SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ ) न्यायावतार - श्लो० २९ ध्वनिमर्थक्रियां वा प्रवर्तयति, इतरस्याप्युपसर्जनभावेन तत्र व्यापारात्, तद्विकलस्येतरस्यापि शशविषाणायमानतया क्वचिदनुपयोगात् । २४७. किं च, अत्यन्तव्यतिरेकिणि विशेषेभ्यः सामान्ये वृत्तिविकल्पोपलम्भनूतनविशेषसंबन्धादिद्वारेण दूषणमुद्गरकदम्बकं मूर्धनि पतद् दुर्विषहं स्यात् । तथा हि-तत्तेषु कथं वर्तेत 'सामस्त्येन 'एकदेशेन वा ? 'सामस्त्यपक्षे प्रतिविशेष परिसमाप्ततया सामान्यबहुत्वप्रसङ्गः, अनिष्टं चैतद्, एकत्वाभ्युपगमक्षतेः । एकदेशेन पुनर्यावन्तो विशेषास्तावन्तस्तदंशाः प्रसजन्ति, न चैतदस्ति, सामान्यस्य निरवयवत्वात्, सावयवत्वेऽपि पुनस्ते भिन्ना अभिन्ना वा । यद्यभिन्ना विशेषाः, त_भेदिनः किं नेष्यन्ते, विशेषाभावात्। भेदपक्षे पुनस्तेष्वपि तत्कथं वर्तेत-१ सामस्त्येन –૦ન્યાયરશ્મિ – સામાન્ય અથવા વિશેષને પ્રધાન કર્યું છે, તેનાથી ભિન્ન વિશેષ અથવા સામાન્યનો પણ ગૌણ સ્વરૂપે તો તે ઠેકાણે વ્યાપાર થાય જ છે, કારણ કે સામાન્યથી રહિત વિશેષ અથવા વિશેષથી રહિત સામાન્ય તે સસલાના શિંગડાની જેમ અસતું હોવાથી, કોઈપણ ઠેકાણે તેનો ઉપયોગ થતો નથી. ૦ સામાન્યની વિશેષમાં વૃત્તિ આશ્રયી ૩ વિકલ્પો ૦ (૨૪૭) વળી બીજી વાત એ છે કે, વિશેષોથી અત્યંત ભિન્ન એવું સામાન્ય સ્વીકારવામાં વૃત્તિવિકલ્પ, ઉપલંભ, નૂતન વિશેષ સંબંધ વગેરે દ્વારા, માથા ઉપર પડતા દૂષણ રૂપી હથોડાને તમે અત્યંત દુઃખે કરી સહન કરી શકશો. તે દોષો આ પ્રમાણે જાણવા : (૧) વૃત્તિવિકલ્પ - સામાન્ય તે વિશેષોમાં કેવી રીતે રહેશે (૧) સંપૂર્ણપણે કે (૨) એકદેશથી? જો સંપૂર્ણપણે સામાન્ય, વિશેષોમાં રહે છે એમ સ્વીકારવામાં આવે, તો પછી દરેક વિશેષોમાં સંપૂર્ણપણે સામાન્યની વૃત્તિ હોવાથી ઘણા સામાન્ય માનવાની આપત્તિ આવશે, પરંતુ આ તો અનિષ્ટ છે, કારણ કે સામાન્યને તમારા વડે એક અને નિત્ય સ્વીકારાયેલ છે. જો તે સામાન્ય એક દેશથી રહે છે એ પક્ષ માનવામાં આવે, તો પછી જેટલા વિશેષો હોય તેટલા સામાન્યના અંશો થવાની આપત્તિ આવશે. પોતાના અંશો થયા વિના તે દરેક વિશેષોમાં એક દેશથી ન રહી શકે, પરંતુ આ પ્રમાણે સાંશ સામાન્યને તો તમે સ્વીકાર્યો નથી, તેને તો નિરવયવ મનાયેલ છે. કદાચ તે સામાન્ય સાવયવ સ્વીકારી પણ લઈએ, તો પણ તે અવયવો સામાન્યથી (૧) ભિન્ન છે કે (૨) અભિન્ન ? (૧) જો તે અવયવો તેનાથી અભિન્ન છે એમ સ્વીકારો, તો પછી વિશેષોને પણ સામાન્યથી અભિન્ન સ્વીકારવામાં શું વાંધો છે ? અવયવો પણ અનેક છે અને વિશેષો પણ અનેક છે. જો અનેક અવયવોને સામાન્યથી અભિન્ન માની શકાય, તો પછી અનેક વિશેષોને સામાન્યથી અભિન્ન શા માટે ન મનાય ? (૨) જો તે અવયવો સામાન્યથી ભિન્ન છે, તો પછી ત્યાં પણ તે પ્રશ્ન આવશે કે, તે ભિન્ન એવા અવયવોમાં સામાન્ય (૧) સંપૂર્ણપણે રહે છે કે (૨) એકદેશથી રહે છે ? આ બધા પ્રશ્નોની વણઝાર કોઈપણ જગ્યાએ અટક્યા વગર આવ્યા જ કરશે. તેથી અત્યંત ભિન્ન એવા પદાર્થની વૃત્તિ (= રહેવાપણું) કોઈ પણ રીતે ઘટતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy