________________
न्यायावतार - आदिवाक्यम
२. मूलम् - प्रमाणव्युत्पादनार्थमिदमारभ्यते । प्रमाणेत्यादि । अनेन च तादात्म्यतदुत्पत्तिलक्षणसंबन्धविकलतया ध्वनेबहिरर्थं प्रति
–૦ન્યાયરશ્મિ – આવો અર્થ કરતા વર્ધમાનમ્' પદથી પૂજાતિશય સૂચિત થાય છે.
આમ ટીકાકારશ્રી સિદ્ધર્ષિગણિએ પ્રથમ શ્લોક દ્વારા મંગલચતુષ્ટય અને અતિશયચતુષ્ટયનું નિરૂપણ કરીને ગ્રંથની શરૂઆત કરી.
૦ ગ્રંથપ્રણયન પદ્ધતિગત આદિવાક્યની આવશ્યકતા ૦ ગ્રંથ પ્રણયન કરવાના ક્રમમાં જે વાક્યનો પ્રથમ પ્રયોગ કરાય તેને “આદિવાક્ય' કહેવાય છે. આદિવાક્ય દ્વારા ગ્રંથનું અભિધેય (પ્રતિપાઘ વિષય), પ્રયોજન (ગ્રંથ રચવાનું કારણ) અને સંબંધ - આ ત્રણેય વાતનું કથન થાય છે.
ગ્રંથપ્રણયનની આ પદ્ધતિ અનુસાર પ્રસ્તુત ન્યાયાવતારસૂત્રના આદિવાક્યનો અર્થ આ પ્રમાણે
(૨) આદિવાક્યર્થ - પ્રમાણના વ્યુત્પાદન માટે આ (ન્યાયાવતાર શાસ્ત્રની રચના) પ્રારંભાય છે.
વિવેચનઃ- પ્રમાણનું વ્યુત્પાદન બે રીતે થઈ શકે, એક તો પરદર્શનકારોએ જે પ્રમાણનું લક્ષણ વગેરે કપ્યું છે, તેઓની મિથ્યાગ્રસિત માન્યતાઓનું નિરાકરણ કરવું અને બીજું જૈનશાસ્ત્રપ્રણીત પ્રમાણનું યથાવસ્થિત લક્ષણ વગેરેનું સ્વરૂપ બતાવવું.
0 બૌદ્ધની આદિવાક્ય અંગે દલીલ ૦ બૌદ્ધઃ- આદિવાક્ય તે શબ્દ સ્વરૂપ છે, ધ્વનિ સ્વરૂપ છે, અને ધ્વનિ તે અર્થ વિશે પ્રમાણરૂપ બની શકે નહીં, કારણ કે જો ધ્વનિ અને અર્થ વચ્ચે સંબંધ હોય, તો જ ધ્વનિ અર્થ વિશે પ્રમાણ બની શકે, પણ એવું તો છે નહીં, કારણ કે ધ્વનિ અને અર્થ વચ્ચે તાદાભ્ય સંબંધ પણ નથી અને તદુત્પત્તિ
–૦૩૫ર્થસંપ્રેક્ષા— (२) अनेन चेत्यादि । न तावच्छब्दार्थयोस्तादात्म्यलक्षणः संबन्धः, तथा प्रतीतेरभावात् । यदि चाप्रतीयमानमपि तयोस्तादात्म्यं कल्प्येत, तदाग्निमोदकादिध्वनिध्वननानन्तरं वदनदहनपूरणादयः स्युः; न च दृश्यन्ते, तन्न तयोस्तादात्म्यम् । नापि तदुत्पत्तिलक्षणः संबन्धो विचारभारसहः, यतः शब्देनार्थोऽर्थेन वा शब्दो जन्यते इति विकल्पद्वयम् । तत्र न तावदाद्यः पक्षः, यतः शब्दादर्थोत्पत्त्यभ्युपगमे न कश्चिदप्यसंपूर्णकामः स्यात् सुवर्णकोटि मे भूयादित्यादिध्वनितोऽत्यन्तदारिद्र्योपद्रुतस्यापि पुंसः सुवर्णकोट्यादिलाभप्रसङ्गात् । नाप्यर्थेन शब्दो जन्यते इति द्वितीय पक्षः, अकृतसंकेतस्यापि पुंसः प्रथमपनसदर्शने तच्छब्दोत्पत्तिप्रसङ्गात्, तथा अगुल्यग्रे करिशतमित्यादिध्वनीनामर्थाभावेऽप्युत्पत्तेश्च । किं च, अर्थाद् ध्वनीनामुत्पादे अर्थेषु यथास्वं पुरुषबुद्धिनिरपेक्षाणां शब्दानां श्रवणं स्यात् । न चार्थमात्रात् पुरुषबुद्धिनिरपेक्षाद् ध्वनय समत्पद्यमाना विलोक्यन्ते घटन्ते वा । तथाहि-प्रथममर्थदर्शनम्, ततस्तत्प्रतिपादनाभिप्रायः, ततो विवक्षा, ततः स्थानकरणाभिघातः, ततः शब्दनिष्पत्तिः तन्न
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org