SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Ce૨૮ - ન્યાયાવતાર) ३०. तदप्यसंबद्धम् स्वप्रकाशाभावे परप्रकाशायोगात् । न हि प्रदीपः स्वरूपमनुद्द्योतयन् घटाधुयोतने व्याप्रियते । "स्वयं चाप्रतीतमपि यद्ययं ग्राहयति ज्ञानम्, देवदत्तस्योत्पन्नं (ज्ञान) यज्ञदत्तं ग्राहयेत्, विशेषाभावात् । अन्यच्च परप्रकाशनमात्रेऽपि दूरासन्नादिभेदः –૦નાયરશ્મિ - જ્ઞાનમાં જે અનેકાકારો છે, તે અર્થના નિમિત્તે જ છે - એમ અર્થની સત્તા સ્વીકારાય તો જ જ્ઞાનની સત્તા ઘટી શકે, નહીંતર નહીં. તેથી જ્ઞાન સ્વ+પર = ઉભયપ્રકાશક છે, એમ સિદ્ધ થાય છે, માટે અર્થ ન હોવાથી જ્ઞાન માત્ર સ્વપ્રકાશક છે – એ કથન ખંડિત થયું. ૦ પરપ્રકાશકજ્ઞાનવાદી મીમાંસક – નૈયાયિકાદિનો નિરાસ ૦ (૩૦) મીમાંસક-નેયાયિક વગેરે દર્શનકારોના મતે જ્ઞાન માત્ર બાહ્ય પદાર્થનો જ પ્રકાશ કરતો હોવાથી, જ્ઞાન માત્ર પચ્યકાશક છે - સ્વપ્રકાશક નહીં. પણ તેઓનું મંતવ્ય યુક્તિસંગત નથી, કારણ કે જ્ઞાન જ્યાં સુધી સ્વનો પ્રકાશ ન કરે ત્યાં સુધી પરનો પ્રકાશ પણ કરી શકે નહીં. લોકમાં પણ જોવાય છે કે દીવો જ્યાં સુધી પોતાનો પ્રકાશ ન કરે, ત્યાં સુધી ઘટ વગેરે પદાર્થોનો પણ પ્રકાશ કરી શકે નહીં. તેથી જ્ઞાનને જો પરપ્રકાશી માનવું હોય, તો સ્વપ્રકાશી પણ અવશ્ય માનવું પડશે. જો જ્ઞાન, સ્વયં અપ્રતીયમાન હોવા છતાં ઘટાદિ અર્થની પ્રતીતિ કરાવી શકતું હોય તો, દેવદત્તને થયેલા ઘટજ્ઞાનથી, યજ્ઞદત્તને પણ ઘટની પ્રતીતિ થઈ શકશે. તે આ રીતે - જો જ્ઞાન સ્વપ્રકાશક હોય, તો એમ માની શકાય કે દેવદત્તને થયેલ ઘટજ્ઞાનનું જ્ઞાન દેવદત્તને જ થયું હોવાથી, ઘટની પ્રતીતિ દેવદત્તને જ થાય. યજ્ઞદત્તને તે ઘટજ્ઞાનનું જ્ઞાન ન હોવાથી ઘટપ્રતીતિ ન થાય. પણ તમે જ્ઞાનને સ્વપ્રકાશક માનતા નથી. એટલે દેવદત્તને, ઘટજ્ઞાનનું જ્ઞાન થયા વિના જો ઘટની પ્રતીતિ થાય છે, તો તે જ ઘટજ્ઞાનથી યજ્ઞદત્તને પણ ઘટની પ્રતીતિ થશે. –૦૩૫ર્થસંપ્રેક્ષ(૪૮) નદીતિ | યહુpदीपवन्नोपपद्येत बाह्यवस्तुप्रकाशनम् । अनात्मवेदने ज्ञाने जगदान्ध्यं प्रसज्यते ।। १ ।। (४९) विशेषाभावादिति । देवदत्तोत्पन्नज्ञानस्य देवदत्तयज्ञदत्ताभ्यामसंवेद्यमानत्वेनाविशेषात् । – શાસ્ત્રસંતો90– (10) "wો વા તઋતિમાસિનમર્થમથ્યક્ષમછંસ્તવેવ તથા નેચ્છત // કલીપવર/" -પરીક્ષામુ: ખૂ.૧/૧૧ ૧ર/ (11) "स्वयमसिद्धेन ज्ञानेन गृहीतस्याप्यगृहीतरूपत्वात्, अन्यथा सर्वज्ञज्ञानगृहीतस्य रथ्यापुरुषज्ञानगृहीतत्वं મવેરિતિ ચાf સર્વજ્ઞતાપ્રસજીિઃ “ સન્મતિ. ટી. પૃ. ૪૭૮ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy