SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭રૂ છે 0 न्यायावतार - श्लो० २९ व्युत्पत्तिनिमित्तमर्थो यदैव विवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति, न सामान्येन । यथा उदकाद्याहरणवेलायां योषिदादिमस्तकारूढो विशिष्टचेष्टावानेव घटोऽभिधीयते, न शेषः, घटशब्दव्युत्पत्तिनिमित्तशून्यत्वात्, पटादिवदिति । अतीतां भाविनी वा चेष्टामधिकृत्य सामान्येनैवोच्यते इति चेन्न, तयोर्विनष्टानुत्पन्नतया२६१ शशविषाणकल्पत्वात् । तथापि तद्द्वारेण शब्दः प्रवर्तते, ३६२सर्वत्र प्रवर्तयितव्यः, विशेषाभावात् । किं च यद्यतीतवर्षीच्चेष्टापेक्षया –૦નાયરશ્મિ – છે એમ સ્વીકારે છે, સામાન્યથી નહીં. જેમકે પાણી લાવવા સ્વરૂપ અથક્રિયાને કરતો, સ્ત્રી વગેરેના મસ્તક ઉપર આરૂઢ થયેલો, વિશિષ્ટ ચેષ્ટા, આકારથી યુક્ત એવો ઘટ, તે જ ઘટ શબ્દ દ્વારા વાચ્ય બની શકે છે, પરંતુ ખૂણામાં, ખાલી પડેલો ઘડો તે આ નયની અપેક્ષાએ ઘટ શબ્દથી વાચ્ય બનતો નથી, કારણ કે જેમ પટમાં ઘટ શબ્દનો વ્યુત્પત્તિ નિમિત્ત અર્થ ન હોવાના કારણે તેમાં ઘટ શબ્દનો પ્રયોગ નથી થતો, તેમ ચેષ્ટાશૂન્ય એવા ઘટમાં પણ વ્યુત્પત્તિ નિમિત્તાર્થ ન હોવાના કારણે, ત્યાં પણ ઘટ શબ્દનો પ્રયોગ ન થવો જોઈએ. શંકા- ભલે ચેષ્ટાથી રહિત એવા ઘટમાં વ્યુત્પત્તિ નિમિત્ત અર્થ તે સમયે નથી, પરંતુ અતીત અથવા ભાવી ચેષ્ટાને આશ્રયીને, સામાન્યથી તે કાળે પણ ઘટ શબ્દનો પ્રયોગ શા માટે ન થઈ શકે? સમાધાન- આ શંકા યોગ્ય નથી, કારણ કે અતીત ચેષ્ટાઓ નાશ થઈ ગઈ છે અને અનાગત ચેષ્ટાઓ હજી ઉત્પન્ન જ થઈ નથી, તેથી અતીત-અનાગતકાલીન ચેષ્ટાઓ શશવિષાણની જેમ અસત્ છે, અને અસત્ વસ્તુને આશ્રયીને ક્યારે પણ શબ્દ પ્રયોગ થતો નથી. જો અસત્ વસ્તુને આશ્રયીને પણ ઘટ શબ્દ પ્રયોગ થતો હોય, તો પછી ઘટ શબ્દની પ્રવૃત્તિ સર્વત્ર પટાદિમાં પણ થવી જોઈએ એકલા ઘટમાં નહી, કારણકે અસત્પણું તો સર્વત્ર સમાન રૂપે રહેલું છે. પૂર્વે પટાદિમાં શબ્દ પ્રયોગની આપત્તિ આપી, તેનું વારણ કોઈ આ રીતે કરે કે, પટાદિમાં તો ક્યારેય પણ તે અર્થક્રિયા રહેતી નથી તેથી તેમાં ઘટશબ્દ ન પ્રયોજાય, પણ ઘટમાં ક્યારેક ચેષ્ટા હોય છે તેથી પ્રયોજાય તો તેનો જવાબ આપતા જણાવે છે કે, જો અતીત અને ભાવી ચેષ્ટાની અપેક્ષાએ ઘટ શબ્દનો પ્રયોગ, અચેષ્ટાવાનું એવા ઘટમાં પણ કરવામાં આવતો હોય, તો પછી તેને જ આશ્રયીને કપાલ, માટીનો પિંડ વગેરે જેમાં હજી સુધી ઘટનો આકાર બન્યો નથી તેમાં અથવા ઘટ નષ્ટ થઈ ગયા બાદ તેના ઠીકરામાં પણ ઘટ -अर्थसंप्रेक्षण(३६१) शशविषाणकल्पत्वादिति । ईषदपरिसमाप्ते शशविषाणे शशविषाणकल्पे, तयोर्भावः तत्त्वं तस्मात् । (३६२) सर्वत्रेति चेष्टादावपीत्यर्थः । यद्यतीतेत्यादिना शशविषाणकल्पत्वाभावेऽपि दूषणान्तरमभिदधाति । संग्रहश्लोकः एकस्यापि ध्वनेर्वाच्यं सदा तन्नोपपद्यते । क्रियाभेदेन भिन्नत्वादेवंभूतोऽभिमन्यते ।। सदेति । प्रवृत्तिनिमित्तकालादन्यदापि । तदिति वस्तु ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy