SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २९ ૨૮૧ ) केन वार्येत । अथ द्वितीयः कल्पः, तथा सति यथा एकविशेषोपलम्भसमये नोपलभ्यते, तथा विशेषोपलम्भकालेऽपि नोपलभ्येत, विशेषाभावात्, अतस्तदभाव एवोक्तः स्यात्, केवलस्योपलम्भाभावात्, उपलम्भेऽपि स्वस्वभावस्थितेर्विशेषरूपतापत्तिः, २५०. तथा चिरंतनविशेषव्यवस्थितसत्ताकं तन्नूतनविशेषोत्पादे सति कथं तेन सह संबन्धमनुभवेत् ? न तावद्विशेषान्तरेभ्यस्तदुत्पित्सु विशेषदेशं गन्तुमर्हति, निष्क्रियत्वात्, नापि तत्रैवाभवत्, विशेषोत्पादात्प्राक् तद्देशे तदुपलम्भाभावात्, नापि विशेषेण सहोत्पद्यते, नित्यत्वात्, नित्यस्य चोत्पत्तिनिरोधाभावात् । अथ एतद्दोषपरिजिहीर्षया तत्सक्रियकमभिधीयते, तथापि 'पूर्वव्यक्तित्यागेन वा नूतनविशेषदेशमाक्रामेत् तदभावेन वा ? न तावदाद्यः पक्षः, चिरंतनव्यक्तीनां सामान्यविकलतया तत्संबन्धसाध्यबुद्धिध्वनिविरहप्रसङ्गात्, न चैतदस्ति, अपरापरविशेषोत्पादेऽपि प्राचीनव्यक्तिषु तद्दर्शनात् । अथ द्वितीयः कल्पः, तदप्यसंबद्धम्, –૦ન્યાયરશ્મિ – કરશો, તો પછી જેમ એક વિશેષની ઉપલબ્ધિ સમયે સામાન્યની ઉપલબ્ધિ થતી નથી, તે જ પ્રમાણે અન્ય વિશેષોની ઉપલબ્ધિના સમયે પણ તેની ઉપલબ્ધિ ન થવી જોઈએ, કારણ કે એક વિશેષથી બીજા વિશેષમાં કાંઈ ફરક નથી. આમ સામાન્યનો કોઈપણ સ્થાને ઉપલંભ ન થતો હોવાથી, તેનો અભાવ જ છે એમ કહેવું પડશે. આમ વિશેષ વિના એકલા સામાન્યનો ઉપલંભ કોઈપણ ઠેકાણે થતો નથી. વળી અનેકમાં અનુગત હોય તે સામાન્ય છે. અહીં સામાન્યનો ઉપલંભ પૃથક રૂપે જ થાય છે, તો તે અનુગતરૂપે પ્રતીત ન થતું હોવાથી, વિશેષ જ બની જશે. આમ સામાન્યની ઉપલબ્ધિ ભિન્ન માનવામાં આવે તો તે ઘટી શકતી નથી. ૦ ત્રીજા વિકલ્પને આશ્રયીને દોષોની પરંપરા ૦ (૨૫૦) નૂતન વિશેષ સાથે સંબંધ - સામાન્ય તે હજી પોતાના જુનાં એવા વિશેષમાં રહેલ છે અને ત્યારે એક નવા વિશેષની ઉત્પત્તિ થાય, તો પછી પૂર્વાવસ્થામાં રહેલા સામાન્યનો આ નૂતન વિશેષની સાથે સંબંધ કેવી રીતે થશે ? પહેલી વાત એ કે, એક વિશેષમાંથી નવા ઉત્પન્ન થયેલા વિશેષના ક્ષેત્રમાં સામાન્ય જઈ શકતું નથી, કારણ કે સામાન્ય નિષ્ક્રિય છે. તથા એમ પણ ન કહી શકાય કે, નવા ઉત્પન્ન થતાં વિશેષના ક્ષેત્રમાં તે પહેલાથી વિદ્યમાન છે, કારણ કે વિશેષની ઉત્પત્તિ પહેલા સામાન્યની તે દેશમાં ઉપલબ્ધિ થતી નથી. વળી આમ પણ ન કહી શકાય કે, વિશેષની જે ક્ષેત્રાન્તરમાં ઉત્પત્તિ થાય છે, ત્યાં વિશેષની સાથે જ સામાન્યની પણ ઉત્પત્તિ થાય છે, કારણ કે સામાન્ય નિત્ય સ્વીકાર કરાયેલ છે અને નિત્યપદાર્થની ઉત્પત્તિ તથા નાશ ઘટી શકતા નથી અને કદાચ આ સર્વ દોષોના ભયથી તમે સામાન્યને સક્રિય માની લો, તો પણ તે સામાન્ય (૧) પૂર્વવ્યક્તિના ત્યાગ વડે નવા વિશેષના દેશમાં જાય છે કે (૨) પૂર્વવ્યક્તિના ત્યાગ વિના નવા વિશેષના દેશમાં જાય છે? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે, તો પછી પૂર્વનો વિશેષ તે સામાન્યથી રહિત થઈ જવાના કારણે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy