SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાવતાર -રત્નો. ૧ तद्वशादेव बोधरूपं प्रकाशत इति विपरीतापत्तेरर्थ एव सिद्धिमास्कन्देद् न ज्ञानम् । अथाव्यतिरिक्ता, हन्त ज्ञानमेव तन्न वासना तदव्यतिरिक्तत्वात् तत्स्वरूपवदित्यास्तां तावत् । पराभास्यपि स्वप्रकाशाभावादभिदधीरन् । –૦નાયરશ્મિ – બૌદ્ધ - વાસના જ્ઞાન સામાન્યથી તો અભિન્ન જ છે, જ્ઞાનરૂપ જ છે, પણ વેદ્યવેદકાકાર (પરમર્દ નાનાનિ માં ઘર વેદ્ય છે, હું વેદક છે, તેનાથી કલુષિત જ્ઞાનથી તે ભિન્ન છે. વાસ્તવમાં ઘટાદિ પદાર્થો ન હોવા છતાં, વાસનાથી જ આવું કલુષિત જ્ઞાન થાય છે. એટલે એ કાર્યથી જ કારણરૂપ વાસનાનું અનુમાન થાય છે. આમ વાસના જ્ઞાનરૂપ હોવાથી જ્ઞાનાદ્વૈત પણ અખંડ રહે છે અને વેદ્યવેદકાકારકલુષિત જ્ઞાનથી તેનું ગ્રાહક “અનુમાન” પ્રમાણ પણ છે. જેન- વાસના અને વેદ્યવેદકાકારથી કલુષિત જ્ઞાન - આ બે વચ્ચે માનેલો જે કાર્ય - કારણભાવ' રૂપ સંબંધ છે, તેનું ગ્રહણ જ થઈ શકતું નથી, કારણ કે (તમે) પૂર્વાપરક્ષણવર્તી જ્ઞાનથી ભિન્ન એવું “આત્મ તત્ત્વ તો સ્વીકારતા નથી, કે જે તે સંબંધનો ગ્રાહક બને. આશય એ છે કે કારણ અને કાર્ય વચ્ચેનો સંબંધ ગ્રહણ કરનાર વ્યક્તિ કાર્યક્ષણે અને કારણક્ષણે વિદ્યમાન હોવી જોઇએ. બૌદ્ધમતે કારણક્ષણ (વાસના) અને કાર્યક્ષણ (કલુષિત જ્ઞાન) ભિન્નક્ષણીય છે, અને તે બંને ક્ષણે વિદ્યમાન અન્વયી એવો આત્મા તો છે જ નહીં, તો પછી વાસના અને કલુષિતજ્ઞાન વચ્ચેના કાર્ય-કારણભાવનો બોધ જ શી રીતે થશે? બીજી વાત, જો વાસના દ્વારા વેદ્ય-વેદકાકારવાળા જ્ઞાનની ઉત્પત્તિ માનશો, તો “દષ્ટહાનિ' અને “અષ્ટકલ્પના' નામના બે દોષ આવશે, કારણ કે ચક્ષુ વિગેરે બાહ્યર્થની સામગ્રી હોય તો જ્ઞાન થાય અને એ સામગ્રી ન હોય તો જ્ઞાન ન થાય - આમ અન્વય-વ્યતિરેક દ્વારા “અર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે એ જગત પ્રસિદ્ધ વ્યવહારનો ઉચ્છેદ થશે. (કારણ કે જ્ઞાનની ઉત્પત્તિ તમે અર્થના બદલે વાસનાથી માનો છો) અને વાસનાથી શ્વેતાદિ પર્યાયોથી યુક્ત જ્ઞાનની ઉત્પત્તિ થતી હોય, એવું ક્યારે જોયું પણ નથી અને અનુભવ્યું પણ નથી. છતાંય વાસનાથી જ્ઞાન ઉત્પન્ન થાય' એવા અદષ્ટની, તમે કલ્પના કરો છો. બીજી વાત, જો જ્ઞાન એક હોવા છતાં, વાસનાથી તેના અનેક આકાર થઈ શકે, એવું તમે માનો છો, તો પછી અમે એમ કહી શકીએ છીએ કે વાસ્તવમાં જ્ઞાન છે જ નહીં, જડ એવો અર્થ જ છે, પણ વાસનાના કારણે જ તે બોધ રૂપે જણાય છે, તો તેનો પણ તમે પ્રતિકાર નહીં કરી શકો. આમ અર્થની જ સિદ્ધિ થશે – અને જ્ઞાનનો તો અભાવ જ થઈ જશે. માટે જ્ઞાનથી ભિન્ન વાસનાના કારણે શ્વેતાદિ અનેકાકારે બોધ થાય' - એ પ્રથમ પક્ષ યોગ્ય નથી. બૌદ્ધ - વાસના જ્ઞાનથી અભિન્ન છે. જૈનઃ- તો એનો અર્થ એ થયો કે જ્ઞાન જ એક તત્ત્વ છે, તેનાથી અલગ વાસના નામનું કોઈ તત્ત્વ જ નથી. એમ વાસના સિદ્ધ ન થવાથી, તેના દ્વારા જ્ઞાનમાં અનેકાકારો પણ શક્ય ન બને, માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy