SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ २९७७ न्यायावतार - श्लो० २९ सर्वप्रमाणानां बहिरन्तस्तथाविधवस्तुद्योतनपटिष्ठतया प्रसाधितत्वात् । 'नापि द्वितीयः, अप्रमाणस्याकिंचित्करत्वात् । एतेन स्थूरतादूषणमपि प्रतिक्षिप्तम्, प्रतिभासहतत्वात्, तदपह्नवे विरोधोद्भावे तस्य निर्मूलतया प्रलापमात्रत्वात् । ___२६५. यत्पुनर्वर्तमानप्रकाशरूपतया तत्संबन्धवस्तुग्राहित्वं सर्वप्रमाणानामुदग्राहि तदयुक्तम, तेषामेकान्तेन वार्तमानिकत्वासिद्धेः, कथंचिदात्माव्यतिरेकित्वात, तस्य च कालत्रयव्यापकत्वात, तद्रूपतया तेषामप्यवस्थानात्, ततश्चात्मनोऽर्थग्रहणपरिणामरूपत्वात्। सर्वप्रमाणानां परिणामिन्येव वस्तुनि व्यापारो न क्षणिके | न चातीतानागतक्षणवर्तिवस्तुग्रहणेप्यनाद्यनन्तजन्मपरंपराग्रहणप्रसङ्गः, आवरणविच्छेदसापेक्षत्वात्, तस्यैव परमार्थतः संवेदनाविर्भावान्तरकारणत्वात्, ग्राह्यादेर्बहिरङ्गत्वात् । सामस्त्येन पुनरावरणविलये सति समस्तवस्तुविस्तारानाद्यनन्तक्षण –૦ન્યાયરશ્મિ - કે પ્રમાણ દ્વારા બાહ્ય કે આત્યંતર બધી વસ્તુઓ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત જ જણાય છે, એમ અમે ઘણી વખત સિદ્ધ કરેલ છે અને અપ્રમાણ દ્વારા એમ બીજો પક્ષ સ્વીકાર કરવામાં આવે, તો તે યોગ્ય નથી, કારણ કે અપ્રમાણથી કાંઈ સિદ્ધ થઈ શકતું નથી, એ કોઈ કામમાં આવતું નથી. આના દ્વારા જે તમે સ્થૂલતાને આશ્રયીને દૂષણો આપ્યા હતાં, તે પણ ખંડિત થયેલા જાણવા, સહુને સ્કૂલ પદાર્થનું જ પ્રત્યક્ષ થાય છે. પરમાણુ સ્વરૂપનું નહીં. જો સ્થૂલતાનું ખંડન કરો તો પ્રત્યક્ષ વિરોધ થાય છે, તેથી સ્થૂલતા વિષયક દૂષણો તો માત્ર બોલવા પૂરતા જ છે. (૨૫) વળી, તમે જે આ પ્રમાણે કહ્યું હતું કે સર્વપ્રમાણો વર્તમાનકાલીન વસ્તુને પ્રકાશ કરનાર હોવાથી તેઓ વર્તમાનકાળ સાથે જોડાયેલી વસ્તુને જ ગ્રહણ કરે છે. હું તે પણ અયુક્ત છે, કારણ કે પ્રમાણમાં એકાન્ત વર્તમાનપણાની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે સર્વ પ્રતિભાસો તે આત્માથી કથંચિત્ અભિન્ન છે અને આત્મા તો ત્રણે કાળમાં રહેનાર વ્યાપક પદાર્થ છે. આત્મા અર્થગ્રહણ પરિણામ સ્વરૂપ હોવાના કારણે, આત્મા સ્વરૂપે પ્રમાણ પણ ત્રણે કાળમાં રહેનાર છે. સર્વ પ્રમાણોની પ્રવૃત્તિ, પરિણમન પામતી એવી વસ્તુ વિષે થાય છે, પણ ક્ષણિક પદાર્થમાં તેની પ્રવૃત્તિ થતી નથી. ૦ અનાદિકાલીન પદાર્થોને ગ્રહણ કરવાની આપત્તિ નિર્મૂળ ૦ અતીત-અનાગત ક્ષણવર્તી એવા પદાર્થને ગ્રહણ કરવામાં અનાદિ-અનંતકાળના સર્વ પદાર્થોને ગ્રહણ કરવાની આપત્તિ અમારે કાંઈ આવતી નથી, કારણ કે અતીત-અનાગત ક્ષણવર્તી વસ્તુનું ગ્રહણ તે આવરણના વિચ્છેદની અપેક્ષા રાખે છે. પારમાર્થિક રીતે જોવા જઈએ, તો આવરણનો વિચ્છેદ જ જ્ઞાનના આર્વિભાવ માટે આંતરિક કારણ છે. ગ્રાહ્ય એવા પદાર્થ વગેરે બહિરંગ કારણ છે. જો તમારે આવરણ કરનારા એવા જ્ઞાનાવરણ વગેરે કર્મોનો સંપૂર્ણ પણે વિલય થઈ ગયો હોય, તો પછી અનાદિ-અનંત પરંપરામાં આવેલ સર્વે પદાર્થોની અનાદિ-અનંત પરંપરાનો સાક્ષાત્કાર થાય છે, એમ માનવામાં કોઈ બાધા આવતી નથી, કેમ કે એ તો અમને ઈષ્ટ જ છે. કેવળજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy