SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २९ । ૨૮૭) गृह्णाति, अर्थस्तु संनिधानादेर्गृह्यते, स चानुवर्तमानव्यावर्तमानरूप एव प्रतीयते इति तथाभूतोऽभ्युपगन्तव्यः, न केवलं सामान्यरूप इति । सदसदंशयोः कथमेकत्रावस्थानमिति વે, તાવાગ્યેનેતિ ઘૂમ: | २५७. ननु तादात्म्यं भावमात्रमभावमात्रं वापद्येत, इतरेतराव्यतिरिक्तत्वात्, इतरेतरस्वरूपवत्, तन्नोभयरूपवस्तुसिद्धिः | नैतदस्ति, तादात्म्यस्य संबन्धत्वात्, संबन्धस्य च द्वयनिष्ठत्वात्, तदभावे कस्य केन संबन्धः निर्गोचरत्वात् । तस्मादेतौ सदसदंशौ धर्मिरूपतया अभेदिनौ, वस्तुनः सदसद्रूपस्यैकत्वाद्, धर्मरूपतया पुनर्विवक्षितौ भेदमनुभवतः, स्वरूपेण भावात्, पररूपेण –૦ન્યાયરશ્મિ – જનક એવી ચક્ષુ ગ્રાહ્ય બનતી નથી. તો પછી શેના કારણે જ્ઞાન તે ગ્રાહક અને અર્થ તેના દ્વારા ગ્રાહ્ય બને છે ? તેનું સમાધાન આપતા જણાવે છે કે, જ્ઞાનાવરણ કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી પ્રગટ થયેલા જ્ઞાનમાં ગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી, જ્ઞાન તે પદાર્થનો ગ્રાહક છે. આ ક્ષયોપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આલોક વગેરે કારણોથી પ્રગટ થાય છે. જ્યારે પદાર્થનું સંનિધાન હોવાના કારણે તે ગ્રહણ કરાય છે. આ જ્ઞાનમાં તે પદાર્થ અનુવર્તમાન-વ્યાવર્તમાન સ્વરૂપથી જ પ્રતીત થાય છે, તેથી તે પદાર્થને તે સ્વરૂપે જ સ્વીકાર કરવો જોઈએ, નહીં કે માત્ર સામાન્યસ્વરૂપવાળો કે જેવો અદ્વૈતવાદી અને સાંખ્યો સ્વીકાર કરે છે. ૦ તાદાભ્યથી સતુ-અસત્ની પદાર્થમાં વૃત્તિ ૦ શંકા- સત્ અને અસત્ અંશનું એક જ વસ્તુમાં રહેવાપણું કેવી રીતે ઘટી શકે ? તે બન્ને તો વિરોધી છે. સમાધાનઃ- અમે કહીએ છીએ કે, સતુ-અસત્ તે બન્ને એક વસ્તુમાં તાદામ્યથી રહે છે. (૨૫૭) શંકા- તમે તાદામ્ય સંબંધ માનશો, તો પછી તે ભાવ માત્ર રહેશે અથવા તો અભાવ માત્ર રહેશે, કારણ કે વસ્તુ પોતાના સ્વરૂપની જેમ, સતું કે અસતુ થી અભિન્ન થઈ જશે. તેથી ઉભય સ્વરૂપવાળી વસ્તુની તો સિદ્ધિ થશે જ નહીં. સમાધાન - આ આશંકા યોગ્ય નથી, કારણ કે તાદાભ્ય તે એક સંબંધ છે અને સંબંધ તે બે પદાર્થોમાં રહેનારી વસ્તુ છે. જો તમે વસ્તુ અને સતુ-અસતુને અભિન્ન માનો, તો એક જ થઈ જવાથી બે વસ્તુ જ હાજર ન હોવાથી, કોની કોની સાથે સંબંધ કરશો ? તેથી આને આ પ્રમાણે જ સ્વીકારવું જોઈએ કે, સદ્ અને અસદ્ અંશ તે એક ધર્મીની અપેક્ષાએ અભિન્ન છે, કારણ કે સત્-અસતું સ્વરૂપવાળી વસ્તુ એક જ છે તથા ધર્મરૂપે જ્યારે સત્ય-અસત્ ની વિવક્ષા કરવામાં આવે, ત્યારે બન્ને વચ્ચે ભેદ પ્રતિભાસિત થાય છે, કારણ કે પોતાના સ્વરૂપની અપેક્ષાએ તે છે અને પરરૂપની અપેક્ષાએ તે નથી. આ પ્રમાણે સ્પષ્ટ પ્રતિભાસ કરવાના સ્વરૂપવાળો, સકલ પ્રમાણોમાં મુખ્ય એવો પ્રત્યક્ષ, ભાવ-અભાવ ઉભયને ગ્રહણ કરનાર છે, એમ સિદ્ધ થયે છતે તેના આધારે પ્રવૃત્ત થતા શેષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy