SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૮ ન્યાયાવતાર ) परंपराग्रहणप्रसङ्गो ना(तो)नाबाधाकारी, इष्टत्वात् । तदेकदेशक्षयोपशमे पुनस्तदनुसारिणी बोधप्रवृत्तिरिति कियत्कालं भाविनि स्थूरे वस्तुनि प्राकृतलोकज्ञानानि प्रवर्तन्ते न संपूर्णे | न च तान्यलीकानि, तद्ग्राह्यांशस्यापि वस्तुनि भावात् तावतैव व्यवहारसिद्धेरिति । २६६. यच्चोक्तम्-क्षणिकतां गृह्णन्तोऽपि सदृशापरापरोत्पत्तिविप्रलब्धत्वाद् मन्दा नाध्यवस्यन्ति, मिथ्याविकल्पवशात् स्थिरताव्यवहारं च प्रवर्तयन्ति, तदयुक्तम, भवदाकूतेन सादृश्याभावात्, तदभावे तदुत्पाद्याभिमतभ्रान्तेर्निर्बीजतयोत्पत्तेरसंभवात् । तथा स्थिरतारोपोऽपि क्वचिद् गृहीतस्थिरत्वस्यैव युक्तो नान्यथा, यथा दृष्टविषधरस्य मन्दप्रकाशे रज्जुदर्शने विषधरारोपः, न च भवतां कदाचन स्थिरता प्रतीतिगोचरचारितामनुभवति, तत्कथं प्रतिक्षणमुदयापवर्गसंसर्गिणि सकले वस्तुनि प्रत्यक्षेणावलोकितेऽपि तदारोप इति तस्मात्तिरोहितक्षणविवर्तमलक्षितपरमाणुवैविक्त्यं वस्तु सांव्यवहारिकप्रमाणैर्गोचरीक्रियते । तत्तिरस्कारद्वारेण –૦નાયરશ્મિ – બોધ થાય જ છે. જો તે આવરણના એક દેશનો ક્ષયોપશમ થયો હોય તો જ્ઞાનની પ્રવૃત્તિ તેના અનુસાર થાય છે, તેના કારણે થોડા કાળ સુધી રહેનારા, અમુક જ સ્થૂલ પદાર્થોને વિષે સામાન્ય માણસોના જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, સંપૂર્ણ પદાર્થોમાં તેની પ્રવૃત્તિ થતી નથી. જે જ્ઞાન સંપૂર્ણપણે થતું નથી, તે જ્ઞાન કાંઈ ખોટું નથી, કારણકે તે જ્ઞાનો વડે જે અંશ ગ્રહણ કરાયો છે, તે અંશ પણ વસ્તુમાં વિદ્યમાન જ છે અને એટલા અંશ માત્રથી જ વ્યવહારની સિદ્ધિ થઈ જાય છે. (૨૭૭) વળી જે તમે આ પ્રમાણે કહ્યું હતું કે કે ક્ષણિકતાને પ્રમાતા ગ્રહણ કરવા છતાં પણ સદશ અપર-અપર ઉત્પત્તિ થવાના કારણે ઠગાઈ જવાથી, મૂર્ખ વ્યક્તિઓ ક્ષણિકતાનો નિશ્ચય કરી શકતા નથી. ઉલટાનું મિથ્યા વિકલ્પના કારણે સ્થિરતાના વ્યવહારને પ્રવર્તાવે છે « તે પણ અયુક્ત છે, તમારા મતના અનુસાર સાદશ્ય નામની એવી કોઈ વસ્તુ જ હાજર નથી, કે જેથી સદશની પરંપરા આવે. જો સાદૃશ્યનો જ અભાવ હોય, તો પછી તેના દ્વારા ઉત્પન્ન થતી, તમને અભિપ્રેત એવી ભ્રાન્તિની ઉત્પત્તિ ક્યાંથી થશે ? વળી સ્થિરતાનો આરોપ પણ ત્યારે જ થઈ શકે, જો તે સ્થિરતાને કોઈક ઠેકાણે જોઈ હોય. જેમ કોઈ વ્યક્તિએ પહેલા સાપને જોયો હોય, તો જ તે વ્યક્તિ, જ્યારે મંદ પ્રકાશ હોય ત્યારે દોરડાને જોવાથી, સાપનો આરોપ કરી શકે, જો સાપ જોયો જ ન હોય તો આરોપ સંભવી શકતો નથી. તમારા વડે તો ક્યારે પણ સ્થિરતા જ્ઞાનના વિષય રૂપે કરાઈ જ નથી, તો પછી દરેક ક્ષણે ઉત્પન્ન થઈને નાશ પામનારી સકલ વસ્તુમાં પ્રત્યક્ષથી ક્ષણિકતા દેખાતે છતે પણ સ્થિરતાનો આરોપ કેવી રીતે સંભવી શકે ? તેથી સાંવ્યવહારિક એવા ઇન્દ્રિય જન્ય પ્રમાણો દ્વારા ક્ષણિકતા જેમાં તિરોહિત છે, ભિન્ન-ભિન્ન પરમાણુઓ જેમાં અલક્ષિત છે, તેવી અખંડ એવી સ્થિર-ઘૂર વસ્તુ વિષય કરાય છે. તેથી કાલાન્તરમાં રહેનારી, સ્થૂલતાને ધારણ કરતી વસ્તુનો અપલાપ કરીને નહીં દેખાયેલા એવા ક્ષણિક પરમાણુઓને સિદ્ધ કરતા અભિપ્રાયરૂપ ઋજુસૂત્રદુર્નય સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. તે જ અભિપ્રાય જો સ્થિરતા અને સ્થૂલતાની ઉપેક્ષા કરવા દ્વારા, ક્ષણિકતા, પરમાણુ સ્વરૂપતાને સ્થાપન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy