SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ न्यायावतार १B एकदेशेन वेति ? तदेव चोद्यमलब्धपरिनिष्ठमवतरति तन्नात्यन्तभेदिनो वृत्तिः संभवति । २४८. किं च यद्येकं सामान्यं भेदवत् समस्तविशेषेषु वर्तेत, तदैकविशेषोपलम्भकाले 'तदुपलभ्यते न `वा ? 'यद्याद्यः पक्षः, तस्यैकतया सर्वत्रोपलम्भात्, व्याप्यग्रहणाभावे व्यापकग्रहणासिद्धेः निखिलतद्व्याप्यविशेषग्रहणमासज्येत, न चैतदस्ति, पुरोवर्तिविशेषस्यैव साक्षात्करणात्, शेषविशेषाणामसंनिधानात्, संनिहितविशेषनिष्ठमेव तदुपलभ्यते, तस्यैव तद्व्यञ्जकत्वात् । २४९. इतरेषां तदभावादिति चेन्न, एकस्वभावस्य खण्डशो व्यञ्जनायोगात्, संनिहितविशेषव्यञ्जितमेव तत्सर्वत्र स्वभावान्तराभावात् सर्वविशेषगतं च तद्रूपमतस्तदर्शनं ન્યાયરશ્મિ – ૩૬૮. O (૨૪૮) ઉ૫લંભઃ- અમારો બીજો એક પ્રશ્ન છે કે, જો એક જ સામાન્ય તે ભેદવાળા એવા સમસ્ત વિશેષોમાં ૨હે છે, ત્યારે એક વિશેષની ઉપલબ્ધિ કાળે તે સામાન્યની (૧) ઉપલબ્ધિ થાય છે કે (૨) નથી થતી ? જો એક વિશેષની ઉપલબ્ધિ કાળે સામાન્યની ઉપલબ્ધિ થાય છે એમ સ્વીકાર કરશો, તો પછી સામાન્ય એક હોવાના કારણે સર્વત્ર તેની ઉપલબ્ધિ થઈ જશે અને એક નિયમ છે કે, ‘વ્યાપ્યનું જો ગ્રહણ ન થયું હોય તો પછી વ્યાપકનું પણ ગ્રહણ થઈ શકતું નથી', તેથી અહીં વ્યાપક એવા સામાન્યનું ગ્રહણ તો તમે સ્વીકારો છો, તો પછી તેના વ્યાપ્ય એવા સકલ વિશેષોનું ગ્રહણ ત્યારે જ થઈ જવાની આપત્તિ આવશે, પરંતુ આ પ્રમાણે અનુભવ થતો નથી. માત્ર સામે જે વિશેષ રહેલ હોય તેનું જ પ્રત્યક્ષ થાય છે. (૨૪૯) શંકાઃ- અન્ય જેટલા પણ વિશેષો છે તેઓનું ત્યાં સંનિધાન જ નથી, સન્નિહિત વિશેષોમાં રહેલ સામાન્ય જ ઉપલબ્ધ થાય છે, કારણ કે સન્નિહિત વિશેષ જ ત્યાં રહેલા સામાન્યનો ભંજક છે. બીજા બધા વિશેષો ત્યાં હાજર ન હોવાના કારણે, સામાન્યના વ્યંજક થઈ શકતા નથી. માટે સર્વ વિશેષોને ગ્રહણ કરવાની આપત્તિ નહી આવે. ' સમાધાનઃ- આ કહેવું તે યોગ્ય નથી. સામાન્ય તમે એક સ્વભાવવાળો જ સ્વીકાર કર્યો છે, તો પછી તેનું આ રીતે ખંડશઃ વ્યંજન (પ્રગટીકરણ), અર્થાત્ એક વિશેષમાં રહેલા સામાન્યનું વ્યંજન થાય, બીજા વિશેષમાં રહેલ સામાન્યનું ન થાય, એવું ઘટી શકતું નથી. સામાન્ય જ્યારે એક ઠેકાણે સન્નિહિત એવા વિશેષમાં વ્યંજિત જ છે, તેનો બીજો કોઈ સ્વભાવ નથી અને તેમાં રહેલ સન્નિહિત વિશેષ દ્વારા વ્યંજિત સ્વરૂપ તે સર્વ વિશેષોમાં વિદ્યમાન છે, તો પછી સર્વ વિશેષોમાં રહેલ તેનું પ્રત્યક્ષ થવામાં કોણ રોકી શકે અને તો સર્વ વિશેષોનું પ્રત્યક્ષ થશે જ, માટે પ્રથમ પક્ષને સ્વીકારવો ઉચિત નથી. હવે જો એક વિશેષની ઉપલબ્ધિ સમયે સામાન્યની ઉપલબ્ધિ થતી નથી એમ બીજો પક્ષ સ્વીકાર -० अर्थसंप्रेक्षण: -0 (રૂ૬૮) તદ્દર્શનમિતિ । સર્વવ્યńીનાં પ્રત્યક્ષતા । नूतनविशेषसंबन्धादीत्यादिशब्दसूचितं दूषणमभिधातुकाम आह Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy