SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ @8 न्यायावतार ते खारीते 'नितरामीयन्ते यथावस्थितस्वरूपेण परिच्छिद्यन्ते जीवाजीवादयो भावा अनेनेति न्यायः' એટલે કે જેના દ્વારા જીવાદિ વસ્તુતત્ત્વનો યથાવસ્થિતરૂપે પરિચ્છેદ થાય, બોધ થાય તેને ન્યાયપ્રમાણમાર્ગ કહેવાય છે. અવતાર શબ્દ, તે ‘અવતરન્તિ પ્રાપ્તિનોડનેનાસ્મિન્નિતિ વા અવતારઃ એ અર્થમાં અવુ+તૃ ધાતુને ઘઞ પ્રત્યય લગાડવાથી અથવા ‘અવતારયતીતિ અવતાર’ એ અર્થમાં અવ્ + તૃ ધાતુને અર્પ્રત્યય લગાડવાથી બને છે. અર્થ એ કે જેના વડે કે જેમાં પ્રાણીઓ અવતરિત થાય છે તે અવતાર અથવા જે અવતારે તે અવતાર કહેવાય છે, અર્થાત્ પગથિયા બાંધેલો કિનારો (ઘાટ)... જેમ ઘાટ દ્વારા નદી વિગેરેમાં ઉતરી શકાય, તેમ ઘાટ સમાન આ શાસ્ત્ર દ્વારા ન્યાયરૂપ સમુદ્રમાં અવતરણ કરી શકાય છે... ૦ સ્મૃતિબીજની વિવૃદ્ધિનો અર્થ ૦ શ્લોકમાં સંસ્કારનું કથન બીજ પદથી કર્યું છે, તેનો આશય એ છે કે જેમ બીજથી અંકુરો ઉત્પન્ન થાય છે, તેમ સંસ્કારથી સ્મરણ થાય છે - આનો અર્થ બે રીતે થઈ શકે - (૧) શાસ્ત્રાર્થની સ્મૃતિના બીજભૂત સંસ્કારની વિશેષથી વૃદ્ધિ થાય, એ માટે ન્યાયાવતાર ગ્રંથની વિવૃત્તિ કરાય છે. (૨) જેમ ખેતરમાં બીના રક્ષણ માટે વાડ બનાવાય છે, તેમ પોતામાં રહેલા, સ્મૃતિના કારણભૂત સંસ્કારોના રક્ષણ માટે આ ટીકા રચાય છે, ટીકા રચવાથી - સંસ્કાર બળવાન બને - કાળાંતરે સ્મૃતિ થાય છે. ૦ અતિશયચતુષ્ટયનું નિરૂપણ O નિરતિશય દેવતાનું સ્તવ તે અભિપ્રેત અર્થનું સાધક બનતું નથી, અભિપ્રેત અર્થની સિદ્ધિ માટે ટીકાકારમહર્ષિ અતિશયયુક્ત દેવતાનું સ્તવ કરે છે. તે અતિશય ચાર પ્રકારે છે - વચનાતિશય, જ્ઞાનાતિશય, અપાયાપગમાતિશય અને પૂજાતિશય, અતિશય એટલે વિશેષગુણ.. અરિહંતગત આ વિશેષગુણોનું સ્વરૂપ પ્રથમ શ્લોક દ્વારા જણાય છે, તે આ રીતે - (૧) ‘વિદ્યુતસામાન્યવિશેષવેશિનમ્’ એ વિશેષણથી ૫રમાત્માનો વચનાતિશય સૂચિત થાય છે, કારણ કે આવી રીતે યથાવસ્થિતરૂપે વસ્તુનું કથન કરવું જ વચનાતિશય છે. (૨) તથા આ જ વિશેષણથી જ્ઞાનાતિશય પણ સૂચિત થાય છે, કારણ કે યથાવસ્થિત વક્તૃત્વ જ્ઞાનની પરાકાષ્ઠા પામ્યા સિવાય મળી શકતું નથી, અર્થાત્ જ્ઞાનાતિશય હોય તો જ વચનાતિશય ઘટી શકે. (૩) ‘વર્ધમાનન્’ એ પદથી સર્વજ્ઞપુરુષ તીર્થંકર પરમાત્માનો અપાયાપગમ અતિશય સૂચિત થાય છે, કારણ કે પૂર્વોક્ત વ્યુત્પત્તિ પ્રમાણે આ પદ તે ‘પરમાત્માને અહંકારાદિ અપાયોનો અપગમ છે’ -એમ સૂચવે છે (૪) ‘વર્ધમાન એટલે અષ્ટપ્રાતિહાર્ય વગેરે વિશિષ્ટ સંપત્તિઓ દ્વારા જે વૃદ્ધિવાળા હોય તે' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy