SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ થર न्यायावतार 10 चक्रवादेरिव पूर्वकालवर्तिनि कार्ये व्यापाराभावात् । अथ स्वक्षणादूर्ध्वं कार्यं विधत्त इति मन्येथाः, एतदप्यसाधीयः, विनष्टस्य कार्यकरणाक्षमत्वात्, अन्यथा मृतस्य शिखिनः केकायितं ચાત્ || ७. 'तदाकारतापि किमर्थाकारसंक्रान्त्या, अथ तत्सदृशतयोत्पत्तेर्ज्ञानस्येति । यद्याद्यः कल्पः, तदयुक्तम्, ज्ञाने स्वाकारार्पणादर्थस्य निराकारतानुषङ्गात्, स्वदेहे पृथुतरार्थदर्शन –૦ચાયરશ્મિ – ઉત્પત્તિની પૂર્વના ક્ષણમાં પ્રત્યક્ષરૂપ કાર્ય કરે - એ બીજો વિકલ્પ પણ અસંગત છે. (C) “અર્થ પોતાની ઉત્પત્તિની પછીના ક્ષણે કાર્ય કરે' - એ ત્રીજો વિકલ્પ પણ અયુક્ત છે, કારણ કે ઉત્પત્તિ બાદ જે ક્ષણમાં કાર્ય થવાનું છે એ ક્ષણમાં તો પદાર્થ નષ્ટ થઈ જાય છે અને નષ્ટ પદાર્થ કોઈપણ કાર્ય કરવા સક્ષમ નથી. જો નષ્ટ પદાર્થથી પણ કાર્ય થઈ શકતું હોય તો મરેલા મોરમાંથી પણ ટહુકો સંભળાવવો જોઈએ, જે ક્યારેય બનતું નથી. માટે ક્ષણિક પદાર્થ ઉત્પત્તિની પછીના ક્ષણમાં (જે ક્ષણે પોતે નષ્ટ થઈ જાય તે ક્ષણમાં) પ્રત્યક્ષરૂપ કાર્ય કરી શકે નહીં. આમ ત્રણેય વિકલ્પમાં તદુત્પત્તિસંબંધ ન ઘટતો હોવાથી, આ સંબંધના આધારે પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવની વ્યવસ્થા માની શકાય નહીં. ૦ (૨) તદાકારતાથી પણ ગ્રાહ્ય - ગ્રાહકભાવ અશક્ય છે ૦ (૭) શબ્દ અને અર્થ વચ્ચે તદાકારતા સંબંધથી પણ ગ્રાહ્ય-ગ્રાહકની વ્યવસ્થા અશક્ય છે, કારણ કે તદાકારતાનો અર્થ શું? “અર્થના આકારનો જ્ઞાનમાં સંક્રમ થવો (અર્થાત્ અર્થનો આકાર જ્ઞાનમાં જતો રહે) તે, કે પછી અર્થની સમાન જ્ઞાનની ઉત્પત્તિ થવી (અર્થાત્ જેવો અર્થનો આકાર છે તેવા જ આકારવાળું જ્ઞાન ઉત્પન્ન થવું) તે – આ બંને વિકલ્પ પ્રમાણે તદાકારતા ઘટી શકતી નથી. તે આ રીતે - (A) અર્થનો આકાર જ્ઞાનમાં સંક્રમી શકે નહીં. જો એવું માનવામાં આવે તો એક આપત્તિ તો એ આવશે કે અર્થ પોતાનો આકાર જ્ઞાનને અર્પણ કરતો હોવાથી પોતે નિરાકાર બની જશે. બીજું ઘટનો આકાર જ્ઞાતામાં આવી જતો હોય, તો જ્ઞાતા શરીર પ્રમાણ હોવાથી શરીર જેવડો મોટો પદાર્થ, શરીરમાં દેખાવા માંડે. એટલું જ નહીં; યાવતું પત્થર, સમુદ્ર વગેરેનો આકાર પણ સ્વજ્ઞાન અને સ્વશરીરમાં પ્રવેશ કરતો હોવાથી માથું ફૂટવું, ડૂબી જવું વગેરે અનર્થોની પરંપરા સર્જાશે ! માટે અર્થનો આકાર જ્ઞાનમાં સંક્રમી જતો નથી' – એમ માનવાથી જ દોષજાળથી છૂટકારો થઈ શકશે. તેથી પ્રથમ વિકલ્પથી તો તદાકારતા ઘટી શકે નહીં. (B) “અર્થના જેવા આકારવાળું જ જ્ઞાન ઉત્પન્ન થાય' એ વિકલ્પ પ્રમાણે અર્થતઃ તો તમે – મર્થસંપ્રેક્ષા— (૧૦) સાધીય તિ | Sતવનયો: પ્રવર્ષે સાધુ, TMITIઝેયસ્ (સિ. છે. ૭-૩-૧) | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy