SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ન્યાયાવતાર) ग्राह्यग्राहकभावसंबन्धबलादिति चेत्, अत्रापि वाच्यवाचकभावादिति ब्रूमः । स एव कथमिति चेत्, अध्यक्षेऽपि वेद्यवेदकभावः कथमिति वाच्यम् । –૦નાયરશ્મિ - અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતો હોય. (૧) જો શબ્દમાંથી અર્થ ઉત્પન્ન થતો હોય તો મને કરોડ સોનામહોર મળે એવું બોલવાથી, કરોડ સોનામહોર ઉત્પન્ન થશે અને ગરીબ માણસને પણ મળી જશે. એ રીતે તો બધા માણસોની ઇચ્છા બોલવાથી જ પૂરી થઈ જશે અને અધૂરી ઇચ્છાવાળો કોઈ માણસ જ નહીં રહે, પણ એવું તો હોતું નથી, એટલે શબ્દમાંથી તો અર્થ ઉત્પન્ન થતો નથી. (૨) અભણને કોઈપણ વસ્તુને જોતાં તેનું નામ યાદ આવે છે, કારણ કે પૂર્વે આપણને કોઈએ તેનું નામ જણાવ્યું હોય છે. (સંકેત કર્યો હોય છે.) દા.ત. “ક આવો આકાર કમળના કનો છે, એવું શીખવાડાયું હોવાથી જેવો “ક” દેખાય કે આપણને ક જ યાદ આવે છે. પણ જેને આવું શીખવાડાયું ન હોય, તે તેને ઓળખી શકે નહીં. જો અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતા હોય, તો જેને પૂર્વે શીખવાડાયું નથી, તેવી વ્યક્તિ પણ પહેલી જ વાર ફણસ જોવા છતાં, તેમાંથી ઉત્પન્ન થયેલા ફણસ શબ્દો બોલતી જણાવી જોઈએ. જેવું કદી બનતું નથી. તેમ, અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતા હોય તો જે અર્થ કદી હોતો જ નથી, તેના પ્રતિપાદક આંગળીના ટેરવા પર સો હાથી જેવા શબ્દો ઉત્પન્ન થાય જ નહીં, પણ તેવું બોલી શકાય તો છે જ. એટલે પણ અર્થમાંથી શબ્દની ઉત્પત્તિ માની શકાય નહીં. વળી, જો અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતો હોય તો દરેક અર્થમાંથી પુરુષની બુદ્ધિથી નિરપેક્ષ રીતે જ (અર્થાત્ બુદ્ધિ વિના જ) શબ્દોનું શ્રવણ થવા માંડે. પણ, બુદ્ધિથી નિરપેક્ષ રીતે અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતાં દેખાતાં નથી અને શક્ય પણ નથી. પહેલા અર્થ દેખાય, પછી તેને બીજાને જણાવવાની ઇચ્છા થાય, પછી કહેવાની ઈચ્છા થાય, પછી તાલ વિગેરે સ્થાને જીભરૂ૫ ઇન્દ્રિયનો સંયોગ થાય, પછી જ શબ્દો ઉત્પન્ન થાય છે. એટલે વચ્ચે બુદ્ધિની અપેક્ષા તો રહે જ છે. માટે, શબ્દ અર્થમાંથી ઉત્પન્ન થાય છે, તેવું પણ માની શકાય નહીં. | નિષ્કર્ષ એ કે તાદાત્મ-તદુત્પત્તિ બંને સંબંધ શક્ય ન હોવાથી બાહ્ય અર્થના નિશ્ચય પ્રત્યે શબ્દ પ્રમાણ નથી, માટે આદિવાક્ય પણ અપ્રમાણ છે. ૦ બોદ્ધમંતવ્યોનું નિરાકરણ - જેન ઉત્તરપક્ષ ૦ (૫) જો સંબંધ ન હોવાથી બાહ્ય અર્થના નિશ્ચય માટે શબ્દ પ્રમાણ ન બને, તો પ્રત્યક્ષનો અર્થ સાથે કયો સંબંધ છે, કે જેથી એને પ્રમાણ માની શકાય ? બૌદ્ધઃ- પ્રત્યક્ષ ગ્રાહક છે અને તત્પતિપાદ્ય અર્થ ગ્રાહ્ય છે, આમ પ્રત્યક્ષ – અર્થ વચ્ચે ગ્રાહ્યગ્રાહકરૂપ સંબંધ હોવાથી અર્થના નિશ્ચય માટે પ્રત્યક્ષ તે પ્રમાણ છે. જેનઃ- જેમ પ્રત્યક્ષમાં ગ્રાહ્ય - ગ્રાહક સંબંધ છે, તેમ આદિવાક્ય વાચક છે અને અર્થ વાચ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy