SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ न्यायावतार 10 कुवलयादिगतनीलताया व्यवस्थितिरविशेषेणानुषज्येत, तथा च प्रतिनियतो ग्राह्यग्राहकभावो न घटामटाट्येत । ८. अगुल्यग्रनिर्दिश्यमानपुरोवर्तिनीलस्वलक्षणदर्शनबलायातत्वात् नैल्यविकल्पस्य तदेवाध्यवस्यति न भूतं भावि काककुवलयादिगतं वा इति चेत, तर्हि विकल्पः स्वलक्षणनिष्ठः प्राप्तः, नियतदेशदशावच्छिन्नार्थक्रियासमर्थार्थग्रहणात् । तथा हि-तदध्यवसायः किं तद्विकल्पनं –9ન્યાયરશ્મિ – તમે તો તે સદશતાને જ તદાકારતા માનો છો, તેથી જ્ઞાનમાં તે સર્વ અર્થો સાથે તદાકારતા આવી જવાથી, તે કોઈ એક ચોક્કસ અર્થનું ગ્રાહક નહીં બની શકે - પ્રતિનિયત ગ્રાહ્ય-ગ્રાહકભાવ નહીં રહે. આમ, બંને વિકલ્પો પ્રમાણે પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે તદાકારતા સંબંધ ન ઘટવાથી તદાકારતા પ્રયુક્ત ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ઘટી શકે નહીં. 0 બૌદ્ધકૃત વ્યવસ્થાનું સચોટ નિરાકરણ ) (૮) બૌદ્ધઃ- સામે રહેલા - આંગળી જેના તરફ ચીંધાયેલી છે - તેવા નીલ પદાર્થના નિર્વિકલ્પ(દર્શન)થી જ નીલ વિકલ્પ પેદા થયો હોવાથી, તે વિકલ્પ, તે જ નીલપદાર્થને વિષય બનાવે છે-તે જ નીલ પદાર્થનો અધ્યવસાય કરાવે છે, ત્રિકાળવ્યાપી કાકકુવલયાદિમાં રહેલ નીલને નહીં. આમ ‘તદધ્યવસાયના બળે ગ્રાહ્ય-ગ્રાહકભાવની નિયતવ્યવસ્થા થઈ જશે. જૈનઃ- તો પછી, વિકલ્પ પણ, નિયત દેશ અને કાળથી અવચ્છિન્ન (સામે રહેલ-વર્તમાન), અને અર્થક્રિયાસમર્થ એવા વાસ્તવિક અર્થને જ ગ્રહણ કરતો હોવાથી તેનો પણ વિષય સ્વલક્ષણ કેમ નહીં બને? બનશે જ.(વિકલ્પ પણ વિષયતા સંબંધથી સ્વલક્ષણનિષ્ઠ બનશે) પણ તે તો તમે માનતા નથી, કારણ કે વિકલ્પને તમે અપ્રમાણ માનો છો. આવા વસ્તુવિકલ્પથી-સ્વલક્ષણના અધ્યવસાયથી ગ્રાહ્યગ્રાહકભાવની વ્યવસ્થા થઈ શકે નહીં. કેમ ન થાય ? તે જોઈએ તદધ્યવસાય એટલે “વસ્તુનો વિકલ્પ કે વસ્તુનું ગ્રહણ? આ બેમાંથી તદધ્યવસાયનો કયો અર્થ તમને અભિપ્રેત છે ? (A) તદધ્યવસાય તે વસ્તુનો વિકલ્પ તો હોઈ શકે નહીં, કારણ કે વિકલ્પ તો તમારા મતે સ્વલક્ષણને વિષય બનાવતો નથી. કહ્યું છે કે – “શબ્દો અને સવિકલ્પજ્ઞાનનો વિષય વસ્તુ બની શકતી ન હોવાથી, તેનો વિષય અન્યાપોહ મનાયો છે.” (ભાવ એ કે “નીલ” એવા શબ્દ કે વિકલ્પનો વિષય, કોઈ નીલ પદાર્થ નથી, પણ અનીલનો અપોહ (નીલ સિવાય બધાનો વ્યવચ્છેદ) છે – આવું બૌદ્ધ માને છે, આનું કારણ એ કે, શબ્દ કે વિકલ્પના વિષયરૂપે વાસ્તવિક નીલ પદાર્થને માને, તો તેને પ્રમાણ માનવા પડે, પણ બૌદ્ધ તેને પ્રમાણ માનતા નથી.) આમ સ્વસિદ્ધાંત હોવાથી તદધ્યવસાયનો પ્રથમ અર્થ (વસ્તુનો વિકલ્પ) તો યુક્ત નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy