SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ O ન્યાયાવતાર છે तादात्म्यमनुभवति, तस्मादभावात्मक एवायम्, एवं पटादयोऽपीतरेतरापेक्षयेति शून्यत्वापत्तिः, तस्मात् स्वरूपमाबिभ्राणं पररूपेभ्यो व्यावृत्तमेव वस्तु सर्वक्रियासु व्याप्रियते इति भावाभावात्मकस्यैव व्यापार: स्वरूपधारणस्य स्वभावत्वात्, पररूपव्यावर्तनस्याभावत्वादिति । एवं स्वगोचरप्रत्यक्षोत्पादनेऽपि व्याप्रियते, ततश्च ३७५तदूपमेव तत्साक्षात्कुर्यादिति स्वरूपनियते पररूपेभ्यो व्यावृत्ते एव वस्तुनि प्रत्यक्षं प्रवर्तते, तज्जन्यत्वात्, न भावमात्रे, तस्य केवलस्य स्वरूपाव्यवस्थितेरुत्पादकत्वायोगात् । न च जनकत्वादर्थो ग्राह्यो जन्यत्वाद्वा ज्ञानं ग्राहकमतिप्रसङ्गादित्युक्तम्, किं तर्हि ३७आवरणविच्छेदादेर्लब्धसत्ताकं ग्रहणपरिणामात् ज्ञानं –૦નાયરશ્મિ - પદાર્થની સાથે તાદાભ્યને અનુભવ કરતો નથી તો પછી અભાવ સ્વરૂપે (પટાભાવ સ્વરૂપે) તે ઘટના બોધ શી રીતે થાય ? પણ જો તેને માત્ર અભાવાત્મક જ સ્વીકારવામાં આવે (ભાવાત્મક નહીં) તો અભાવ સ્વરૂપે થતો બોધ સંગત થઈ શકશે, કારણ કે અભાવનો અભાવ સ્વરૂપે બોધ થવામાં કોઈ વિરોધ નથી. તેથી ઘટાદિ તે પટાદિના અભાવાત્મક જ છે. તે જ પ્રમાણે પટાદિ પણ એક-બીજાની અપેક્ષાએ અભાવાત્મક જ છે. આમ થતાં સર્વ શૂન્યતાની પ્રાપ્તિ થશે. તેથી પોતાના સ્વરૂપને ધારણ કરતા, પરરૂપથી વ્યાવૃત્ત જ વસ્તુ, સર્વક્રિયાઓમાં વ્યાપાર કરે છે એમ માનવું જ પડશે, માટે ભાવઅભાવાત્મક વસ્તુ જ વ્યાપાર કરે છે. પોતાના સ્વરૂપને ધારણ કરવું તે ભાવ અને પરરૂપથી વ્યાવૃત્ત રહેવું તે અભાવ કહેવાય છે. આ જ પ્રમાણે વસ્તુને વિષય કરનારા પ્રત્યક્ષની ઉત્પત્તિમાં પણ, તે જ વસ્તુનો વ્યાપાર થાય છે. તેથી ઉભયાત્મક વસ્તુ જ પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે. આ જ કારણે સ્વરૂપમાં નિયત અને પરરૂપથી વ્યાવૃત્ત એવી વસ્તુને જ પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરે છે અને તેમાં જ પ્રવર્તે છે, કારણ કે તેમાંથી જ તેની ઉત્પત્તિ થયેલ છે. માત્ર ભાવને જ ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થતો નથી, કારણ કે એકલા ભાવનું સ્વરૂપથી અવસ્થાન જ ન હોવાના કારણે, તે પ્રત્યક્ષનું ઉત્પાદક બની શકે નહી. અભાવ ઉત્પાદક ન હોવાથી ગ્રાહ્ય નથી', અર્થાત્ જનકત્વ ગ્રાહ્યત્વને વ્યાપ્ય બતાવે છે એમ જે કહ્યું હતું તે પણ યોગ્ય નથી, (પૂર્વપક્ષી અભાવ પ્રત્યક્ષજનક ન હોવાથી પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી તેમ કહ્યું તે વ્યાપ્તિમાં વ્યભિચાર આપે છે.) કારણ કે એવો કોઈ નિયમ નથી કે અર્થ તે જનક હોવાના કારણે ગ્રાહ્ય હોય અને જ્ઞાન તે જન્ય હોવાના કારણે જ ગ્રાહક હોય, એમ માનવામાં અતિપ્રસંગ આવે છે. તે આ પ્રમાણેઃ- ચક્ષુથી જન્ય જ્ઞાન હોવા છતાં પણ, ચક્ષુનો ગ્રાહક બની શકતો નથી, અર્થાત્ તેમાં –૦૫ર્થસંપ્રેક્ષા(રૂ૭૫) તદ્રુપતિ ! માવામાવાત્મવસ્તુપમ્ (રૂ૭૬) તપિતિ પ્રત્યક્ષમ્ | (३७७) अतिप्रसङ्गादिति । चक्षुषा जन्यमानस्यापि ज्ञानस्य चक्षुरग्राहकत्वात् । (३७८) आवरणविच्छेदादेरिति । विच्छेदः क्षयः, आदिशब्दात् क्षयोपशमः तद्धेतवश्च कारणत्वेन द्रव्यक्षेत्रकालालोकादयः गृह्यन्ते, तर्हि ज्ञानावरणकर्मणः क्षयोपशमे कृते तदनन्तरमव्यवधानेन ज्ञानमुत्पद्यते રૂતિ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy