચારપથ સીધો-સાદો (ઋગુ) છે, કોઈનો વાંકોચૂંકો (દિત). આ સ્થિતિમાં મનુષ્ય પોતાની આગવી પ્રતિભાથી તે-તે દર્શનના વિશ્લેષણનો આદરથી અને નિદિધ્યાસન (ધ્યાનયોગ) સહિતના પરિશ્રમથી બોધ તારવીને પોતાની વરણ-શક્તિ મુજબ તેમાંથી અનુરૂપ વાતો જ અપનાવવાની હોય છે. વળી દરેક વ્યક્તિ બધાં બૌદ્ધિક દર્શનોનો અભ્યાસ કરે એ ન જરૂરી છે, ન શક્ય. તેથી વ્યક્તિસ્વભાવભેદ કે વ્યવસાયભેદે દર્શનો પૈકી અમુકના અધ્યયનની ભલામણ સમજદારો દ્વારા કરાય છે તે તો ભાર મૂકવા માટે. એટલે એમાં અન્ય દર્શનોના અધ્યયનનો નિષેધ ન સમજવો. છેવટે તો દર્શનોનું અધ્યયન બુદ્ધિને સૂક્ષ્મ, સમગ્રદર્શી અને તટસ્થ બનાવવા માટે છે; તેમાંના કોઈ આદેશો અવિચારે માથે ચઢાવી લઈ માત્ર આજ્ઞાંકિત બનવા માટે નહિ. મનુષ્ય માત્ર બહિર્મુખ થવા જ સર્જાયો નથી; અંતર્મુખતા એના સ્વભાવનું, એના અસ્તિત્વનું પાયાનું પાસું છે. એ દૃષ્ટિએ જોતાં, “સાંખ્ય-દર્શનમાં એના નામ પ્રમાણે સંસારસ્વરૂપનું જે તટસ્થ પરમોચ્ચ જ્ઞાન (સં-રો – સારી રીતનો બોધ) આપવામાં એના દ્રષ્ટાઓની પ્રતિભા પ્રયોજાઈ છે, તે તો મુક્તિતત્ત્વની ગહન શ્રદ્ધા પર આધારિત મુક્તિસાધનાના ધ્યેયનું જ અંગ છે. એટલે જ એમાં પુરુષના મૂળ સ્વરૂપ અંગેની પારદર્શી ઉજ્જવળ કલ્પના પણ બરાબર સ્થાન પામી છે. પુરુષને એ સ્વરૂપની અનુભૂતિમાં જે મહાબાધા છે, એની નિવૃત્તિ માટેની સાધનાનો જ ખપ છેવટે તો સાંખ્યચિંતકોને છે. એ સ્થિતિમાં અગાઉ સૂચવ્યા પ્રમાણેની પરસ્પરપૂરકતાની પ્રતીતિના સંદર્ભે જ સાંખ્યયોગની જોડી જામી. આથી કૌટિલ્ય અન્ય અનુશીલનયોગ્ય દર્શન તરીકે ‘યોગનો ઉલ્લેખ કર્યો છે. તે મુખ્યત્વે ચિત્તવૃત્તિના સંસ્કરણ અને સમાયોજનની કેળવણી આપનારી પ્રાયોગિક દર્શનશાખા છે. વૈદિક, જૈન, બૌદ્ધ એ ત્રણે ય મુખ્ય ધર્મધારાઓમાં કોઈ ને કોઈ સ્વરૂપે બહુ જ પ્રાચીન સમયથી યોગ કે ધ્યાન નામે ચિત્તનિયમનની કેળવણી, સંન્યાસી ઉપરાંત ગૃહસ્થવર્ગમાં પણ સ્થાનિક સ્વાયત્ત સ્વરૂપે, વ્યક્તિ અને સમાજના પાયાના સાંસ્કારિક ઘડતર અર્થે, તેમ જ સુખશાંતિથી ભરેલી નિર્મળ-મનોહર જીવનશૈલી અર્થે સ્વયંભૂ રુચિથી વ્યાપકપણે અપનાવાતી હોવાનું જાણકારો દ્વારા કહેવાતું હોય છે. આજના વિષમતાપૂર્ણ વિશ્વમાં એવી તાતી જરૂર સમજીને વૈશ્વિક વ્યાપકતા સાથે, સંપ્રદાયનિરપેક્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy